Connect with us

ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદે 4 દિવસમાં 45 લોકોનો ભોગ લીધો

Published

on

હળવદમાં 7, ગોંડલમાં 3, રાજકોટમાં 1, કચ્છમાં 1 વ્યક્તિનું તણાઈ જવાથી મોત, અનેક લોકો ડુબ્યા


ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા ચાર દિવસમાં વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ગુજરાતમાં કુલ 45 લોકોના મોત થયા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે અને છેલ્લા ચાર દિવસમાં ગુજરાતમાં 45 લોકોનો ભોગ લીધો છે. જેમાં રાજકોટ શહેરમાં 1, હળવદમાં 7, ગોંડલમાં 3 તેમજ લીલીયા અને કચ્છમાં 1 વ્યક્તિનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.


ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગત તા.25 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે કુલ 44 લોકોના ભોગ લેવાયા છે. આ મોતનો આંકડો વધે તેવી શકયતા છે. પાણીમાં ડૂબી જવાથી, મકાન કે દિવાલ પડવાથી, ઝાડ પડવાથી, અલગ અલગ 44 લોકોના મોત થયા છે. જેમાં ગત તા.25ના રોજ મોરબીના હળવદમાં પાણીમાં ડૂબી જવાથી ધર્મિષ્ઠાબેન વજુભાઈ પટેલ, 26-8નાં રોજ ગાંધીનગરના કલોલમાં દિવાલ પડવાથી રમજુભાઈ બાબુભાઈ સલાટ તેમજ આર.કે.બાબુભાઈ સલાટનુ મોત થયુ હતુ. 26-8ના રોજ આણદમા ઝાડ પડવાથી સુરજ વિનોદ ચૌહાણનું જ્યારે બોરસદમાં પાણીમાં ડૂબી જવાથી અરૂણભાઈ રાઘવજીભાઈ પટેલ, તારાપુરમાં પૃથ્વીસિંહ ભગરથસિંહ સોલંકીનો ભોગ લેવાયો તેમજ વડોદરાની સાવલીમાં દિવાલ પડવાથી એક યુવાનનું મોત થયું, ખેડાના મહુધાના અભેસિંહ રૂપસિંહ નાયકનું દિવાલ પડવાથી મોત થયું, 27-8નાં રોજ મહિસાગરના લુણાવાડામાં દિવાલ પડવાથી પટેલિયા લક્ષ્મણ શનાભાઈ અને પટેલિયા કૈલાશબેન લક્ષ્મણભાઈનું મોત થયું. તેમજ સાણંદનાં દિલીપ સોમા પૂજક, ખંભાતના ઘનશ્યામ સનાભાઈ ચૌહાણ, સકુબેન ઘનશ્યામભાઈ ચૌહાણ, તુષાર ઘનશ્યામભાઈ ચૌહાણ આમ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા. જ્યારે અમદાવાદના બાવળામાં મેહુલ રાઠોડ, ખેડામાં કાંતાબેન જમતભાઈ ઠાકોરનું તેમજ અરવલ્લીમાં લાલાભાઈ રાજુભાઈ ખાંટનું દિવાલ પડવાથી મોત થયું.

જ્યારે પાણીમાં ડૂબી જવાથી ભરૂચ જંબુસરના મેલાભાઈ વજેસંગ ચરોતર, દાહોદના નરસિંગભાઈ નાનકાભાઈ પરમાર, દાહોદના લીમખેડાના રૂપસિંગભાઈ મગનભાઈ નિનામા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ધનજીભાઈ છગરામભાઈ અખયાણી, ધ્રાંગધ્રાના વિઠલાપરા મેરાભાઈ દાનાભાઈ, ડાંગ આહવાના એલ્યાભાઈ ગુલાબભાઈ ધળેનું અને પંચમહાલના રમેશભાઈ ગોવિંદભાઈ રાઠવાનું મોત થયું હતું. તેમજ જામનગરના ધ્રોલના રાજેશ લવજી પેઢડીયાનું ડૂબી જવાથી, અમદાવાદ મણીનગરના રાજકુમાર શ્યામલાલ અને ધોળકાના ભાવેશ મકવાણાનું મોત થયું જ્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ઝાડ પડવાથી ભીખલીબાઈ કુકારામ બામણીયાનું મોત થયું હતું.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો બાબરા તાલુકાના રાયપર ગામના જયેશભાઈ પરસોતમભાઈ રાદડિયા તેમના પત્ની સોનલબેન અને 11 વર્ષનો પુત્ર ધર્મેશ ઈકો કારમાં ગોંડલના કોલપરી નદી ઉપરથી પસાર થતાં હતાં ત્યારે પાણીના પ્રવાહમાં ઈકો કાર તણાઈ જતાં દંપતિ અને માસુમ પુત્રનું મોત થયું હતું. જ્યારે અમરેલીના કાકચ ગામના શિક્ષક દંપતિ વરસાદી વાતાવરણ વચ્ચે બાઈક લઈને જતાં હતાં ત્યારે પાણી ભરેલા ખાડામાં બાઈક સ્લીપ થતાં ડૂબી જવાથી શિક્ષક દંપતિ ખંડીત થયું હતું અને પત્નીનું મોત થયું હતું. જ્યારે પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કચ્છના ભૂજ પાસે બનેલા બનાવમાં કચ્છના ક્ષત્રિય સમાજનાં પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડના પુત્ર ભૂપેન્દ્રસિંહની થાર કાર ખાખરાથી ભૂજ જતી વખતે ફરાતી રામણીયા વચ્ચે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ રાઠોડનું મોત થયું હતું. તેમજ નક્ષત્રાણાના વડવા કાંયા ગામની આશાપુરા નદીમાં સોમવારે બે ખેત મજુર પાણીના પ્રવાહમાં તણાયા હતાં.

જેમાં 32 વર્ષિય ઠાકોરભાઈ રવજીભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે તેના સાથી કનુભાઈ ફુલાભાઈની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટના જેતપુરના રૂપાવટી ગામે ફુલઝર નદીમાં તણાઈ જવાથી પિયુષ સાદીયા નામના 27 વર્ષના યુવાનનું મોત થયું હતું. જ્યારે જામજોધપુરમાં જીણાવારી ગામના પરબત રામા પાથર (ઉ.53) પાણીમાં તણાઈ જવાથી મોતને ભેટયા હતાં.


હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે એકની શોધખોળ શરૂ કરાઈ છે. ઢવાણા ગામે રવિવારે નદીમાં ટ્રેકટર પલટી ખાઈ ગયું હતું. આ ટ્રેકમાં કુલ 17 લોકો પાણીમાં તણાયા હતાં. જેમાં 9 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જ્યારે સાત લોકોના મૃતદેહ મળી આવ્યા હતાં. જેમાં સુરેન્દ્રનગર જોરાવરનગરના અશ્ર્વિનભાઈ રાઠોડ, ઢવાણાના આશિષ સુરેશ બારોટ, રાજુબેન ગણપતભાઈ બારોટ, વિજય સુરેશ બારોટ, પાટડીના જીનલ મહેશ બારોટ, ઢવાણાના ગીતાબેન સુરેશભાઈ રાઠોડ, જાન્કીબેન પ્રવિણભાઈ મકવાણા અને રામદેવ પ્રવિણ મકવાણાના મૃતદેહ મળી આવ્યા હતાં. હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો નથી જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ચાર દિવસમાં 2000 લોકોનું રેસ્કયૂ અને 17000 લોકોનું સ્થળાંતર
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ અને પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ગુજરાતને રાહત મળવાની આશા નથી, હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સતત પાંચમાં દિવસે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યોછે. છેલ્લા ચાર દિવસમાં લગભગ 17,800 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેમજ એનડીઆરએફ તથા એસ ડી આર એફ સહિતની એજન્સીઓ દ્વારા વિવિધ સ્થળે ફસાયેલા 2000 જેટલા લોકોને બચાવી લેવાયા હતાં.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત10 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય10 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending