ગુજરાત
વોર્ડ નં.15માં લોકદરબારમાં મેયરનું અપમાન થતાં ચકચાર
મેયરે ‘માપ’માં રહેવા ટકોર કરવી પડી, ડ્રેનેજ અને સફાઈની સૌથી વધુ ફરિયાદો, કુલ 126 પ્રશ્ર્નો પુછાયા
મેયર તમારે દ્વાર અંતર્ગત આજે વોર્ડ નં. 15માં યોજાયેલા લોકદરબારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રશ્ર્નો પુછવામાં આવેલ પરંતુ પ્રથમ પ્રશ્ર્ન દરમિયાન એક વ્યક્તિએ ન બોલવાના શબ્દોમાં મેયરને સતત પ્રશ્ર્નો પુછતા મેયરનું અપમાન થયું હોય તેવું ચીત્ર ઉપસ્યું હતું. જેની સામે પ્રથમ વખત મેયરે પણ પ્રશ્ર્ન પુછનાર વ્યક્તિને પણ માપમાં રહેવાનું જણાવતા લોકદરબારમાં સોંપો પડી ગયો હતો. ત્યાર બાદ કોંગ્રેસના કોર્પોરેટરોને જ શાસકપક્ષે ડાયસ ઉપર બેસાડતા લોકોના પ્રશ્ર્નના જવાબો પણ કોંગી કોર્પોરેટરોને આપવાની ફરજ પડી હતી. સરવાળે આજના લોકદરબારમાં વધુ માથાકુટ ન થતાં લોકોએ અલગ અલગ પ્રકારના 126 પ્રશ્ર્નો પુછ્યા હતાં. જેનો જવાબ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સંતોષજનક આપવામાં આવ્યો હતો.
પ્રશ્ર્નોતરી દરમિયાન લોકોના પ્રશ્ર્નો પૈકી અમુલ સર્કલ નું તેમજ રિલાયન્સ પંપ વાળી શેરીનું જે પાણી વિજયનગરના વોકળામાં જાય છે આ વિકળા ની બંને સાઈડ આરાધના સોસાયટી તેમજ વિજયનગર સોસાયટી આવેલી છે લગભગ ત્રણથી ચાર ઇંચ વરસાદ પડે તો આ બંને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ જાય છે તો અમારી માંગણી છે કે રિલાયન્સ પંપ પાસેથી વુીક્ષમફશ ના શોરૂૂમ સુધી મોટી પાઇપલાઇન નાખી આવરસાદી પાણી નો નિકાલ આજે નદીમાં કરવા માટેની વિનંતી. આ અમારી અને અમારા વિસ્તારના લોકોને જૂની ફરિયાદ છે અને અમારી જાણ મુજબ આ કામની ગ્રાન્ટ પણ સરકારમાંથી આવી ગઈ છે તો કામ કેમ ચાલુ નથી થતું.
ચુનારા વાડ ચોક થી આજીડેમ સુધી અને હોન્ડાઈના શોરૂૂમથી નેશનલ હાઈવે સુધી ના રોડ છેલ્લા પાંચ થી છ વર્ષ થયા જે હજી સુધીમાં થયેલ નથી આ રોડમાં ફક્ત ચુનારાવાડથી અમુલ સર્કલ સુધી ગંજીવાડા સાહેબનો એક તરફનો ડામર કામ થયેલ છે તો બાકી રહે તો ડામર કરી આપવા અમારી માંગણી છે. રાજકોટમાં આજી નદીના રિવરફ્રન્ટની જાહેરાત લગભગ 12 વર્ષ પહેલા થઈ હતી અને તે નો પ્રથમ સ્ટેજનો હપ્તો 200 કરોડ કોર્પોરેશનમાં જમા પણ થયા હતા તેમાંથી માત્ર ડ્રેનેજની એક લાઈન જ નાખી છે અને તે પણ કાયમ ચોક્ અપ રહે છે તો હવે રિવરફ્રન્ટ ક્યારે બનશે અને આજે નદીમાં આવેલ રામનાથ મહાદેવ આજે શ્રાવણ મહિનો છે ત્યારે ક્યારે બનશે તેની સત્ય વાત કરવા વિનંતી.
અમારા વોર્ડમાં વર્ષો જૂની માંગણી હતી કે ગંજીવાડા ખોડીયાર પરા આંબેડકર નગર નવા થોરાળા આ તમામ વિસ્તારમાં ગંદા પાણીની દરરોજ ફરિયાદો આવે છે જેથી નવી મશ પાઇપલાઇન નાખવાની જે અમારે માંગણી હતી તે કોર્પોરેશનને મંજૂર તો કરી છે પરંતુ ક્યારેય ચાલુ થશે તે જણાવશો અને જો આપ ટેન્ડર બહાર પાડતા હો અને ટેન્ડરમાં કોર્પોરેશનને નુકસાન જતું હોય તો વોર્ડના ઝોન કોન્ટ્રાક્ટર પાસેથી પણ આ કામ કરાવી શકાય છે તો જલ્દીથી કરાવી આપવા અમારી માંગણી છે જેથી કરીને ગંદા પાણીની ફરિયાદો નો નિકાલ થાય લગભગ મશ પાઇપ લાઇન પણ આવી ગઈ છે મેયર હું આ વોર્ડનો કોર્પોરેટર છું મેં આપને મારા વોર્ડના નાના-મોટા 15 કામો કરાવી આપવા માટેની અરજી લેખિતમાં આપેલ છે અને મૌખિકમાં પણ રજૂઆત કરેલ હું આપની પાસે અપેક્ષા રાખો કે આપ જલ્દીથી આ કામો કરાવી આપે હકીકતમાં આપનો લોક દરબાર ભર્યો ગણાશે અને તે સાર્થક પણ ગણાશે.
ઘરમાં નળ ખોલો એટલે દેશી દારૂનો આથો નીકળે છે : સ્થાનિકો
મેયરના લોકદરબારમાં વોર્ડ નં. 15ના રહેવાસીઓએ અલગ અલગ પ્રકારની અનેક ફરિયાદો કરી હતી. પરંતુ એક વ્યક્તિએ એવો આક્ષેપ કર્યો હતો કે, ઘરમાં નળ ખોલો એટલે દેશી દારૂનો આથો નિકલે છે. આ સાંભળીને સૌ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતાં. નળ ખોલો અને ગંદુ પાણી નીકળે આ વાત તો તમે અનેક વખત સાંભળી હશે પરંતુ શું નળ ખોલો અને દારૂૂનો આથો નીકળે એ વાત ક્યારેય સાંભળી છે ખરી? કદાચ તમે કહેશો કે ના. જોકે, રાજકોટમાં મહાનગરપાલિકાના જ એક કાર્યક્રમમાં ગંભીર આક્ષેપ થયા હતા. શહેરના વોર્ડ નંબર 15ના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અધિકારીઓને પદાધિકારીઓ સામે જ જાહેરમાં કહ્યું કે, તેમના વિસ્તારમાં એટલી કથડેલી પરિસ્થિતિ છે કે, બાથરૂૂમમાં જાઓ અને નળ ખોલો તો પાણીના બદલે દારૂૂનો આથો નીકળે છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, રોજ આવતા આવા આથાને કારણે લોકોને નાહવાનું કે તે પાણી વાપરવાનું જ મન નથી થતુ.
મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે
લોકદરબારમાં મહિલાઓએ દારૂની બદી દૂર થાય તેવા પગલા ભરવાની રજૂઆત કરેલ તેમજ આ વિસ્તારમાં મહિલાઓ પણ પોતાની જાતને અસુરક્ષીત સમજે છે એટલું જ નહીં તેમના ઘર બહાર એક મંદિર આવેલું છે. જોકે લોકો જ્યારે આ મંદિરે દર્શન કરવા જાય તો રસ્તામાં જ દેશી દારૂૂની હાટડીઓ પણ આવે છે. જેથી કરીને આ વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજે છે.
દેશી દારૂનું દૂષણ છે જ ખુદ સાગઠિયાનો સ્વીકાર
આજના લોકદરબારમાં અન્ય ફરિયાદોની સાથે આ વિસ્તારમાં દારૂનું દુષણ બેફામ રીતે વધી રહ્યું છે. તેવી લોકોએ રજૂઆત કરતા ડાયેસ ઉપર બેઠેલા વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂૂ વેચાય છે. ખુલ્લેઆમ દેશી દારૂૂ પીવાય છે તેઓએ તો પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ કે, નમારા વોર્ડ સહિત આખા રાજકોટમાં દારૂૂ વેચવાનો ધંધો ચાલુ છે. પોલીસ રેડ પણ પાડે છે પરંતુ આ લોકો એક કલાકમાં ફરીથી ધંધો ચાલુ કરી દે છે. જેનું કારણ છે કે આ લોકોને લીગલી હપ્તા મળતા હોય છે. દારૂૂ બનાવવાનું, વેતવાનું અને પીવાનું બધું જ અહીં ચાલે છે.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત17 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી