Connect with us

ગુજરાત

ઘેડમાં નુકસાનીના સરવેમાં ધાંધિયા, 10 હજાર કરોડના પેકેજની માંગ

Published

on

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, ખેડૂતોએ સયુંકત પ્રેસ કોન્ફરન્સ કરી તારીખ 18 જુલાઈ થી 23 જુલાઈ સુધીમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં થયેલ અતિવૃષ્ટિ ના કારણે થયેલ પાક નુકશાની અને જમીન ધોવાણ બાબતે રાજ્ય સરકાર દ્વારા ગોકળગાય ગતિએ કરવામાં આવતા સર્વે અને ખાસ કરીને જુનાગઢ જિલ્લાના માંગરોળ, કેશોદ, વંથલી, માણાવદર અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના 70-80 ગામો મળીને જે આખો વિસ્તાર ઘેળ પંથક થી ઓળખાય છે જેમાં પહેલા વરસાદના વિરામ બાદ ખેડૂતોએ વાવણી કરી લીધા પછી તરત પડેલા બીજા વરસાદ એટલે કે 2 જુલાઈ થી લઈ આજના દિવસ સુધી લગભગ 1 લાખ હેકટર વિસ્તાર પાણીમાં ગરકાવ છે તેના પ્રાણ પ્રશ્નોને લઈને પ્રેસ વાર્તા આયોજિત કરી હતી.


પાલભાઈ આંબલિયા એ ખેડૂતોને થયેલ નુકશાની અને ઘેડ વિસ્તારમાં વર્તમાનમાં કેવી પરિસ્થિતિ છે તે અંગે બોલતા ચિત્રો રજૂ કરી સરકારશ્રીનું ધ્યાન દોરતા કહ્યું હતું કે પોરબંદર, દ્વારકા અને જુનાગઢમાં પાક નુકશાની અને જમીન ધોવાણના સર્વેના નામે સરકારે માત્ર નાટક જ કરતા હોય તેવું લાગી રહ્યું છે તારીખ 24 જુલાઈથી વરસાદે વિરામ લીધો છે તેને આજે 15 દિવસ પુરા થયા હોવા છતાં હજુ 25% સર્વે પૂરો કરવામાં આવ્યો નથી જ્યારે લગત અધિકારીઓ સાથે વાત કરીએ તો કહે છે કે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હોવાથી હજુ સર્વે થઈ શકે તેમ નથી ત્યારે સવાલ એ છે કે 18 જુલાઈ થી આજની તારીખ સુધી જે જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય તો બહુ સપસ્ટ છે કે 20-22 દિવસ પાક પાણીમાં ડૂબેલો હોય એ પાક નિષ્ફળ જ હોય તેનું હવે સર્વે કરવા ખેતરમાં જવાની જરૂૂર ન હોય સરકારે સામેથી ગ્રામ સેવકોને જાણ કરવી જોઈએ કે જ્યાં પાણી ભરાયેલા છે તેવા દરેક વિસ્તારને 100% નિષ્ફળ ગણી સર્વેનું કામ પૂર્ણ જાહેર કરવું જોઈએ અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં, દ્વારકાના રાવલ અને તેની આસપાસના ગામોમાં જે તારાજી સર્જાઈ છે ત્યાં બધા જ ખેતરોમાં 100% પાક નિષ્ફળ જ હોય તેમાં સરકારે પાણી ઉતરે તેની રાહ જોવાના બદલે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ.


આ વર્ષે અતિવૃષ્ટિમાં ખેડૂતોને પાક નુકશાનીની સાથે સાથે જમીન ધોવણનું ખૂબ મોટું નુકસાન થયું છે જેની નુકશાનીનો અંદાજ મુકવામાં કેલ્ક્યુલેટરના આંકળાઓ ગોટે ચડી જાય એવડું મોટું નુકશાન થયું છે ઘેડ વિસ્તારના 64 ગામો સરકારના આંકડાઓ મુજબ સંપર્ક વિહોણા થયા હતા ઘેડ વિસ્તારમાં 150 કરતા વધારે જગ્યાએ નદી ખેડૂતોના ખેતરમાંથી નીકળી હોવાનું સરકારી તંત્ર સ્વીકારી રહ્યું છે રાવલ અને તેની આસપાસના ગામોમાં ત્રણ ત્રણ નદીઓ એક સાથે ખાબકી અને તેના કારણે ખેડૂતોના ખેતરો ધોવાયા છે ઉપરોક્ત ત્રણ જિલ્લાના આવા ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર ખેડૂતોને જમીન ધોવાણનું અકલ્પનિય નુકશાન થયું છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ જમીન ધોવાણનું સર્વે કરવા હજુ સુધી ન તો કોઈ કૃષિ નિષ્ણાત કે ન કોઈ ઈજનેર આવ્યા છે. આ અતિવૃષ્ટિના કારણે એકલા ઘેડ વિસ્તારમાં જ અંદાજે એક લાખ હેકટરમાં ખૂબ મોટું પાક નુકસાન થયું છે ઘેડ વિસ્તારમાં જ ઓછામાં ઓછા 1500 થી 2000 ખેડૂતોને જમીન ધોવાણ થયું છે આ ઉપરાંત દ્વારકા પોરબંદર અને જૂનાગઢના અન્ય વિસ્તારોમાં જે પાક નુકશાની અને જમીન ધોવાણ થયું એ અલગ છે આમ આ અતિવૃષ્ટિના કારણે અંદાજે એક લાખ કરોડનું નુકશાન ખેડૂતોને થયું છે ત્યારે અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે રાજ્ય સરકાર ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂૂપે થયેલ નુકશાનીના 10% વળતર સ્વરૂૂપે આપે તો પણ 10,000 કરોડનું આર્થિક પેકેજ પાક નુકસાની અને જમીન ધોવાણનું આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની અને ખેડૂતોની માંગ છે. આ ઉપરાંત જેતપુર અને તેની આસપાસના ડાઈંગ ઉદ્યોગકારો દ્વારા ઊબેણ નદીમાં જે ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે ખેડૂતોના ઉભા પાક બરબાદ થઈ રહ્યા છે, જમીન બંજર થઈ રહી છે, ઊબેણ નદી કાંઠાના ગામો અને આખા ઘેડ વિસ્તારમાં ચામડીના રોગો ખૂબ વકરી રહ્યા છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહયા છે.

અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે 1) ખેડૂતોને એક લાખ કરોડનું નુકશાની છે તેની સામે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું પેકેજ આપવમાં આવે, 2)જેતપુર ડાઇંગ ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમીકલ યુક્ત કચરો સદંતર બંધ કરવામાં આવે, 3) ઘેડ વિસ્તાર માટે નસ્ત્રઘેડ વિકાસ નિગમસ્ત્રસ્ત્ર બનાવવામાં આવે 4) ચાલુ વર્ષે ઘેડ વિસ્તારમાં થયેલ પાક નુકશાની, જમીન ધોવાણ માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અન્યથા અમારે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.

ક્રાઇમ

વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

Published

on

By

વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.

ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે. આર. ગામીત અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર. આર. ચૌધરી હતા.

Continue Reading

ક્રાઇમ

અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

Published

on

By

અમદાવાદ ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો.

આજ રોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.

એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી. વી. પઢેરીયા રહ્યાં હતાં.

Continue Reading

ગુજરાત

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

Published

on

By

રાજકોટ જ્લ્લિા કલેકટરના ડો.પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને આવતીકાલે લેન્ડ ગ્રેબીંગ કમીટીન બેઠક યોજાનાર છે. આ બેઠકમાં કુલ 65 જેટલા કેસ મુકવામાં આવ્યા છે. જેની ચર્ચા બાદ કેટલા કેસમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવી તે અંગે નિર્ણય લેવાશે. આ બેઠકમાં પોલીસ કમિશનર, મ્યુનિ.કમિશિનર, રૂરલ એસ.પી., ટી.પી.ઓ. સહીતના અધિકારીઓ હાજર રહેનાર છે.


આ સિવાય જિલ્લા કલેકટર કચેરીમાં આવતીકાલે આર.ઓ. બેઠક પણ યોજાનાર છે. જેમાં અરજદારોની પડતર અરજીઓ તેમજ સરકારી જમીનોમાં દબાણો અંગે રિવ્યુ કરવામાં આવનાર છે અને આગામી અઠવાડીયાથી સરકારી જમીનોમાં થયેલા દબાણો હટાવવા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો અંગેનો સરવે પુરો થઇ ગયો હોય હવે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

Continue Reading
રાષ્ટ્રીય12 hours ago

સસ્તું નહીં થાય ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, GST કાઉન્સિલમાં નિર્ણય મોકૂફ

ક્રાઇમ13 hours ago

વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ક્રાઇમ13 hours ago

અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ગુજરાત13 hours ago

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

ગુજરાત13 hours ago

રોગચાળાનો ભરડો: ડેન્ગ્યુના 21, ઝાડા-ઊલટીના 349 કેસ

ક્રાઇમ13 hours ago

રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી

ગુજરાત13 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત13 hours ago

ગાંધીનગર-મહુડી હાઇવે પર માતેલા સાંઢની જેમ નીકળેલી મર્સિડીઝે દેરાણી-જેઠાણીનો ભોગ લીધો

ગુજરાત13 hours ago

જાહેરમાં ગંદકી અને પ્લાસ્ટિક વાપરતા 139 વેપારીઓને રૂા.37,450નો દંડ

ગુજરાત13 hours ago

સગીર પથ્થરબાજો 3 કિ.મી દૂરથી આવ્યા, મુખ્ય કાવતરાખોરની તપાસ: ગેહલોત

ગુજરાત13 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત17 hours ago

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ

કચ્છ14 hours ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

ગુજરાત22 hours ago

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ

ગુજરાત18 hours ago

દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

ગુજરાત18 hours ago

તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!

ગુજરાત18 hours ago

જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો

Sports14 hours ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય20 hours ago

ભાજપના નેતાની ગોળી મારી હત્યા, બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર, જુઓ CCTV

કચ્છ18 hours ago

કચ્છમાં જમાઇના હાથે કાકાજી સસરાની હત્યા

Trending