ગુજરાત
વોટર ક્રેડિટ મેળવવામાં જૂનાગઢનો હસ્નાપુર ડેમ એશિયામાં પ્રથમ
હસ્નાપુર ડેમ પ્રોજેક્ટ થકી 100 વોટર ક્રેડિટના વેચાણથી રૂા. 25 હજારની પ્રારંભિક આવક, 90 લાખની વોટર ક્રેડિટ પણ મેળવી
જૂનાગઢ નગરપાલિકાની પહેલથી વોટર ક્ધઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા સમગ્ર એશિયામાં વોટર ક્રેડિટ મેળવી પ્રથમ નંબરે આવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આમ તો કુદરતી વનસંપદા અને ગરવા ગિરનારને કારણે જૂનાગઢ જગવિખ્યાત છે. ગિરિમાળા વચ્ચે પાણીના અનેક સ્ત્રોત ઉપલબ્ધ છે, જે ગિરનારના કુદરતી સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે. જેમાંનો એક હસ્નાપુર ડેમ કે જે ગિરનારન તળેટીમાં જંગલો વચ્ચે આવેલ છે તેણે પાણીના સ્ત્રોત સાથે વોટર ક્ધઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ પૃરુ પાડ્યું છે.
પાણી એ કુદરતી સ્ત્રોત છે અને જીવનઆવશ્યક પણ ખરું, આવનારા સમયમાં પાણીનું મહત્વ સમજી સમગ્ર વિશ્વ પાણીના સંરક્ષણ અંગે જાગૃત બની છે અને પ્રેરણા પુરી પાડવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ અમલી બનાવ્યા છે. જેમાં યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા એશિયા સ્તરે વોટર ક્રેડીટ વોટર ક્ધઝર્વેશન હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટિંગ,વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,અન્ય એલીજીબલ પ્રોજેક્ટ અમલી બનાવ્યા છે.
જુનાગઢ મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશ ભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે,વોટર ક્ધઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસ્નાપુર ડેમ પ્રોજેક્ટ થકી વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ કરી 9 વર્ષ ના ગાળામાં 90 લાખ વોટર ક્રેડીટ પ્રાપ્ત કરેલ છે.
આ પ્રોજેક્ટ 9 વર્ષ પહેલા શરુ કરવામાં આવેલ છે. 9 વર્ષ પૂર્ણ થતા યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રી સંસ્થા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામમાં વોટર ક્ધઝર્વેશન પ્રોજેક્ટ અંતર્ગત હસ્નાપુર ડેમમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા બદલ 1000 લીટરે એક ક્રેડિટ લેખે વાર્ષિક મહત્તમ 10 લાખ ક્રેડિટના ધારા ધોરણ મુજબ પાછલા નવ વર્ષો સાથે કુલ 90 લાખ ક્રેડિટ જુનાગઢ મહાનગરપાલિકાને મળેલ તેનો ક્લેમ કરવામાં આવેલ, મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા વોટર ક્રેડીટ પ્રોજેક્ટની કામગીરીથી જુનાગઢ શહેરમાં તેમજ આસપાસની અન્ય નગર પાલિકાઓમાં ઉતમ ઉદાહરણ પૂરું પડી શકાય તેમ હોય તથા શહેરીજનોના પાણી પ્રત્યેના અભિગમને બદલાવવા પહેલરૂૂપ કરવા વોટર ક્રેડીટને લગત પ્રોજેક્ટોના અમલીકરણ કરવાનું આયોજન થયુ હતું.તા.04/07/2022ના રોજથી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર ક્રેડીટ સેક્ટર પૈકીના વોટર ક્ધઝર્વેશન સેક્ટરના હસ્નાપુર ડેમ પ્રોજેક્ટને લગતી કામગીરી શરુ કરવામાં આવી હતી.
તા. 30/06/2023ના રોજ જુનાગઢ મહાનગર ાલિકા ખાતે યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ્થા દ્વારા પ્રમાણિત એજન્સી જચઅઈ ઈયિશિંરશભફશિંજ્ઞક્ષ ઙદિ.ં કમિં દ્વારા હસ્નાપુર ડેમનો પ્રોજેક્ટ રીપોર્ટ વેરીફાઈ કરી, નિયમાનુસાર પ્રોજેક્ટના તમામ ટેકનીકલ પ્રમાણો ચકાસી, પ્રોજેક્ટ સ્થળ ખાતે સાઈટ વિઝીટ કરી, ઓડીટ કરી, પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતું. તેમજ જુનાગઢ મહાનગરપાલિકાને એશિયા સ્તરે વોટર ક્રેડીટ મેળવનાર પ્રથમ નંબરની સંસ્થાનું બિરુદ આપવામાં આવ્યુ હતુ.
હસ્નાપુર ડેમ 1961 પહેલા સિંચાઇ વિભાગ હસ્તક હતો. 1961થી મહા નગરપાલિકા(ત્યારે નગરપાલિકા)ને સોપવામાં આવ્યો હતો.
આ અંગે વધુમાં કમિશનર ડો. ઓમ પ્રકાશ દ્વારા વધુમાં જણાવતાં યુનિવર્સલ કાર્બન રજીસ્ટર સંસ્થા દ્વારા જુનાગઢ મહાનગર પાલિકાને વોટર ક્રેડીટ આપવામાં આવેલી, આટલું જ નહીં આ ક્રેડિટને માર્કેટમાં ગ્રીન ઓર્ચીડ વડોદરા સંસ્થા દ્વારા 100 ક્રેડિટ ખરીદ કરી રૂૂ.25,000 નો રોકડ રકમનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો છે.
ભવિષ્યમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોટર ક્રેડિટ પ્રોગ્રામ હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટિંગ,વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ,સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,અન્ય એલીજીબલ પ્રોજેક્ટ જેવા અલગ અલગ પ્રોજેક્ટમાં વધારાની ક્રેડિટ મેળવવા આયોજન કરવામાં આવેલ છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત