આંતરરાષ્ટ્રીય
મહાદેવ સટ્ટા એપના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ
ભારતમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાંથી અંતે ધરપકડ કરવામાં આવી છે. મહાદેવ બેટિંગ એપ દ્વારા કરોડો રૂપિયાનો ગોટાળો કરનાર સૌરભ ચંદ્રાકર દુબઈ નાસી જતાં ઈડી દ્વારા તેની સામે રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવામાં આવી હતી જેના પગલે દુબઈમાં તેની ધરપકડ કરવામાં આવી હવે સૌરભને ભારત લાવવામાં આવનાર છે. ત્યારે સટ્ટા કૌભાંડના અનેક રાઝ ઉપરથી પડદો ઉંચકાવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદના માધવપુરના રૂા. 2273 કરોડના સટ્ટા કૌભાંડમાં દિપક ઠક્કરની પણ સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દુબઈથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મહાદેવ સટ્ટા એપના મુખ્ય કિંગપીન સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. સૂત્રોના હવાલાથી મળેલા અહેવાલો અનુસાર તેની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગેંગસ્ટર સૌરભ ચંદ્રાકરની ધરપકડમાં ભારતીય વિદેશ અને ગૃહ મંત્રાલયની મોટી ભૂમિકા રહી છે. અટકાયત બાદ તેને ભારત લાવવાના પ્રયાસો પણ શરૂૂ કરી દેવામાં આવ્યા છે.
સૌરભ ચંદ્રાકરની ધરપકડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની વિનંતી પર રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. યુએઈના અધિકારીઓએ સૌરભ ચંદ્રાકરની ધરપકડ અંગે ભારત સરકાર અને સીબીઆઈને જાણ કરી છે, ત્યારબાદ તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પણ શરૂૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તેને કામચલાઉ ધરપકડ પછી ભારત લાવવામાં આવશે. જો કે હજુ સુધી આ ધરપકડની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સૂત્રોને ટાંકીને સૌરભ ચંદ્રાકરને કસ્ટડીમાં લેવામાં આવ્યાના સમાચારને સમર્થન મળ્યું છે.
આંતરરાષ્ટ્રીય
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ અને તેના ભાઈઓ હાલમાં વર્લ્ડ ટૂર પર છે. આ અંતર્ગત દુનિયાભરમાં તેના કોન્સર્ટ યોજાઈ રહ્યા છે. આવી જ એક કોન્સર્ટ પ્રાગ (ચેક રિપબ્લિક)માં થઈ રહી હતી. આમાં એક વિચિત્ર ઘટના બની.એવું કહેવામાં આવી રહ્યું છે કે નિક જોનાસના માથા પર લેસર લાઈટ જોવા મળી છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ એક લાઈટ છે જેનો ઉપયોગ બંદૂક વડે નિશાન બનાવવા માટે થાય છે. આ પછી નિકે સ્ટેજ છોડી દીધો હતો.
નિક જોનાસની કોન્સર્ટ ટીખળ
જોનાસ બ્રધર્સ એટલે કે નિક જોનાસ, કેવિન જોનાસ અને જો જોનાસના પ્રાગ કોન્સર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં નિક જોનાસ પર લેસર બીમ દેખાય છે. આ પછી તે સ્ટેજ છોડતો જોવા મળે છે. તે સિક્યોરિટી ગાર્ડ્સને ઈશારો કરતો પણ જોઈ શકાય છે. જ્યારે આ બન્યું ત્યારે નિકના બે ભાઈ જો અને કેવિન પણ ત્યાં હાજર હતા.
કોઈએ પ્રેક્ષકોના મુખ્યમાંથી લેસર લાઈટ મૂકી
વાસ્તવમાં એવું કહેવાય છે કે નિક પર જે લાઈટ હતી તે બંદૂકની હતી. પરંતુ નિકના એક પ્રશંસકના કહેવા પ્રમાણે, આવું બિલકુલ નથી. ત્યાં એક વ્યક્તિ હતો જેણે નિક પર લેસર બીમ ફાયર કર્યું હતું. આ પછી નિક પર શંકા ગઈ. તેણે સ્ટેજ છોડી દીધું. તેના બંને ભાઈઓ પણ ચાલ્યા ગયા. થોડા સમય માટે શો બંધ કરી દેવામાં આવ્યો હતો. પછી જે વ્યક્તિએ નિક પર લેસર બીમ માર્યો હતો તેને દર્શકોમાંથી દૂર કરવામાં આવ્યો અને શો ફરી શરૂ કરવામાં આવ્યો. શેર કરેલા વીડિયોના કેપ્શનમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
જોનાસે સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો
આ ઘટના બાદ નિકે સોશિયલ મીડિયાથી બ્રેક લીધો હતો. પાછા પણ આવ્યા. પાછા આવ્યા બાદ તેણે લખ્યું કે મેં સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો છે. મને વ્યક્તિગત સમયની જરૂર હતી. હવે મારી પાસે વાદળી દિવાલ સાથેનો આ સુંદર ફોટો છે.જો કે, સમગ્ર લેસર લાઇટની ઘટના શું હતી તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. ચાહકોએ જે કહ્યું છે તેના પરથી જ વસ્તુઓ સામે આવી છે. નિક જોનાસ કે પ્રિયંકા ચોપરા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
Sports
ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ
રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.
એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.
આંતરરાષ્ટ્રીય
કેનેડા સામે મોદી સરકારની આક્રમક નીતિ સંપૂર્ણ યોગ્ય
ભારત અને કેનેડાના સંબંધોમાં ફરી ડખો પડ્યો છે અને ભારતે કેનેડા ખાતેના પોતાના હાઈ કમિશનર સંજય કુમાર વર્માને પાછા બોલાવી લેવાનો નિર્ણય લેતાં બંને દેશોના રાજદ્વારી સંબંધોનો અંત આવી જવાનાં એંધાણ છે. ટેકનિકલી રાજદ્વારી સંબંધોનો અંત આવી જ ગયો છે કેમ કે હાઈ કમિશનર સર્વોચ્ચ રાજદ્વારી છે. ભારતે પહેલાં કેનેડાના ભારત ખાતેના રાજદૂતને ભારત છોડવા કહ્યું ને પછી પોતાના હાઈ કમિશનરને જ પાછો બોલાવી લીધો તેનો મતલબ એ કે, બંને દેશોમાં હવે એકબીજાના ટોચના અધિકારી નથી ને તેનો અર્થ રાજદ્વારી સંબંધોનો અંત જ કહેવાય. કેનેડા ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને મામલે ભારત સામે આંગળી ચીંધ્યા કરે છે.
જૂન 2023માં નિજ્જરની હત્યા પછી કેનેડાએ આક્ષેપ મૂક્યો હતો કે, ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા આ હત્યામાં સામેલ છે. હરદીપ સિંહ નિજ્જરની હત્યા 18 જૂને થઈ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ આક્ષેપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા હતા. ભારતે એ વખતે પણ કહેલું કે, આ મુદ્દે રાજકારણ રમાઈ રહ્યું છે અને ભારતને નિજ્જરની હત્યા સાથે કંઈ લેવાદેવા નથી.કેનેડા એ પછી પણ આ મુદ્દાનો છાલ છોડવા તૈયાર નથી. હમણાં કેનેડા તરફથી ભારતને એક ડિપ્લોમેટિક કમ્યુનિકેશનમાં ફરી આક્ષેપ કરાયો કે, નિજજરની હત્યાની તપાસમાં બહાર આવ્યું છે કે, ભારતના હાઈ કમિશનર વર્મા અને અન્ય રાજદ્વારી આ હત્યામાં સામેલ હતા. ભારતે રાજદૂત સંજય કુમાર વર્માનો બચાવ કરતા કહેલું કે, આ આક્ષેપો એકદમ હાસ્યાસ્પદ અને ખોટા છે. સંજય કુમાર વર્મા જાપાન અને સુદાનમાં પણ ભારતના રાજદૂત રહ્યા છે અને તેમની સામે આંગળી ચીંધી શકાય એવું કશું નથી.
કેનેડાએ એ છતાં જૂની રેકર્ડ વગાડવાનું બંધ ના કરતાં અકળાઈને ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં આપણા હાઈ કમિશનર સહિતના અધિકારીઓને ભારત પરત બોલાવવાનો ફેંસલો કરીને આકરા તેવર બતાવ્યા છે. વિદેશ મંત્રાલયે સાફ શબ્દોમાં કહ્યું છે કે, કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર ભારકીય હાઈ કમિશનર અને અન્ય અધિકારીઓની સુરક્ષા અંગે કોઈ ખાતરી આપવા તૈયાર નથી તેથી અમે તેમને પરત બોલાવી રહ્યા છીએ. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સસંદમાં નિવેદન આપેલું કે, હરદીપસિંહ નિજ્જર કેનેડાનો નાગરિક હતો પણ ભારતે કેનેડાની ધરતી પર તેની હત્યા કરાવીને કેનેડાના સાર્વભૌમત્વનો ભંગ કર્યો છે. નિજ્જર કેનેડાનો નાગરિક હતો એ વાત સાથે સહમત થવામાં આપણને કંઈ વાંધો નથી પણ ટ્રુડો કહે છે એમ નિજ્જર સામાન્ય નાગરિક નહોતો. ભારતમાં નિજ્જર સામે હત્યાઓ કરાવવા સહિતના આતંકવાદને લગતા કેસ હતા. નિજ્જર ભારતના ભાગલા કરવાનો હેતુ પાર પડે એ માટે આતંકવાદ ફેલાવતો હતો.
ભારત સરકારે નિજ્જરને આતંકવાદી જાહેર કરીને દસ લાખ રૂૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું. નિજ્જર ભારતના ભાગલા કરવા માગતો હોય ને આપણે બેઠા બેઠા તમાશો જોયા કરીએ, કેનેડાના સાર્વભૌમત્વની ચિંતા કર્યા કરીએ એ શક્ય નથી. દુનિયાનો કોઈ પણ દેશ પોતાની સુરક્ષા સામે ખતરો હોય ને દેશના ટુકડા કરવા માગતો હોય એવા નમૂનાને ઉપર જ પહોંચાડે. ભારતે પણ એ કર્યું તો તેમાં જરાય ખોટું વનથી. ટ્રુડોને કેનેડાના સાર્વભૌમત્વની એટલી જ ચિંતા હતી તો તેમણે નિજ્જરને પહેલાં રોકવાની જરૂૂર હતી. નિજ્જર કેનેડાની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે કરતો હતો એ બંધ કરાવવાની જરૂૂર હતી. તેના બદલે કેનેડા નિજ્જરને છાવરતું હતું ને હવે કેનેડા નિજ્જરની હત્યા બદલ છાજિયાં લે, કેનેડાના સાર્વભૌમત્વની વાતો કરે એ ના ચાલે. ભારત અને કેનેડા બંનેના આર્થિક હિતો પરસ્પર જોડાયેલાં છે તેથી કોઈને પણ એકબીજાને અવગણવા પરવડે નહીં. આ કારણે બહુ જલદી બધું પૂર્વવત થઈ જશે.
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
-
ગુજરાત2 days ago
વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
રાષ્ટ્રીય11 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની