આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશમાં હિંદુઓની માફી માગતી સરકાર
તોફાનીઓને શસ્ત્રો જમા કરાવવા 19મી સુધીની મહેતલ, મંદિરો- મકાનોના વળતર અને બાંધકામ માટે આર્થિક મદદની જાહેરાત
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અને મંદિરોની તોડફોડ માટે નવી સરકારે માફી માંગી છે. ગૃહ મંત્રાલયના વડા બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) મુહમ્મદ સખાવત હુસૈને જણાવ્યું હતું કે સરકાર ગયા અઠવાડિયે થયેલી હિંસા માટે ખેદ વ્યક્ત કરે છે જેમાં હિંદુઓ પર ઘણી જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા. આ હિંસામાં જે લોકોને નુકસાન થયું છે અને જે મંદિરો તોડી પાડવામાં આવ્યા છે અથવા સળગાવી દેવામાં આવ્યા છે તેમના વળતર અને બાંધકામ માટે સરકાર આર્થિક મદદ કરશે.
વચગાળાના વડા પ્રધાન મુહમ્મદ યુનુસ મંગળવારે હિંસાથી પ્રભાવિત સમુદાયના અગ્રણી લોકોને મળશે. તેમણે લઘુમતીઓને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી પણ આપી છે. નોંધનીય છે કે યુનુસને તેમના અભિનંદન સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદુઓ પરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને રોકવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
બાંગ્લાદેશમાં 4, 5 અને 6 ઓગસ્ટના રોજ વડા પ્રધાન પદેથી શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને ભારે હિંસા થઈ હતી. આ હિંસામાં સરકારી ઈમારતો ઉપરાંત ગુંડા તત્વોના નિશાના પર અવામી લીગના નેતાઓ અને હિન્દુઓ હતા. આ સમયગાળા દરમિયાન, હિંદુઓના ઘરો, વેપારી સંસ્થાઓ અને મંદિરો પર મોટા પાયે હુમલા થયા હતા. આ હુમલાઓમાં બે લોકોના મોત થયા હતા અને 45 લોકો ઘાયલ થયા હતા. સમગ્ર વિશ્વમાં આ હુમલાની નિંદા કરવામાં આવી છે.
સખાવત હુસૈને જણાવ્યું હતું કે સરકાર દ્વારા જન્માષ્ટમી, દુર્ગા પૂજા અને અન્ય તહેવારો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને તમામ કાર્યક્રમોનું ઉત્સાહપૂર્વક આયોજન કરી શકાય. સરકાર લઘુમતીઓના રક્ષણમાં કોઈ કસર છોડશે નહીં.
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ધાર્મિક બાબતોનું મંત્રાલય સંભાળી રહેલા અઋખ ખાલિદ હુસૈને કહ્યું છે કે વર્તમાન સરકાર દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દની તરફેણમાં છે અને લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરે છે. લઘુમતીઓ પર હુમલો કરનારા ગુંડા તત્વો હતા અને સરકાર તેમની સામે કાર્યવાહી કરશે.
દરમિયાન પોલીસકર્મીઓએ હડતાળ ખતમ કરીને ફરજ પર પરત ફરવાની જાહેરાત કરી છે. જેના કારણે જાહેર સ્થળો પર તૈનાત સેના બેરેકમાં પરત ફરી ગઈ છે. સોમવારે, બાંગ્લાદેશ બેંકના વધુ બે ડેપ્યુટી ગવર્નરો અને નાણાકીય ગુપ્તચર એકમના વડાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. આ સિવાય બાંગ્લાદેશ બેંકના એક સલાહકારે પણ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બેંક ગવર્નર અબ્દુર રઉફ તાલુકદરે શુક્રવારે રાજીનામું આપી દીધું હતું.
બાંગ્લાદેશ સરકારે તમામ દેખાવકારોને તેમના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા કહ્યું છે. વચગાળાની સરકારમાં ગૃહ મંત્રાલયના પ્રભારી સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈને આંદોલન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અને લૂંટેલા તમામ શસ્ત્રો 19 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવા જણાવ્યું છે. આમાંથી ઘણા હથિયારો પોલીસ સ્ટેશનો અને પોલીસકર્મીઓના શસ્ત્રાગારમાંથી લૂંટી લેવામાં આવ્યા છે.
હુસૈને કહ્યું છે કે જો 19 ઓગસ્ટ સુધીમાં નજીકના પોલીસ સ્ટેશનમાં હથિયારો જમા કરાવવામાં નહીં આવે તો સરકાર સર્ચ ઓપરેશન શરૂૂ કરશે અને શસ્ત્રો કબજે કરવામાં આવેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય
પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ
અમેરિકાની એક અદાલતે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં ભારત સરકારને સમન્સ મોકલયું છે. ન્યૂયોર્કના દક્ષિણી જિલ્લાની જિલ્લા અદાલતે આ સમન્સ ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પર જારી કર્યા છે. આ સમન્સમાં તમામ પક્ષકારોને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ પર ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકી કોર્ટના સમન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ચિંતાજનક ગણાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘આ મામલો સંપૂર્ણપણે અયોગ્ય અને સરકારની નીતિ વિરુદ્ધ છે. અમે આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. ઉચ્ચ સ્તરીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે અને તમામ પાસાઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, ‘આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. આ કેસ કોઈપણ રીતે અમારો અભિપ્રાય બદલશે નહીં. આ કેસ દાખલ કરનાર વ્યક્તિ ગેરકાયદેસર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ મુદ્દો પહેલીવાર અમારા ધ્યાન પર આવ્યો ત્યારે અમે પગલાં લીધાં. પન્નુ, કટ્ટરપંથી શીખ્સ ફોર જસ્ટિસના વડા, ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો અને ધમકીઓ આપવા માટે જાણીતા છે.
કઈ કોર્ટમાં કેસ છે?
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ વિવાદ વચ્ચે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે આ બાબતથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.
શું છે મામલો?
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં અમેરિકન કોર્ટે ભારતને સમન્સ જારી કર્યું છે. આ સમન્સમાં ભારત સરકાર સહિત અનેક અગ્રણી ભારતીય અધિકારીઓના નામ સામેલ છે. ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના આરોપમાં યુએસ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાના નામ પણ છે. મહત્વની વાત એ છે કે આ તમામને 21 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI
ઇરાને આરોપને ફગાવી પુરાવા જાહેર કરવા કહ્યું
અમેરિકી પ્રમુખની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કટ્ટર મુકાબલો ચાલી રહ્યો છે. બંને વચ્ચેની છેલ્લી અને પહેલી ડિબેટ ભલે કમલા હેરિસ જીતી ગઈ હોય, પરંતુ ટ્રમ્પે હજુ સુધી પોતાની હાર સ્વીકારી નથી. તેઓ સતત અમેરિકામાં નવી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે.
આ દરમિયાન અમેરિકન ગુપ્તચર એજન્સી એફબીઆઇના દાવાએ હલચલ મચાવી દીધી છે. એજન્સી અનુસાર, ઈરાની સાયબર હેકર્સએ જો બાઈડનની ટીમને ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનમાંથી ચોરાયેલી બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી.
ઞજ ઇન્ટેલિજન્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓએ જણાવ્યું હતું કે, હેકર્સે પ્રમુખ બાઈડનની ઝુંબેશ સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઇમેલ્સ મોકલ્યા હતા જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પના અભિયાનમાંથી ચોરાયેલી બિન-જાહેર સામગ્રીના ભાગ હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયે બાઈડને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર હતા, પરંતુ જુલાઈમાં ખૂબ જ નાટકીય રીતે તેમણે ઉમેદવારી સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી અને કમલા હેરિસના નામને મંજૂરી આપી હતી.
એક નિવેદનમાં કહ્યું છે કે, જુલાઈમાં પ્રમુખ જો બાઈડનની કેમ્પેઇન ટીમ સાથે જોડાયેલા લોકોને એક અનઇચ્છનીય ઈ-મેલ મળ્યો હતો, જેમાં ઈરાની હેકર્સે ટ્રમ્પના કેમ્પેઇન સાથે સંબંધિત બિન-જાહેર ઓનલાઈન સામગ્રી મોકલી હતી. જો કે, બાઈડનની ટીમે તે ઈમેલનો જવાબ આપ્યો ન હતો. ઓગસ્ટમાં, એજન્સીએ હેક માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું અને તેહરાન પર 2024ની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા હતા.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ