ગુજરાત
આખરે મેઘરાજા ધીમા પડ્યા; જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ
આજે સંભવિત ચક્રવાત સાથેના વાવાઝોડાની તૈયારીના ભાગરૂૂપે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સુસજ્જ
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધીંગી મેઘસવારી જોવા મળી રહી છે, પરંતુ તેમાં આજે થોડી બ્રેક લાગી છે, અને મેઘરાજા ધીમા પડ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં અડધા થી દોઢ ઇંચ વરસાદ પડયો છે. જોકે પડાણા અને મોટા ખડબામાં ત્રણેય વરસાદ પડી ગયો છે. સાથે સાથે પ્રતિ કલાકના 40 થી 50 કિ.મી ની ઝડપે તોફાની પવન પણ ફૂકાઈ રહયો છે. આજે તોફાની ચકરા વાતને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું હતું, અને ધીંગી મેઘસવારી જોવા મળી હતી. સમગ્ર જિલ્લાના તમામ ડેમ ફરી છલકાયા હતા, અને કેટલાક જળાશયોમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે મેઘ સવારી થંભી છે. અને મેઘરાજા ધીમા પડ્યા છે. લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મોટાભાગના શહેર તથા અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પણ લોકો રાહત અનુભવી રહ્યા છે, અને રાહત શિબિરમાંથી પોતાના ઘર તરફ વળ્યા છે. અને સાફ-સફાઈના કાર્યમાં લાગી ગયા છે.
ગઈકાલે સવારે 6.00 વાગ્યાથી આજે સવારે 6.00 વાગ્યા સુધી ના 24 કલાકના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે જોડિયામાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તે જ રીતે ધ્રોલમાં- કાલાવડ- લાલપુર અને જામજોધપુરમાં અડધા થી 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
વરસાદની સાથે સાથે પવનની તીવ્રતામાં વધારો થયો છે, અને પ્રતિ કલાકના 40 થી 50 કિ.મી ઝડપે પવન ફૂંકાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ચક્રાવાતી પવન ફુકાવાની આગાહી કરવામાં આવી હકોવાથી જામનગર જિલ્લા નું વહીવટી તંત્ર સજાગ બન્યું છે. સાથે સાથે લોકોને પણ સલામત સ્થળે સચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
તરસાઈ ગામમાં 74 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા
પોરબંદરના રાણાવાવ તાલુકાના ફોદારા ડેમ પર પાણીનું સ્તર વધી જવાના કારણે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં મધ્યરાત્રિના સમયે પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરના કારણે ગામના નીચાણવાળા વિસ્તારો અને વાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં 74 લોકો ફસાયા હતા.
જામજોધપુર તાલુકા પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોને તરસાઈ ક્ધયા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. તાલુકા પોલીસ તંત્ર દ્વારા પણ ફૂડ પેકેટ, પાણીની બોટલ અને દવાઓ પૂરી પાડવામાં આવી છે.
વિજતાર પર ફસાયેલા વૃક્ષની ડાળી દૂર કરાઇ
જામનગર શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળ્યું છે. તેમાં સૌથી વધુ કસોટી વિજ તંત્રની થઈ છે. અનેક સ્થળો પર ઝાડની ડાળીઓ પડવાના કારણે અથવા તો ભારે પવનને લઈને વીજવાયરો તૂટ્યા છે, ત્યારે એક ઝાડની ડાળી સુભાષ બ્રિજ પાસેથી પસાર થતા વિજ તારમાં અટવાઈ પડી હતી. જેને દૂર કરવા માટે વિજ તંત્રના કાબીલેદાદ કર્મીઓ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. પાણી ધસમસતા પાણીના પ્રવાહમાં બકેટમાં લટકીને ઝાડ ની ડાળી ને દૂર કરી લીધી હતી.
ભારે વરસાદ બાદ પીજીવી સીએલનું તંત્ર કામગીરીમાં જોડાયું
જામનગર જિલ્લામાં થયેલા અચાનક ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ અચાનક બનેલી પરિસ્થિતિમાં પીજીવીસીએલનું તંત્ર તાત્કાલિક કામગીરીમાં જોડાયું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે વીજ પોલ તૂટી પડવા, ટ્રાન્સફોર્મર બળી જવા જેવી ઘટનાઓ બની હતી. જેના કારણે હજારો ગ્રાહકો વીજળી વિહોણા બની ગયા હતા. આ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને પીજીવીસીએલના કર્મચારીઓએ રાત્રિના અંધારામાં પણ મરમ્મત કાર્ય શરૂૂ કર્યું છે. પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરએ જણાવ્યું હતું કે, અમે આવી કટોકટીની પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમારા તમામ કર્મચારીઓને આપાતકાલીન કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. અમે શક્ય તેટલી જલ્દી વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
અવિભાજ્ય સ્કૂલ પાસે દિવાલ ધસી પડી
જામનગર શહેરમાં આવેલી અવિભાજ્ય સ્કૂલ પાસે આવેલું પ્રખ્યાત નીકલકંઠ મહાદેવ મંદિરની બાજુની દિવાલ આજે (તારીખ) સવારના સમયે અચાનક ધસી પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાલ ધસી પડવાનું કારણ જર્જરિત હાલત હોવું હોઈ શકે છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને મંદિરના પુજારીઓ દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે પોલીસ અને પાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
વરસાદે સર્જી તર્જી
છેલ્લા પાંચ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, આજે વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરમાં સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. ડૂબી ગયેલા વિસ્તારોમાં ભરાયેલા પાણી હજુ પણ ઓસરી રહ્યા છે. વ્હોરા હજીરા, ઘાંચી ખડકી, પટેલ પાર્ક, રણજીત સાગર રોડ પર નો કિર્તી પાન જેવા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરવખરીને ભારે નુકસાન થયું છે. આ વિસ્તારોમાં પાણી ઉતરતા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય10 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો