શુક્રવારે સાંજે ચુરુ જિલ્લાના સેન્ડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેલર અને એસયુવી વચ્ચે સામસામે ટક્કરમાં પાંચ લોકોના મોત અને ત્રણ ગંભીર ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે એસયુવીમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.
સેન્ડવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ચૌથમલે જણાવ્યું હતું કે એસયુવીમાં સવાર લોકો પારિવારિક વિવાદ ઉકેલવા માટે સેન્ડવા આવ્યા હતા. કાઉન્સેલિંગ પછી, બધા લાલગઢ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. ટક્કરમાં વાહનને ભારે નુકસાન થયું હતું.
મૃતકોની ઓળખ ઉમેદ સિંહ (55), પ્રહલાદ સિંહ (35), અને દલીપ સિંહ (25), બધા લાલગઢના રહેવાસી, રાજુ કંવર (40), શ્યામસર (નાગૌર) ના રહેવાસી અને નારાયણ રામ (60) તરીકે થઈ છે. બીકાનેરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નારાયણ રામનું મૃત્યુ થયું. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ લોકોને શરૂૂઆતમાં સેન્ડવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી તેમને બિકાનેર રિફર કરવામાં આવ્યા હતા.
