Connect with us

આંતરરાષ્ટ્રીય

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

Published

on

જે રીતે લેબનોનમાં પેજર અટેક કરવામાં આવ્યો તે પછી દુનિયભરના દેશ ચેતી ગયા છે. ખાસ કરીને ભારત કે જેના પડોશમાં ચીન જેવો દુશ્મન દેશ છે જે આ પ્રકારની ભવિષ્યમાં કરે તો નવાઈ નથી. લેબનોનમાં થયેલા પેજર અટેક બાદ ભારત સરકાર દેશમાં ચાઈનીઝ નિર્મિત સર્વેલન્સ ઈક્વિપમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે.સરકાર સ્થાનિક વિક્રેતાઓને પ્રોત્સાહન આપવા માટે સર્વેલન્સ માર્કેટમાં નવી માર્ગદર્શિકા ઝડપથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે.


પેજર વિસ્ફોટોના પગલે, ભારત સરકાર સપ્લાય ચેઇન પર ઊંડાણપૂર્વક તપાસ કરશે. 18 સપ્ટેમ્બરના રોજ ઈઝરાયેલે લેબનીઝ આતંકી સંગઠન હિઝબુલ્લાહના કાર્યકરોના હજારો પેજર અને મોબાઈલ ડિવાઈસને બ્લાસ્ટ કર્યા હતા. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ અગાઉ પેજર અને અન્ય ઉપકરણોમાં છુપાયેલા વિસ્ફોટકો વડે કરવામાં આવ્યા હતા.


એક રિપોર્ટ અનુસાર, ભારત સરકારની નવી નીતિ 8 ઓક્ટોબરથી લાગુ થઇ શકે છે, જે ચીની કંપનીઓને બજારથી બહાર કરીને ભારતીય કંપનીઓને ફાયદો પહોંચાડશે.


આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા, પરંતુ લેબનોન વિસ્ફોટોને પગલે સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવતા આ માર્ગદર્શિકાનો ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે.સરકાર ઈઈઝટ કેમેરા અંગેની માર્ગદર્શિકાને ઝડપથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. નવા નિયમો ફક્ત વિશ્વસનીય સ્થાનો પરથી કેમેરાના વેચાણ અને ખરીદીને મંજૂરી આપશે.


રિપોર્ટમાં કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એક નિષ્ણાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હાલમાં, ઈઙ પ્લસ, હિકવિઝન અને દહુઆ ભારતીય બજારના 60%થી વધુને નિયંત્રિત કરે છે. જ્યારે ઈઙ પ્લસ ભારતીય કંપની છે, ત્યારે હિકવિઝન અને દહુઆ ચીની કંપનીઓ છે. નવેમ્બર 2022 માં, યુએસ સરકારે હિકવિઝન અને દહુઆના ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્વીકાર્ય ખતરો ગણવામાં આવ્યો હતો.


તાજેતરમાં જ ભારત સરકારે ચાઇનીઝ ઈઈઝટ સાધનો માટેના ટેન્ડરને નકારી કાઢવાનું શરૂૂ કર્યું છે અને બોશ જેવી યુરોપિયન કંપનીઓને પ્રાધાન્ય આપ્યું છે. બોશ એપ્લાયન્સીસ ચાઈનીઝ એપ્લાયન્સ કરતા 7 થી 10 ગણા મોંઘા માનવામાં આવે છે.


અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, ઈઈઝટને લઇને દબાણ પેજર વિસ્ફોટ પહેલાનું છે. સુરક્ષા પ્રમાણપત્ર અંગેની માર્ગદર્શિકા માર્ચમાં જારી કરવામાં આવી હતી અને ઓક્ટોબરમાં અમલમાં આવશે.


આનું મુખ્ય કારણ સંભવિત ડેટા લીક અંગેની ચિંતા છે, કારણ કે ઈઈઝટ કેમેરા સંવેદનશીલ સ્થળોએ લગાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ લોકોની હિલચાલને ટ્રેક કરવા માટે થઈ શકે છે. કેમેરા માત્ર વિશ્વાસુ સ્થળો પરથી જ ખરીદવામાં આવે. વિશ્વસનીય સ્થાન તે છે જ્યાં ભારત સરકાર પાસે સમગ્ર ઉત્પાદન શૃંખલા વિશે માહિતી હોય છે અને ખાતરી આપવામાં આવે છે કે ઉપકરણોમાં કોઈ પાછલા દરવાજા નથી કે જે ડેટા લીક અથવા ચોરી કરી શકે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલે UNચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તેમણે ઈરાનના હુમલાની નિંદા કરી નથી

Published

on

By

ઈઝરાયેલે ગંભીર આરોપ લગાવીને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પર તેના દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ હવે ઈઝરાયેલની મુલાકાત લઈ શકશે નહીં. પ્રતિબંધ લગાવવાની સાથે ઈઝરાયેલે કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસને ‘સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ’ તરીકે જોવામાં આવશે.

ઇઝરાયેલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે તેમણે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવ્યા છે. વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઈઝરાયેલમાં પર્સન નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તેના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઇઝરાયેલે ગુટેરેસ પર કયા આક્ષેપો કર્યા?

કાત્ઝે કહ્યું કે ‘જે કોઈ પણ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના ગુનાહિત હુમલાની નિંદા કરવામાં અસમર્થ છે તે ઈઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી. આ સેક્રેટરી જનરલ છે જે ઈઝરાયેલને નફરત કરે છે, જે આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે. ગુટેરેસને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે. ઈઝરાયેલનું માનવું છે કે સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે.

વાસ્તવમાં ઈઝરાયેલ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઈરાને ઈઝરાયેલ પર મોટી સંખ્યામાં મિસાઈલ હુમલા કર્યા છે. પેલેસ્ટાઈનમાં પણ સંયુક્ત રાષ્ટ્ર હંમેશા પેલેસ્ટાઈનના હિતોની વાત કરતું આવ્યું છે. આ સાથે, તે ઇઝરાયેલ પર તેમને માનવતાવાદી સહાય આપવા માટે દબાણ કરી રહ્યું છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયેલને સમર્થન ન આપવા બદલ ઈઝરાયેલે એન્ટોનિયો ગુટેરેસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

તેલ અવીવમાં આતંકવાદી હૂમલો,8ના મોત, હૂમલાખોર બે શખ્સો પણ ઠાર

Published

on

By

ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલો થયો છે. અહીં બે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.આ હુમલામાં અનેક જાનહાનિ થયાના અહેવાલો પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો જાફામાં સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો.


ઈઝરાયેલ પોલીસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બે બંદૂકધારી ટ્રેનમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. પોલીસે બંનેને મારી નાખ્યાં છે.આતંકી હુમલો, ઈઝરાયેલના સમય મુજબ સાંજે 7 વાગ્યે થયો હતો. જેમાં જાફા નજીકના સ્ટેશન પર અચાનક ફાયરિંગ શરૂૂ થઈ ગયું હતું. સુરક્ષા દળોને કંઈક સમજાયું ત્યાં સુધીમાં હુમલાખોરો ઘણા લોકોને ઘાયલ કરી ચૂક્યા હતા. બાદમાં આમાંથી 8 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.


તેલ અવીવ પર હુમલો કરનાર બંને આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો.હાલ પોલીસ હર્ઝલિયાની એક હોટલમાં આતંકીઓની તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે. હજુ પણ વધુ આતંકીઓ ઈઝરાયેલમાં છુપાયેલા હોઈ શકે છે.


ઈઝરાયેલના તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર અંધાધૂંધ મિસાઈલ છોડી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલોની સંખ્યા 400થી વધુ હતી. જો કે, ઇઝરાયેલના આયર્ન ડોમે આ તમામ મિસાઇલોનો સામનો કર્યો અને તેમાંથી મોટાભાગની મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

OMG બ્રાઝિલમાં પોલીસ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે

Published

on

By

આપણે તો પોલીસને જીપ કે બાઇક પર પેટ્રોલિંગ કરતી જોઈ હોય. ક્યાંક વળી ઘોડા પર પણ પોલીસ ફરતી હોય છે, પણ બ્રાઝિલમાં પોલીસ ભેંસ પર પેટ્રોલિંગ કરવા નીકળે છે. નવાઈ લાગે એવી વાત છે, પણ ત્યાં આવો જ નિયમ છે. બ્રાઝિલના ઉત્તરીય ભાગમાં મરાઝો ટાપી છે. આ ટાપી પાસેથી વહેતી ઍમેઝોન નદી ઍટલાન્ટિક મહાસાગરમાં ભળે છે. સ્વિટ્ઝરલેન્ડના આકારના આ ટાપુમાં પોલીસ એશિયન ભેંસ પર પેટ્રોલિંગ કરતી હોય છે.

ભારત અને દક્ષિણ પૂર્વમાં જોવા મળતી એશિયન ભેંસો છેક મરાઝો કેવી રીતે પહોંચી એ પણ રહસ્ય છે. કેટલાક એવું કહે છે કે ટાપુના કિનારે એક વહાણના કાટમાળ સાથે આ ભેંસો તરતી-તરતી આવી પહોંચી છે તો કેટલાકના મતે ફ્રેન્ચ ગયાનાથી ભાગી ગયેલા કેદીઓ એ ભેંસ લઈ આવ્યા છે. ઉષ્ણકટિબંધનું વાતાવરણ ભેંસોને માફક આવી ગયું છે એટલે લગભગ પાંચ લાખ ભેંસ છે અને માણસોની વસ્તી 4.40 લાખ જેટલી છે એટલે કે માણસ કરતાં ભેંસની સંખ્યા વધારે છે. કદાચ આ જ કારણે પોલીસ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 5 લોકોના મોત

આંતરરાષ્ટ્રીય10 hours ago

ઇઝરાયલે UNચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તેમણે ઈરાનના હુમલાની નિંદા કરી નથી

રાષ્ટ્રીય10 hours ago

બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂરગ્રસ્તોની બચાવ કામગીરી દરમિયાન અચાનક પાણીમાં ખાબક્યું, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય10 hours ago

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

રાષ્ટ્રીય10 hours ago

હજીપણ લોકો બે હજારની રૂા.7,117 કરોડની નોટો છૂપાવીને બેઠા છે

રાષ્ટ્રીય10 hours ago

પંજાબમાં આપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘિંગાણું-ગોળીબાર

રાષ્ટ્રીય10 hours ago

આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં મળશે સારી કવોલિટીનો દારૂ, ગાંધી જયંતિએ જ જાહેરાત

રાષ્ટ્રીય10 hours ago

આધ્યાત્મિક ગુરૂ જગ્ગી વાસુદેવના આશ્રમમાં 150 પોલીસનો કાફલો ત્રાટકયો, સર્ચ ઓપરેશન

આંતરરાષ્ટ્રીય10 hours ago

તેલ અવીવમાં આતંકવાદી હૂમલો,8ના મોત, હૂમલાખોર બે શખ્સો પણ ઠાર

રાષ્ટ્રીય10 hours ago

રેકોર્ડીંગની ના પાડતા મે PM મોદી સાથે વાત કરી ન હતી

ગુજરાત1 day ago

મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું

ક્રાઇમ2 days ago

VIDEO: અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માથું દીવાલ પછાડ્યું, સેકન્ડોમાં 10 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ

ગુજરાત12 hours ago

એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા

રાષ્ટ્રીય2 days ago

શેરબજારની ‘મંગળ’ શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25,900ને પાર

રાષ્ટ્રીય2 days ago

‘મંદિર હોય કે મસ્જીદ, કોઈપણ ધાર્મિક સ્થળ અડચણ ન બની શકે..’ બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટેની ટીપ્પણી

ક્રાઇમ1 day ago

ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું

ગુજરાત1 day ago

રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી

ગુજરાત1 day ago

ગાંધી મ્યુઝિયમ ખાતે કાલે સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ યોજાશે

ધાર્મિક17 hours ago

આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત

ગુજરાત1 day ago

રાજકોટ દવા લેવા બહેનના ઘરે આવેલા અરડોઈના યવાનનું મોત

Trending