ગુજરાત
લૂંટ-ધાડના ગુનાઓમાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
ત્રણ આરોપીઓની ધરપકડ: જયારે અન્ય બાર આરોપીઓના નામ ખુલ્યા: 28 ગુનાઓનો ભેદ ઉકેલતી એલસીબી
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાં અલગ અલગ ગુનાઓ આચરતી કુખ્યાત ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. તેઓની પૂછપરછમાં 28 જેટલા ગુનાઓનો ભેદ ખુલ્યો છે, ઉપરાંત તેઓના અન્ય 12 સાગરીતોના નામો પણ ખુલ્યા છે. પોલીસે કેટલાક મુદ્દા માલ પણ કબજે કર્યો છે.
જામનગરની એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા ફરારી આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત હતા.
દરમ્યાન એલ.સી.બી ના પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ક્રિપાલસિંહ સી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ એન જાડેજા, કિશોરભાઇ પરમાર, કલ્પેશ મૈયડ તથા સાથો સાથે ટેકનીકલ સેલના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર તેમજ હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, ખાનગી રાહે હકિકત મળી હતી કે, જામ સીટી સી ડીવી પો.સ્ટેશન ના ચોરી ના ગુનાના ત્રણ ફરારી આરોપીઓ (1) રાજુ સુમાલસિંગ પંચાલ (2) દિપક સુમાલસિંગ પંચાલ (3) પ્રભુભાઇ જવરસિંગ બધેલ રહે. ત્રણેય ઘોટીયાદેવ તા.કુક્ષી જી-ધાર (મધ્યપ્રદેશ) વાળા લૂંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલાં છે. જે ત્રણેય કાળા કલરની નંબર વગરની અર્ટીગા કાર લઈ જામનગર શહેરમા બેડી બંદર રોડ ઉપર મહાકાળી સર્કલ આગળ કોઇ ગુનાને અંજામ આપવા એકઠા થયેલાં છે, તેવી હકિકત મળતા ન ત્રણેયને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જેઓની પૂછ પરછ માં તેઓના અન્ય 12 સાગરીતો (1) સંજય ભંવરસિંગ પંચાલ રહે. ઘોટીયાદેવગામ તા.કુકશી થાના બાગ જી.ધાર એમ.પી,(2) અનીલ ગુમાનભાઇ મકવાણા રહે, જાહીગામ તા. કુકસી જી ધાર થાના- ટાંડા (એમ.પી),(3) રામસીંગ ઉર્ફે રામુ ઉર્ફે ખાંડે કાલુસીંગ અજનારી રહે. રાતમળીયા તા.જોબટ જી- અલીરાજપુર (જેલમાં),(4) સુખરામ રહે જાહીગામ તા કુકસીજી ધાર થાના ટાંડા,(5) દિનેશભાઇ અલાવા રહે. કાકડવા ગામ તા. કુકસી જી ધાર (એમ.પી, (6) જીતેન્દ્ર રહે.રતલામ (એમ.પી,(7) સંતોષ રહે. જાહીગામ તા.કુકસી જી ધાર થાના ટાંડા (એમ.પી),(8) રાહુલ સજજનભાઇ બધેલ રહે. કદવાલ તા. કુકસી જી ધાર (એમ.પી),(9) વિશાલ મંડલોઇ રહે. કાકડવા તા. કુકસી જી ધાર (એમ.પી),(10) પ્રદિપ (રાહુલનો મિત્ર) રહે એમ.પી રાજય,(11) રાજુ ઉર્ફે કેકડે મંડુભાઈ બધેલ રહે.બડીકદવાલ તા.જોબટ જી.અલીરાજપુર (જેલમાં),(12) લાલુ ઉર્ફે લાલસિંગ ઇન્દ્રસિંગ મંડલોઇ રહે. જાઇ જી ધાર (જેલમાં) વગેરેના નામો ખુલ્યા છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી એક અટીગા કાર, રોકડ રૂૂપીયા 1,06,000, બે મોબાઇલ ફોન સહિત કુલ. 13,16,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેઓ દ્વારા અગાઉ જામનગર શહેર વિસ્તારમાં રણજીતસાગર રોડ સાઈ બાબાના મંદિર પાસે આવેલ સોસાયટી ના બંધ મકાનના તાળા તોડી સોના ચાદીના દાગીના, રોકડની ચોરી કર્યા ની કબૂલાત કરી છે.
ઉપરાંત જામનગર શહેરમાં રણજીસાગર રોડ ઉપર કીર્તીપાન પાસે આશીર્વાદ સોસાયટી ના બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોડકની ચોરી કરી હતી. જામનગર શહેરમાં રણજીસાગર રોડ ઉપર મારૂૂતી રેસીડન્સી માથી સાંઇન મો.સા. નંબર જી.જે.10 ડી.બી 9032 ની ચોરી કર્યું હતું. જામનગર શહેરમાં રણજીસાગર રોડ ઉપર શ્રીનાથજી પાર્ક મારૂૂતી નગર ના પાછળ મકાન ની બહાર પાર્ક કરેલ સીબીઝેડ મો.સા. નંબર જી.જે.10 ડીએફ 9701 ની ચોરી કર્યા ની કબૂલાત આપી છે.
લાખાબાવળગામે, ધાનીશ બંગ્લાના માલીક જાગી જતા માલીકને માથામા ગંભીર ઇજા કરી સોના ના દાગીના રોડક ની લૂંટ ચલાવી હતી. કાલાવડ તાલુકાના નિકાવા ગામે પાન મસાલાની દુકાન ના તાળા તોડી દુકાન માંથી રોકડ ચોરી કરી હતી. જામનગર જીઆઇડીસી સ્વામિનારાયણ ટાઉનશીપના બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ, સાડીઓ, સુટ,લેડીસ પર્સ, ખોટા દાગીના,ધડીયાળ,ની ચોરી કરી હતી. જામનગર જીલ્લાના સિકકા ટીપીએસ કોલોનીમા બંધ મકાનના નકુચા તોડી સોના ચાંદીના તથા રોકડ રૂૂપીયા ચોરી કરી હતી. જામનગર શહેરમાં એરફોર્સ સ્ટેશનની દિવાલ ટપી બંધ મકાનના તાળા નકુચા તોડી સોના ચાંદીના દાગીના. રોકડ રૂૂપીયા તથા બે લેપટોપની ચોરી કરી હતી.
આ ઉપરાંત જામનગર જિલ્લા સેવાય કચ્છ સહિત અનેક સ્થળોએ કુલ 28 જેટલી ચોરી લૂંટફાટ સહિતના ગુનાઓને અંજામ આપ્યા ની કબુલાત આપી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જયારે તેઓના અન્ય સાગરીતોની અટકાયત કરવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો