ક્રાઇમ
અપૂર્વ રેસિડેન્સીની રૂપિયા 3.45 લાખની ચોરીમાં ટાબરિયો પકડાયો
જામનગરના શરૂૂ સેક્સન રોડ પર ના એક એપાર્ટમેન્ટ ના ફ્લેટમાંથી થોડા દિવસ પહેલા રૂૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના સોનાના ઘરેણા ની ચોરી થવા આપી હતી, આ ગુનાની તપાસ કરતા પોલીસ ટુકડી એ આખરે એક આરોપી ને ઝડપી લઇ ચોરી નો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગર મા શરૂૂ સેક્શન માર્ગે , અપૂર્વ રેસીડેન્સી મા પાંચ માળે રહેતા આશુતોષ સિંહ કુશવાહા નાં ઘરમા કોઈ તસ્કરો એ પ્રવેશી રૂૂમમા રહેલ તીજોરી માથી અલગ અલગ સોનાના દાગીના કુલ વજન 95 ગ્રામ કી.રૂૂ.3,45,000 ચોરી કરી લઈ ગયા હતા.આ અંગે પોલીસ મા ફરિયાદ નોંધાવાઈ હતી, જે ગુન્હો ડીટેક્ટ કરવા માટે પોલીસ ઈન્સપેકટર પી.પી.ઝા ના માર્ગ દર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.
દરમ્યાન ગઈકાલ તા. 8/09/24 ના રોજ ઉપરોક્ત ગુન્હો શોધી કાઢવા સર્વેલન્સ સ્કોર્ડની ટિમ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફ ને ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે અપુર્વ રેશીડેન્શી પાસે બનાવવાળી જગ્યાની આજુ-બાજુ એક ઈસમ શંકાસ્પદ લાગતા જે સી.સી.ટી.વી ફુટેજમા આવેલ તેના વીડીઓ તથા ફોટા પાડી તેની તપાસ કરતાં મજકુર બાવરી હોવાનુ જાણવા મળ્યું હતું.
આથી ખાનગી બાતમીદારો મારફત વધુ તપાસ કરી કરાવતાં ઉપરોક્ત સગીરવય નો ટાબરીયો બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે દીક્જામ સર્કલ પાસે રહેતો હોવાનુ જાણવા મળ્યું હતું.તેના મામા વીક્કી ડાભી જે દીગજામ સર્કલ પાસે રહે છે. તેની પાસે ઉપરોક્ત ગુનાના કામે ચોરી થયેલું સોનુ છે, અને તે સોનુ પોતે વહેચવા નીકળે છે, અને હાલ તે બંશી હોટલ પાસે પુલ નીચે ઉભો છે. જે હકીકતના આધારે તપાસ કરતાં વીક્કી રણછોડભાઈ ડાભી ( ઉ.વ 22 ધંધો મજુરી રહે દીજામ સર્કલ બાવરીવાસ જામનગર) વાળો મળી આવ્યો હતો.
જેની અંગઝડતી કરતા તેના ખીસ્સા માથી એક રૂૂમાલ બાંધેલ પોટલી મળી આવી હતી. જે પોટલી ખોલી જોતા તેમા સોનાના દાગીના જોવામા આવેલાં. જે સોનાના દાગીનાની માલીકી હોવાનુ કોઈ આધાર પૂરાવો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ જે આધારે મજકુરની યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતાં તેનો ભાણેજ ટાબરીયો ઉપરોક્ત સોનુ કોઈના ઘરેથી ચોરી કરેલું છે, તેવુ જણાવી આ સોનુ તેણે આપ્યા નું કબુલ્યું હતું.
પોતે જો વેચવા નીકળશે, તો તેની ઉમર નાની હોવાથી બધા તેને ઓળખી જશે, જેથી આ આ સોનુ મને એકાદ બે દીવસ સાચવી રાખી બાદ આ સોનુ બજારમા વેચી નાખવા માટે આપેલ હતુ. તેવી કબુલાત આપતાં આરોપી પાસેથી ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલાં સોનાના દાગીના કી.રૂૂ. 3,45,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
ક્રાઇમ
ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ
ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.
ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
ક્રાઇમ
અંકલેશ્ર્વરથી રાજકોટ આવતા બે શખ્સો 3156 દારૂની બોટલ સાથે ઝડપાયા
સાયલાના નવા સુદામડા ગામ પાસે પોલીસે બાતમીના આધારે ટ્રકને ઊભી રખાવીને તલાસી લીધી હતી. જેમાંથી 21 દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થા સાથે ટ્રકચાલક અને ક્લિરને ઝડપી લીધા હતા. આ બનાવમાં દારૂૂ અને ટ્રક સહિત કુલ રૂૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. સાયલા પોલીસે નવા સુદામડા ગામ પાસે વોચ રાખી હતી પૂરઝડપે રાજકોટ તરફ જતી ટ્રકને ઊભી રખાવીને પૂછપરછ કરતા તેમાં માલના પાર્સલ હોવાનું વાહનચાલકે જણાવ્યું હતું.
પરંતુ સાયલા પોલીસે ટ્રકની પાછળ માલના પાર્સલની તપાસ હાથ ધરતા પ્લાસ્ટિક કંતાન વીંટાળેલા પાર્સલોમાં વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. ટ્રકચાલકની પૂછપરછ કરતા પોરબંદરવાળા 56 વર્ષના નરેશ કિશન પરમાર અને 10થી વધુ દારૂૂ પીવાના ગુનામાં આરોપી ક્લિનર તરીકે સબીર યુનુસ હાજી માકડા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રક સહિત તમામ મુદ્દામાલ સાયલા પોલીસ સ્ટેશનને લઈ જવાયો હતો.
વિદેશી દારૂૂની તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની 21 વિદેશી દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 3,37,320નો વિદેશી દારૂૂ અને બિયર તેમજ રૂૂપિયા 5 લાખની ટ્રક સહિતનો કુલ રૂૂ. 8,37,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને બંને આ આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ટ્રકચાલક નરેશભાઈ પરમારની પ્રાથમિક તપાસમાં અંકલેશ્વરથી વિદેશી દારૂૂ ભરીને જતો હોવાનું બહાર આવ્યું હતું.
-
રાષ્ટ્રીય1 day ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત21 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત21 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય21 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક19 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે