Connect with us

ગુજરાત

આપણે નાગરિક ધર્મ બજાવી જાહેરમાં ગંદકી ન કરીએ: રૂપાલા

Published

on

ગાંધી મ્યુઝિયમ ખાતે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો


રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે 2 જી ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનો જીલ્લા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ સવારે 09:00 કલાકે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, જીલ્લા કલેકટર પ્રભવ જોષી, જીલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, મહિલા મોરચાના મંત્રી, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ, અશ્વિનભાઈ પાંભર, વિનુભાઈ સોરઠીયા, જીતુભાઈ કાટોડીયા, નીતિનભાઈ રામાણી, કંકુબેન ઉધરેજા, રુચીતાબેન જોષી, મધુબેન કુગશીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા, સીટી એન્જી. અતુલ રાવલ, ભાવેશ જીવાણી, આસી. કમિશનર બી.એલ. કાથરોટિયા, પી.એ.ટુ કમિશનર એન.કે. રામાનુજ, પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, વિરલ ચાવડા, પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, સ્વચ્છતા હી સેવા-2024 પખવાડીયા અંતર્ગત મહાનગરપાલિકા તથા જીલ્લા કક્ષાએ યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.


સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આયોજીત રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવેલ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ કે, દેશનું સ્વચ્છતાનું સ્વપ્ન આજ પૂરું થતું જોવા મળે છે. આજ સ્વચ્છ ભારત મિશન યાત્રાને દસ વર્ષ પૂર્ણ થયેલ છે. આ યાત્રા કરોડો ભારતવાસીઓની કટીબધ્ધાતાનું પ્રતિક છે અને કરોડો દેશવાસીઓ આ અભિયાનમાં જોડાયા અને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. આજે દસ વર્ષ નિમિતે હું બધા સફાઈ કર્મચારીઓ, એન.જી.ઓ., સ્વચ્છતાના આગ્રહીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓની સરાહના કરું છું. આ તમામ નાગરિકોએ સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવી દીધું છે. આપણા દેશના રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ-પૂર્વ ઉપરાષ્ટ્રપતિનો પણ આભાર વ્યક્ત કરું કે કારણકે તેમણે પણ સ્વચ્છ ભારત મિશનમાં પોતાનું યોગદાન આપ્યું છે. આજે ભારતનો દરેક નાનામાં નાનો નાગરિક સ્વયં સફાઈ કરે છે. આજે દેશના અલગ-અલગ સ્થળોએ જે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે તેમાં નેતાઓ, નાગરીકો, અધિકારીઓ પણ સ્વચ્છતામાં જોડાયા છે. મને જણાવતા આનંદ થાય છે કે આ સેવા પખવાડિયાના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમો અને સ્વચ્છતા લગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી છે. આજથી આવનારા 1000 વર્ષ પછી પણ સ્વચ્છ ભારત અભિયાનને જરૂૂર યાદ કરવામાં આવશે.


ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવેલ કે, મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારતનું હતું તેને પૂરું કરવાનું બીડું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જડપ્યું છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાનએ અથાગ પ્રયત્નો કર્યા છે. સૌ પ્રથમ વડાપ્રધાનએ દરિયા કાંઠે ઝાડું લઇને સ્વયં સફાઈ કરી ત્યારબાદ તેમણે તંત્રને આ કાર્યમાં જોડ્યા છે.


રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવેલ કે, આજે બાપુનો જન્મદિવસ છે. બાપુને શ્રદ્ધાંજલિ આપવાની વર્ષો જુની પરંપરા છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી બાજુની જન્મ જયંતિ સાથે સ્વચ્છાગ્રહીની શરૂૂઆત કરવામાં આવી છે. સત્યાગ્રહ સાથે સ્વચ્છાગ્રહનો પ્રારંભ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, તા.17-09-2024થી તા.02-10-2024 દરમ્યાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સપનાને સાકાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી સ્વચ્છતા સંબંધી કામગીરી કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજી પોતે સ્વચ્છતાના અનુયાયી હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સ્વચ્છતાના આગ્રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયા ઉજવવાનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પખવાડિયા દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ, મેડીકલ કેમ્પ, વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી છે. આપણે સૌ સાથે મળી સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર, સ્વચ્છ દેશ બનાવીએ.
સ્વચ્છ ભારત દિવસ ઉજવણી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા તથા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.17/09/2024 થી તા.02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયા દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.

રાજકોટ જિલ્લાના વિજેતાઓની યાદી
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ગ્રામ પંચાયત સ્પર્ધા યોજવામાં આવેલ જે અંતર્ગત વિજેતા ગ્રામ પંચાયતના સરપંચની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિજેતા થયેલા ગ્રામ પંચાયતની યાદી જોઈએ તો, રાજસમઢીયાળા, કુવાડવા, અડબાલકા, રંગપર, ખંઢેરી, ભાડવા, ખેરડા, સાંઢવાયા. સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા જીલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા આપવામાં આવી. મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂૂમાલથી સ્વાગત શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવેલ. વિજેતાઓને પ્રમાણપત્ર મંચ પરના મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા તેમજ આ કાર્યક્રમની આભારવિધિ સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવેલ.

ગુજરાત

પુનિત સોસાયટીમાં વેપારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

Published

on

By


શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલા સુતા હનુમાનની બાજુની ગલીમાં પુનિત સોસાયટી નજીક રહેતા મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ જારી રાખી છે.


મળતી વિગતો મુજબ કોઠારિયા રોડ ઉપર સુતા હનુમાનની બાજુની ગલીમાં રામેશ્ર્વર મંદિર પાસે રહેતી પુનમબેન આશિષભાઈ મહેતા નામના 32 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાઈ લેતાં તેમના પરિવાર જોઈ ગયા હતાં અને 108ને ફોન કરતા ઈએમટી આરતીબેન સહિતના સ્ટાફે તેણીને નીચે ઉતારી મૃત જાહેર કરી હતી.


તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ભક્તિનગર પોલીસના સ્ટાફને જાણ કરવામાં આવતા પીેએસઆઈ ગોહિલ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી જઈ કાગળો કર્યા હતાં અને બનાવનું કારણ જાણવા પરિવારની પુછપરછ કરવામાં આવી હતી.


પુનમબેન મહેતાના આપઘાતથી પરિવારમાં શોક છવાયો છે. મહિલાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. તેમજ તેમના પતિ વેપાર કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Continue Reading

ગુજરાત

1000માંથી 600 ઓઇલ મિલરો ભેળસેળ કરે છે!

Published

on

By

આવું જ ચાલુ રહેશે તો બધા ગોડાઉનને સીલ મરાવી દઇશ: ગુજરાત કોટન એસોસિએશનની બેઠકમાં નીતિન પટેલ બગડયા


રાજ્યમાં ઓઇલ મીલરો પર હવે તવાઇ આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મીલો અને તેના માલિકો પર મોટો આરોપ લગાવ્યો છે. નીતિન પટેલનો આરોપ છે કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. જો આવુ જ ચાલુ રહેશે તો હું બધા ગોડાઉનને સીલ કરાવી દઇશ.


લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે, આ વખતે કોઇ રાજકીય નહીં પરંતુ ઓઇલ મીલરો પર નિશાન સાધ્યુ છે.


નીતિન પટેલેજ ઓઇલ મીલરો પર સીધો હુમલો કરતાં કહ્યું કે, રાજ્યમાં ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે.
ગુજરાત કોટન એસો.ની 26મી સામાન્ય સભામાં નીતિન પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. નીતિન પટેલે આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઈલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. કપાસિયા ખોળમાં થતી ભેળસેળને નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યુ છે, તેમને ઓઇલ મીલરોની મીલિભગતનો પર્દાફાશ કર્યો છે. તેમને કહ્યું કે, જાહેરમાં નહીં બોલુ તમે બધા જ જાણો. ઐસે નેહીં ચલેગા, વરના મે ક્યા કરૂૂંગા સમજલો, સરકાર સે સીલ લગવા દુંગા સબ ગોડાઉન કો, ફીર ઈસમે કિસી કી નહીં ચલેંગી, કિસી કો ભી નુકસાન હો એસા ગલત નહીં કરના. લાંબા સમય બાદ નીતિન પટેલના નિવેદન બાદ ફરી એકવાર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી શકે છે.


જો કે, તેલમાં ભેળસેળ એ કોઇ નવી વાત નથી. નીતિનભાઇ સતામાં હતા ત્યારે પણ તેલમાં ભેળસેળ થતી હતી. પરંતુ હવે તેઓ સતામાં નથી ત્યારે બોલવાનો અર્થે લોકો અલગ રીતે કાઢી રહ્યા છે.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડમાં લાઇટ ફિટિંગ કરતો યુવાન 150 ફૂટની ઊંચાઇએથી પટકાતા મોત

Published

on

By

મારવાડી યુનિવર્સિટી આયોજિત બે દિવસીય રાસોત્સવની તૈયારી દરમિયાન લાઇટના ઊભા કરાયેલા પીલોર પરથી પડી જતાં ઘટી ઘટના

રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટી આયોજીત બે દિવસીય રાસોત્સવની તૈયારી ચાલતી હતી ત્યાં મારવાડી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગ કરતો યુવાન લાઇટના ઉભા કરાયેલા પીલોર પરથી અકસ્માતે નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતા રોનક હિતેશભાઈ માકડીયા નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના બે વાગ્યાના અરસામાં મારવાડી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતો ત્યારે લાઈટના ઉભા કરાયેલા પીલોર પરથી અકસ્માતે નીચે ફટકાયો હતો.


ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રોનક માકડીયા બે ભાઈમાં નાનો અને અપરણિત હતો.


રોનક માકડીયા મારવાડીએ યુનિવર્સિટી આયોજિત બે દિવસે રાસોત્સવની તૈયારીના ભાગરૂૂપે મારવાડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગનું કામ રાખ્યું હતું. અને રાત્રીના સમયે ગરબા ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગ કરતો હતો. તે સમયે ઊભા કરાયેલા આશરે 15 ફૂટની ઊંચાઈના લાઈટના પીલોર પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
રાષ્ટ્રીય5 hours ago

ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 5 લોકોના મોત

આંતરરાષ્ટ્રીય5 hours ago

ઇઝરાયલે UNચીફ એન્ટોનિયો ગુટેરેસના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તેમણે ઈરાનના હુમલાની નિંદા કરી નથી

રાષ્ટ્રીય6 hours ago

બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂરગ્રસ્તોની બચાવ કામગીરી દરમિયાન અચાનક પાણીમાં ખાબક્યું, જુઓ VIDEO

આંતરરાષ્ટ્રીય6 hours ago

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

રાષ્ટ્રીય6 hours ago

હજીપણ લોકો બે હજારની રૂા.7,117 કરોડની નોટો છૂપાવીને બેઠા છે

રાષ્ટ્રીય6 hours ago

પંજાબમાં આપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘિંગાણું-ગોળીબાર

રાષ્ટ્રીય6 hours ago

આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં મળશે સારી કવોલિટીનો દારૂ, ગાંધી જયંતિએ જ જાહેરાત

રાષ્ટ્રીય6 hours ago

આધ્યાત્મિક ગુરૂ જગ્ગી વાસુદેવના આશ્રમમાં 150 પોલીસનો કાફલો ત્રાટકયો, સર્ચ ઓપરેશન

આંતરરાષ્ટ્રીય6 hours ago

તેલ અવીવમાં આતંકવાદી હૂમલો,8ના મોત, હૂમલાખોર બે શખ્સો પણ ઠાર

રાષ્ટ્રીય6 hours ago

રેકોર્ડીંગની ના પાડતા મે PM મોદી સાથે વાત કરી ન હતી

ગુજરાત1 day ago

મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું

ક્રાઇમ1 day ago

VIDEO: અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માથું દીવાલ પછાડ્યું, સેકન્ડોમાં 10 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ

ગુજરાત8 hours ago

એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા

રાષ્ટ્રીય2 days ago

શેરબજારની ‘મંગળ’ શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25,900ને પાર

રાષ્ટ્રીય1 day ago

‘મંદિર હોય કે મસ્જીદ, કોઈપણ ધાર્મિક સ્થળ અડચણ ન બની શકે..’ બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટેની ટીપ્પણી

ક્રાઇમ1 day ago

ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું

ગુજરાત1 day ago

રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી

ગુજરાત1 day ago

ગાંધી મ્યુઝિયમ ખાતે કાલે સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ યોજાશે

ક્રાઇમ1 day ago

રૂા.1.5 લાખના આઇફોનના પૈસા ન ચૂકવવા પડે એટલે ડિલિવરી બોયની હત્યા

ગુજરાત1 day ago

રાજકોટ દવા લેવા બહેનના ઘરે આવેલા અરડોઈના યવાનનું મોત

Trending