ગુજરાત
ગોંડલ નાગરિક બેંકમાં ક્યાંય દાગ નહીં લાગે: જયરાજસિંહ જાડેજા
આધુનિક સુવિધા સાથે નવું બિલ્ડિંગ બનાવવાની જાહેરાત, યતિશ દેસાઇ સહિતના વિરોધીઓ પર આક્રરા પ્રહારો
ગોંડલ નાગરિક બેંક ની ચુંટણીમાં વિપક્ષ ને ઘોર પરાજ્ય આપી ભાજપ પ્રેરીત પેનલ નો ધીંગો વિજય થયા બાદ રાત્રે ઉદ્યોગભારતી અયોધ્યા ચોક ખાતે ભાજપ દ્વારા વિજય સભાનું આયોજન કરાયુ હતુ.તેમાં જેના નૈતૃત્વ હેઠળ ચુંટણી લડાઇ તેવા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ સભાસદો નો હાથ જોડી આભાર માન્યા બાદ જેમની પેનલ સહિત કારમી હાર થઇ છે તેવા યતિષભાઈ દેસાઈ ને સવાલ કર્યો કે તમે જાહેરસભા માં પડકાર કરેલો કે હારી જઇશ તો ચુંટણી લડીશ નહી,હવે હારી ગયાછો તો ચુંટણી લડાય ખરી?એક સિનિયર આગેવાન તરીકે સલાહ આપુ છુ કે આવા ચુકાદા પછી કોઈ પણ ચુંટણી લડવી જોઈએ નહી.જયરાજસિહે કહ્યુ કે ગણેશ ને ચુંટણી લડવા નો મારો કોઈ આગ્રહ નહતો,દરેક સમાજ માંથી ગણેશ ને ચુંટણી લડાવવાની વાત આવી.બસ આ વાતે યતિષ ને દુખાવો થયો.
તેમણે કેટલીક યુટ્યુબ ચેનલો તેમના પરીવાર ને ટાર્ગેટ કરી રહી હોવા અંગે રોષ સાથે નારાજગી વ્યક્ત કરી કહ્યુ કે આ ચેનલો એવુ કહે કે ગણેશ જેલ માં દાંત કેમ કાઢે છે ? ભલા માણસ, દાંત નહી કાઢવા એવો કોઈ કાયદો છે ખરો? મને સારો કે ખરાબ કહેવાનો અધિકાર ગોંડલ ને છે.મારુ પ્રમાણપત્ર આપનારા તમે કોણ?
નાગરિક બેંક નાં પરીણામ દ્વારા આવી ચેનલો ને ગોંડલ નાં મતદારોએ જવાબ આપી દીધો છે.
જયરાજસિહે કહ્યુ કે આધુનિક અને સુવિધાઓ સાથે બેંક નુ નવુ બિલ્ડીંગ બનશે.તેમણે કહ્યુ કે સભાસદો એ અશોકભાઈ પીપળીયા ની નીતીમતા અને સુદ્રઢ વહીવટ ને મત આપ્યા છે.ત્યારે સભાસદો નાં વિશ્ર્વાસ ને ક્યારેય દાગ નહી લાગે.
નગરપાલિકાનાં કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ તેજાબી વ્યક્ત્વ્ય માં યતિષભાઈ દેસાઈ ને આડે હાથ લઈ કહ્યુ કે તેમનુ કામ ચોમાસા ની રુતુ ની જીવાત જેવુ છે.જ્યાંરે ચુંટણીઓ આવે આ જીવાત આવી જાય.ગણેશભાઈ ની કોરોનાકાળ,પુરગ્રસ્ત સ્થિતી સમયની સેવાઓ લોકો ભુલ્યા નથી પણ તે યતિષભાઈ ને ખબર નથી ! યતિષભાઈ ખોટી રીતે વિરોધ કરવા ટેવાયેલા છે.સો વર્ષ જુના રાજાશાહી વખત નાં ભગાબાપુ નાં બન્ને પુલ ને હજુ સો વર્ષ સુધી કંઈ થાય તેમ નથી.તેમ છતા કોર્ટ ને ગુમરાહ કરી પુલ બંધ કરાવી ગોંડલ ને બાન માં લીધુ છે.પુલ બંધ થતા મમરા,સિમેન્ટ સહિત ઉધ્યોગ ને ભારે ફટકો પડ્યો છે.તેમણે કહ્યુ કે ગોંડલ નાં હીત માં યતિષભાઈ એ હમેંશા અવરોધ નાખ્યા છે.બેંક નો ચુકાદો તેની ગવાહી છે.
નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ મનસુખભાઇ સખીયા એ કહ્યુ કે યતિષભાઈ માં નૈતિકતા જેવુ જરા પણ હોય તો આ નાલેશી સ્વીકારવી જોઈએ. યતિષભાઈ એ બેંક ના તેમના સાશન સમયે બેંક ને ખોતરી ખાધી હતી.તે પછી અશોકભાઈ પીપળીયાએ કરેલા પ્રજાલક્ષી વહીવટ ને મતદારો એ સ્વિકાર્યો છે.બેંક ના ડીરેકટર ઓમદેવસિંહ જાડેજાએ ટકોર કરી કે યતિષભાઈ એ નેગેટિવ રાજનીતી દાખવી છે.પ્રજા માટે પોઝીટીવ રાજનીતી દાખવવાની હોય. મુસ્લિમ સમાજ નાં આગેવાન ફતેહમહમદ નુરસુમારે શાયરાના અંદાજ માં વિપક્ષ ની હાર ને છેલ્લો જનાજો ગણાવ્યો હતો.વરીષ્ઠ આગેવાન કનકસિંહ જાડેજાએ કહ્યુ કે નાગરિક બેંક રોજી રોટી આપનારી બેંક છે.તેના પર કાદવ ઉછાળવો યોગ્ય નથી.અશોકભાઈ એ બેંક માં વિકાસ નો ઇતિહાસ રચ્યો છે.
વિજયસભા માં ઉપસ્થિત જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ કહ્યુ કે બેંક ની ચુંટણી માં ઈમાનદારી નો વિજય થયો છે.ગોંડલ ના આન,બાન અને શાન નુ રક્ષણ જયરાજસિહ કરેછે.કોઈ લુખ્ખાઓ હાની પંહોચાડે તો તેને સીધાદોર કરવા નું કામ પણ જયરાજસિહ જાડેજા કરેછે. વિજય સભા માં ચેરમેન અશોકભાઈ પીપળીયા સહિત વિજેતા ઉમેદવારો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય10 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો