ગુજરાત
નાણાવટી ચોક પાસે ટોળકીનો આતંક: મકાન પર ર્ક્યો પથ્થર મારો
સોસાયટીમાં પાલતું શ્ર્વાનને દોડાવવા અને ઘર પાસે મિત્રોને બેસાડતા નામચીન બૂટલેગરને ટપારતા મામલો બિચક્યો
રાયોટિંગ, મારામારી અને મદદગારી સહિતની ક્લમ હેઠળ 10 શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરના નાણાવટી ચોક પાસે આવેલા સરકારી આવાસ યોજનાના ક્વાર્ટરમાં નામચીન બુટલેગર સહિત 10 શખ્સોએ ગઇકાલે આંતક મચાવ્યો હતો અને એક મહિલાના મકાનમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. પથ્થરમારો કરતા મહિલાને ઇજા પહોંચી હતી. આરોપી બુટલેગર સોસાયટીમાં પાલતુ શ્ર્વાન દોડાવતો હોય તેમજ સોસાયટીમાં ઘર પાસે તેમના મિત્રોને બેસાડી ગાળો બોલતો હોય જેથી મહિલાએ તેમને અહીં ટોળે વળી મિત્રોને બેસાડવાની ના પાડતા બુટલેગર અને તેમના મિત્રો ઉશ્કેરાયા હતા અને પ્રાણઘાતક હથિયારો લઇ રીતસરનો આંતક મચાવ્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં બુટલેગર સહિત 10 શખ્સો વિરુદ્ધ રાયોટિંગ સહિતની ક્લમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવ મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે આવેલા આવાસ યોજનાના ક્વાર્ટર નં.644માં રહેતા ભાવીનીબેન શૈલેસભાઇ ઝાલાએ પોતાની ફરિયાદમાં તેમના ઘર નજીક રહેતા જયુ અતુલભાઇ મકવાણા, રાજ અતુલભાઇ લુણીયાતર, અંશ અતુલ લુણીયાતર, શક્તિ (રહે.લક્ષ્મીના ઠોરે), મિતલબેન અતુલભાઇ લુણીયાતર, નૈયનાબેન જયુભાઇ લુણીયાતર, પાર્થ ઉર્ફે ખીસ્કોલી, પ્રકાશ રમેશભાઇ મકવાણા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાયોટિંગ, મારામારી, મદદગારી અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં ફરિયાદી ભાવીનીબેને ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમના પતિ કડિયા કામ કરે છે.
ગઇકાલે રાત્રીના સમયે પોણા અગ્યાર વાગ્યે પોતાના ઘરમાં બેઠા હતા ત્યારે તેમના ઘર પાસે શેરીમાં રહેતો જયુ મકવાણા તેમજ તેમના મિત્રો રાજ, અંશ અને શક્તિ ત્યાં ઘર પાસે બાઇક પર બેઠા હતા. અને ભાવીનીબેનના મકાન સામે જોયા કરતા હતા. તેમજ બિભત્સ શબ્દો બોલતા હતા. જેથી મહિલાએ ત્યાં પહોંચી કહ્યું કે, આપડે ગઇકાલે સમાધાન થઇ ગયુ છતા અહીં ઘર પાસે ટોળે વળીને કેમ બેઠા છો જેથી આરોપી જયુ ઉશ્કેરાઇ ગયો અને ગાળો બોલી ભાવીનીબેનને મારવા દોડ્યો હતો.
આ બનાવમાં શક્તિના હાથમાં ધોકો હતો. જેમણે એક ઘા ઝીંક્તા મહિલાને ઇજા થઇ હતી. ત્યાર બાદ જયુ, રાજ અને અંશએ પથ્થરનો ઘા કરતા મહિલાના મકાનની બારીમાં નુક્શાન થયુ હતું. ત્યારબાદ આરોપીઓએ મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી અને કહ્યું હતુ કે, ‘તારો પુત્ર ન સચવ્યા તો અમે મારી નાખીશું’ ત્યાર બાદ આરોપીઓએ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યાર બાદ મહિલાએ 100 નંબરમાં ફોન કરી પોલીસ બોલાવતા પોલીસ આવે તે પહેલા જ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મહિલાએ જણાવ્યું હતુ કે, આ મામલે ગઇકાલે જયુ મકવાણા સોસાયટીમાં પોતાનું પાલતુ શ્ર્વાન દોડવતો હોય. જેની ઉપર પુત્ર પૃથ્વીરાજ પડતા મહિલાએ જયુને શ્ર્વાનને બાંધી રાખવાનું કહ્યું હતુ. જેથી બન્ને પક્ષે બોલાચાલી થઇ હતી. ત્યારે જયુ પાસે છરી હતી અને રાજ અને અંશ પાસે કુહાડી હતી અને રાજના માતા તેમજ જયુના પત્ની ગળુ બોલતા હતા. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત ર્ક્યા હતા.
આ ઘટના બની ત્યારે પણ પોલીસ વાન બોલાવી હતી. ત્યારે બધા એક જ સોસાયટીમાં રહેતા હોય જેથી ભાવિનીબેનના જેઠે આ મામલે સમાધાન કરાવ્યું હતું. તેમ છતા ગઇકાલે રાત્રે ફરી માથાકૂટ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાતા પીએસઆઇ ડી.આર.રત્નુ અને સ્ટાફ દ્વારા દસ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
હુમલાખોર જયુ નામચીન બૂટલેગર, અવાર-નવાર વિસ્તારમાં માથાકૂટ કરે છે: ફરિયાદીનો આક્ષેપ
નાણાવટી ચોક પાસેના આવાસ ક્વાર્ટરમાં મહિલના મકાન પર પથ્થરમારો કરનાર જયુ મકવાણા અને તેની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ તપાસમાં જણાવવા મળ્યું હતુ કે, આરોપી જયુ મકવાણા દારૂનો ધંધાર્થી છે અને પોલીસે થોડા દિવસો પહેલા જયુનો વિદેશી દારૂનો જથ્થો ઘોડાના તબેલામાંથી કબ્જે ર્ક્યો હતો. ત્યારે જયુનું નામ ખૂલ્યું હતું. આ ઘટનામાં ફરિયાદી ભાવિનીબેનના પતિ શૈલેસભાઇ આક્ષેપ ર્ક્યો હતો કે, આરોપી જયુ ક્વાર્ટરમાં દારૂ વેચતો હોય તેમજ અહીં જ દારૂની મહેફીલ માણી તેમના મિત્રો અહીં અવાર-નવાર જાહેરમાં ડીંગલ કરતા હોય છે. જેનાથી વિસ્તારવાસીઓ ત્રાસી ગયા છે. પોલીસ પણ ક્યાં કરી નહીં લે તેવી આ જયુ વિસ્તારના લોકોને ધમકી આપતો હોય છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ