જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામના પાટીયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે.
જેમાં રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ઠોકર મારી હતી. આ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેને ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સ્થાનિક લોકોએ ધોરીમાર્ગ પર વાહન ચાલકો ઝડપે વાહન ન ચલાવે તે માટે પોલીસને રજૂઆત કરી છે.
