Connect with us

રાષ્ટ્રીય

ભાજપના નેતાની ગોળી મારી હત્યા, બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર, જુઓ CCTV

Published

on

પટનામાં આજે (09 સપ્ટેમ્બર) વહેલી સવારે ભાજપના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પટના શહેરના મંગલ તાલાબ પાસે મનોજ કમલિયા ગેટ પર બની હતી. વહેલી સવારે ફાયરીંગથી રાજધાની પટના હચમચી ઉઠયું હતું. મૃતકની ઓળખ બીજેપી નેતા શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. આ ઘટના આજે સવારે 4 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. શ્યામ સુંદર મનોજ કમલિયા ગેટ પાસે પહોંચ્યો હતો ત્યારે ગુનેગારોએ તેને ગોળી મારી દીધી હતી. શ્યામ સુંદર ભાજપ તરફથી પટના સિટી ચોકના ભૂતપૂર્વ મ્યુનિસિપલ બોર્ડ પ્રમુખ હતા.

આ મામલામાં ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે સવારે 6 વાગે માહિતી મળી કે મુન્ના શર્મા નામના વ્યક્તિની ગુનેગારોએ હત્યા કરી નાખી છે. તેના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનું મોત નીપજ્યું. ઘટના સ્થળની આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. સંશોધન કરવામાં આવી રહ્યું છે. બનાવ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટના અંગે મૃતકના મિત્ર શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્માએ જણાવ્યું કે તે ખૂબ જ વ્યવહારુ અને લડાયક વ્યક્તિ હતાં. તેઓ ભાજપના પટણા સિટી ચોકના ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ હતા. અમે રોજ મંગલ તાલબ આવીએ છીએ અને મોર્નિંગ વોક કરીએ છીએ. સવારે જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર પડી કે તેની હત્યા કરવામાં આવી છે. તેણે કહ્યું કે અમે લગાવેલા કેમેરામાંથી વીડિયો જોયો છે. એવું જાણવા મળ્યું છે કે તે (મુન્ના શર્મા) મંદિરના દર્શન કર્યા પછી બહાર આવ્યા હતાં અને કોઈની સાથે વાત કરી રહ્યા હતાં. આ દરમિયાન એક બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને તેમના ગળામાંથી ચેઇન ઝૂંટવી, મોબાઇલ ફોન આંચકી લીધો હતો અને માથામાં ગોળી મારીને ભાગી ગયા હતા.

આ ઘટના લૂંટના ઈરાદે કરવામાં આવી છે કે પછી કોઈ કાવતરું છે તે તપાસનો વિષય છે. માહિતી અનુસાર મુન્ના શર્માના ઘરે કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સોમવારે સવારે પરિજનોને છોડવા તે રોડ પર આવ્યા હતા. તેમના ગળામાં સોનાની ચેઇન હતી. બદમાશોએ તે ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો. આ દરમિયાન ઝપાઝપી થતાં બદમાશોએ તેમને ગોળી ધરબી દીધી હતી. ગોળી માથામાં વાગવાને કારણે તે મૃત્યુ પામી ગયા.

રાષ્ટ્રીય

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

Published

on

By

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવ્યા પછી મુખ્ય મંત્રીપદ છોડવાની જાહેરાત કરી તેની ચોતરફ ચર્ચા છે. કેજરીવાલે કોઈને કલ્પના ના આવે એવો રાજકીય દાવ રમી નાખ્યો તેથી આ ચર્ચા સ્વાભાવિક છે પણ તેના કારણે એક મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી ગયો છે. આ મુદ્દો લિકર કેસમાં કેજરીવાલને જામીન મળ્યા તેના સૂચિતાર્થ છે.


કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે લિકર કૌભાંડ રાજકીય રીતે ઊભું કરાયેલું તિકડમ છે એવું કહી દીધું છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને રાજકીય ઈશારે વર્તવાના બદલે ન્યાયી રીતે વર્તવાનું કહ્યું, પાંજરામાં પુરાયેલા પોપટ તરીકેની તેની ઈમેજ બદલવા કહ્યું તેના પરથી સ્પષ્ટ છે કે, સુપ્રીમ કોર્ટ પણ લિકર કેસમાં ચાલી રહેલા ચલકચલાણાથી કંટાળી છે ને તેને પણ ખબર પડી ગઈ છે કે, આ તલમાં તેલ નથી.


સીબીઆઈએ 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી અમનદીપ સિવાયના બાકીના 8ને જામીન મળી ગયા છે. ટૂંકમાં અમનદીપ સિવાયના બાકીના આરોપીઓ બહાર આવી ગયા છે. આ સંજોગોમાં માત્ર અમનદીપને જેલમાં રાખવાનો અર્થ નથી. સીબીઆઈ અને ઈડીએ કેજરીવાલ ઉપરાંત મનિષ સિસોદિયા, સંજયસિંહ અને કે. કવિતા એમ ચાર ટોચના નેતાઓની ધરપકડ કરી હતી. હવે આ ચારેય જેલની બહાર છે ને સીબીઆઈ કે ઈડી નવું કશું લાવી શક્યાં નથી એ જોતાં આ કેસ ડેડ એન્ડ પર આવીને ઊભો રહી ગયો છે.


આ સ્થિતિ એટલા માટે સર્જાઈ કે, ઈડી અને સીબીઆઈ બંનેએ પહેલા દિવસથી કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા વિના એવો કેસ ઊભો કરી દીધો કે જેનો ઉદ્દેશ ભાજપના રાજકીય ફાયદો કરાવવાનો હતો. ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને સીધા જંગમાં પછાડી શકે તેમ નથી એટલે લેફ્ટનન્ટ ગવર્નર અને બીજા અધિકારીઓને હાથો બનાવીને કેજરીવાલ સરકારને પરેશાન કર્યા કરે છે. લિકર કેસના બહાને ભાજપ એક કદમ આગળ વધ્યો. મોદી સરકારે કેજરીવાલ સરકારે બનાવેલી એક નીતિને આધાર બનાવીને ભ્રષ્ટાચારનો કેસ તો કરી દીધો પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત ના કરી શક્યા.


સીબીઆઈ અને ઈડીનો કેસ એકદમ ખોખલો હતો. આખો કેસ ભાજપના નેતાઓના આક્ષેપોને આધારે ઊભો કરાયો અને તેના આધારે ધરપકડ કર્યા પછી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને સરકારી સાક્ષી બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કે. કવિતાને અંદર કરી દેવાયાં. ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર પી સરથચંદ્ર રેડ્ડી, ટીડીપીના લોકસભાના સભ્ય મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘવ મગુંતા અને બિઝનેસમેન દિનેશ અરોરા એ ત્રણ સરકરી સાક્ષી બની ગયેલા આરોપીઓનાં નિવેદનોને બાદ કરતાં સીબીઆઈ અને ઈડી પાસે કોઈ પુરાવા જ નથી. આ કેસમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ જોશો તો આ વાત સમજાશે.

આ કેસમાં અરવિંદ કેજરીવાલને એટલે આરોપી બનાવાયા કે, આમ આદમી પાર્ટીના સંરક્ષક હોવાથી અરવિંદ કેજરીવાલ પાર્ટી દ્વારા કરવામાં આવતા દરેક કાર્ય માટે જવાબદાર છે. આમ આદમી પાર્ટી આ કૌભાંડ અને અપરાધમાંથી મળેલી આવકની મુખ્ય લાભાર્થી છે એવો દાવો છે પણ પહેલાં આમ આદમી પાર્ટીએ કોઈ અપરાધ કર્યો છે એવું તો સાબિત કરવું પડે કે નહીં ?

Continue Reading

રાષ્ટ્રીય

WHOની ચેતવણીની ઐસીતૈસી, ભારતીયો બેફામ ઝાપટે છે સફેદ ઝેર

Published

on

By

શહેરમાં બેમાંથી એક વ્યક્તિ દર અઠવાડીયે મીઠાઇ-પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ-ચોકલેટ આરોગી જાય છે

WHOએ થોડા દિવસો પહેલા એક રિપોર્ટ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખાંડ હોય કે મીઠું, તેમાં માઈક્રોપ્લાસ્ટિક હોય છે. આપણે તેનું વધારે સેવન ન કરવું જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ તાજેતરમાં ભારતીયો વિશે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયો ઘણી વધારે ખાંડ ખાય છે અને તેમની મીઠાઈ ખાવાની આદત દિવસેને દિવસે વધી રહી છે. તેમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી.


તાજેતરમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું કે શહેરમાં રહેતા લોકોમાં 2 માંથી 1 ગ્રાહક દર અઠવાડિયે મીઠાઈ, પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ, ચોકલેટ, બિસ્કિટ ખાય છે. એટલું જ નહીં, મહિનામાં કેટલીય વાર પરંપરાગત મીઠાઈ ખાતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે. 56% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત કેક, બિસ્કિટ, આઈસક્રીમ, શેક, ચોકલેટ, કેન્ડી વગેરે ખાય છે.


18% ભારતીયો એવા છે જે દરરોજ આ ખાય છે. તહેવારોની સીઝન જલદી જ શરૂૂ થવાની છે, આવા સમયે ઓછી ખાંડવાળા વેરિયન્ટ લાવનારા બ્રાન્ડની સ્થિતિ વધુ સારી થઈ શકે છે.ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અનુસાર, જ્યારે ખાંડના વપરાશની વાત આવે છે, ત્યારે ભારતમાં તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, જે દેશમાં દર વર્ષે વધતી માંગનો સંકેત છે. ડીએફપીડીએ કહ્યું છે કે ભારતમાં વાર્ષિક ખાંડનો વપરાશ લગભગ 290 લાખ (29 મિલિયન) ટન (કખઝ) સુધી પહોંચી ગયો છે. વર્ષ 2019-20થી ખાંડના વપરાશનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, જ્યારે તે 28 મિલિયન મેટ્રિક ટનથી વધુ હતું. જ્યારે દેશમાં ખાંડનો કુલ વપરાશ વધી રહ્યો છે, ત્યારે ખાંડ મુક્ત ઉત્પાદનોની માંગને પૂરી કરતું બજાર પણ વધી રહ્યું છે, ખાસ કરીને ભારતીય મીઠાઈઓ અને આઈસક્રીમમાં ખાંડનો વપરાશ ઘણો વધ્યો છે. કેટલાક ખાંડ વગરના વેરિયન્ટ પણ બજારમાં લાવવામાં આવ્યા છે.


ઘણા ફૂડ આઇટમ બ્રાન્ડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે જ્યાં ખજૂર, અંજીર અને ગોળની કુદરતી ખાંડનો ઉપયોગ મીઠાશ તરીકે કરવામાં આવે છે. જો કે, એક ક્ષેત્ર જેના પર મોટાભાગના બ્રાન્ડ્સે ધ્યાન આપ્યું નથી, તે છે તેમના નિયમિત ઉત્પાદનોનું ઓછી ખાંડવાળું સંસ્કરણ રજૂ કરવું. નવેમ્બર 2023માં લોકલસર્કલ્સ દ્વારા ભારતમાં મીઠાઈઓનું સેવન કેવી રીતે કરવામાં આવે છે તે વિષય પર કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સેંકડો પોસ્ટ અને ટિપ્પણીઓ પ્રાપ્ત થયા બાદ, ગ્રાહકોએ લખ્યું કે કેવી રીતે પરંપરાગત મીઠાઈઓ, ચોકલેટ, કુકીઝ, બેકરી ઉત્પાદનો અને આઈસક્રીમ જેવા ઘણા ઉત્પાદનોમાં તેમને સતત ખાંડનું સ્તર અપેક્ષા કરતાં વધારે મળે છે.


ભોજન પછી કંઈક મીઠું ખાવું મોટાભાગના પરિવારોમાં અસામાન્ય વાત નથી, જ્યાં સુધી સ્વાસ્થ્યની સ્થિતિ તેની મંજૂરી ન આપે. સર્વેક્ષણમાં સૌ પ્રથમ ગ્રાહકોને પૂછવામાં આવ્યું, સામાન્ય રીતે તમે/તમારા પરિવારના સભ્યો દર મહિને કેટલી વાર પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાઓ છો? આ પ્રશ્ન પર 12,248 જવાબો મળ્યા, જેમાંથી માત્ર 10% એ જણાવ્યું કે તેઓ દરરોજ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. 6% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે દર મહિને 15 30 વખત; 8% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 8-15 વખત; 27% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 3-7 વખતસ્ત્રસ્ત્ર; અને 39% એ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 1-2 વખતસ્ત્રસ્ત્ર. માત્ર 4% ઉત્તરદાતાઓએ કહ્યું કે આ પ્રશ્ન લાગુ પડતો નથી કારણ કે તેઓ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાતા નથી જ્યારે 6% ઉત્તરદાતાઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. ટૂંકમાં, 51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે.


51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે પરંપરાગત મીઠાઈઓનું સેવન કરતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે.

પરંપરાગત મીઠાઈઓનો વપરાશ પણ વધ્યો
લોકલસર્કલ્સે 2024માં મીઠાઈ વપરાશ પર એક સર્વે જારી કર્યો. આ સર્વેક્ષણ દ્વારા, પ્લેટફોર્મે એ સમજવાનો પ્રયાસ કર્યો કે શું ભારતીય ઘરોમાં ખાંડના વપરાશના પેટર્નમાં કોઈ ફેરફાર આવ્યો છે. જો હા, તો શું પરંપરાગત મીઠાઈઓથી ખાંડયુક્ત અન્ય ઉત્પાદનો તરફ કોઈ બદલાવ આવ્યો છે. તેણે સર્વેક્ષણ દ્વારા એ પણ સમજવાનો પ્રયાસ કર્યો કે ભારતીય ઘરેલુ ગ્રાહકો વચ્ચે ઓછી ખાંડવાળા ઉત્પાદનોની સ્વીકાર્યતા શું છે. સર્વેક્ષણને ભારતના 311 જિલ્લાઓમાં સ્થિત ઘરેલુ ગ્રાહકો પાસેથી 36,000થી વધુ પ્રતિક્રિયાઓ મળી. 61% ઉત્તરદાતાઓ પુરુષો હતા જ્યારે 39% ઉત્તરદાતાઓ મહિલાઓ હતી. 42% ઉત્તરદાતાઓ ટાયર 1, 29% ટાયર 2 અને 29% ઉત્તરદાતાઓ ટાયર 3 અને 4 જિલ્લાઓમાંથી હતા.

Continue Reading

રાષ્ટ્રીય

વંદે ભારતને લીલી ઝંડી આપતા સમયે ટ્રેક પર પડ્યા ધારાસભ્ય

Published

on

By

કાર્યકરો- અધિકારીઓએ દેકારો મચાવતા માંડ બચ્યા, ઇટાવા સ્ટેશનની ઘટના

ઈટાવામાં સોમવારે સાંજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના ચક્કરમાં ધારાસભ્ય સરિતા ભદૌરિયા ટ્રેનની આગળ જ રેલવે ટ્રેક પર પડી ગયાં. તેઓ રેલવે ટ્રેક પર પડતાં જ ભારે અફરાતફરી જોવા મળી. ટ્રેને પણ હોર્ન વગાડી દીધું હતું પરંતુ કાર્યકર્તાઓ અને અધિકારીઓએ દેકારો કરતા ટ્રેન આગળ વધી ન હતી અને ધારાસભ્ય માંડ માંડ બચ્યાં. ટ્રેન આગ્રાથી વારાણસી માટે જતી વખતે પહેલી વખત ઈટાવામાં રોકાઈ હતી.


અહીંથી ધારાસભ્ય સહિત તમામ જનપ્રતિનિધિ અને અધિકારી સ્ટેશન પર એકઠાં થયા હતા અને ટ્રેનના સ્વાગત કર્યા બાદ ટ્રેનને વારાણસી માટે રવાના કરાઈ હતી. ગગનભેદી નારાઓ સાથે ટ્રેનનું સ્વાગત કરાયું.
થોડી મિનિટ રોકાયા બાદ ટ્રેનને કાનપુર માટે રવાના થવાની હતી. એવામાં ત્યાંથી પણ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.


ટ્રેનની રવાનગીનો સમય થયો ત્યારે ધારાસભ્ય સરિતા ભદૌરિયા સહિત તમામ લોકો લીલી ઝંડી લઈને ટ્રેનની આગળ ઊભાં હતાં. ત્યારે ટ્રેન ચાલે તે પહેલાં જ અચાનક જ પાછળથી ધક્કો વાગતા ધારાસભ્ય સરિત ભદૌરિયા ટ્રેનની આગળ ટ્રેક પર પડી ગયાં હતાં. જેવાં જ તેઓ પડ્યા ત્યારે ટ્રેને પણ હોર્ન મારીને આગળ ચાલવાનો ઈશારો કર્યો. જો કે સદનસીબે ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ ત્યાં ઊભા હતા અને એન્જિનના કાચ પર હાથ થપથપાવતા ગાડી ન ચલાવવાનો ઈશારો કર્યો. જે બાદ કેટલાંક લોકો રેલવે ટ્રેક પર કૂદી પડ્યાં અને ધારાસભ્યને પકડીને તેમણે ફરી પ્લેટફોર્મ પર ચઢાવ્યા, જે બાદ ટ્રેન રવાના થઈ હતી.

Continue Reading
અમરેલી1 min ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત3 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય3 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત6 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત8 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ12 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત14 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત15 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

ગુજરાત18 mins ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized20 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending