કચ્છ
કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત
વહેલી પરોઢે કેમિક્લની ટાંકી સાફ કરતી વેળા સર્જાયેલી દુર્ઘટના, એક-બીજાને બચાવવા જતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યો
કચ્છના કંડલા ખાતે વધુ એક ઉદ્યોગમાં ગંભીર દૂર્ઘટના સર્જાયેલ છે. કંડલાની ઇમામી એગ્રોટેક કંપનીમાં ગુંગળાઇ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.
કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં આજે વહેલી સવારે કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ, બનાવી રાત્રે સાડા બારથી એક વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો નકારો કદડો (સ્લજ) ટેન્કમાં એકઠો થયો હતો. જેને સાફ કરવા સુપરવાઇઝર ટેન્ક ઉપર ચઢીને નિરીક્ષણ કરતો હતો. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે તે બેભાન થઈને ટેન્કની અંદર પડી ગયો હતો. જોકે, સુપરવાઇઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરોએ પણ અંદર ઝંપલાવ્યું હતું. બંને જણાંને ગૂંગળામણ થતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એખ ટેન્કમાં કૂદકો માર્યો.
કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે લગભગ 1 વાગ્યે એક એગ્રોટેક પેઢીમાં આ ઘટના બની હતી.તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે કામદારો કંપનીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈમાં રોકાયેલા હતા.
એસપી બાગમારે વધુમાં ઉમેર્યું કે, જ્યારે એક કર્મચારી ટેન્કમાં રહેલા કાદવને દૂર કરવા માટે ટાંકીમાં પ્રવેશ્યો, ત્યારે તે બેભાન થઈ ગયો. જ્યારે અન્ય બે કામદારો તેને બચાવવા માટે ટાંકીની અંદર દોડી ગયા, ત્યારે તેઓ પણ બેભાન થઈ ગયા. બે અન્ય લોકો તેનું અનુસરણ કર્યું, અને પછી તમામ પાંચ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા પરંતુ ત્યાં હાજર અન્ય કામદારો તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં પાંચેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કંડલા પોલીસ સ્ટેશનમાં આ દુર્ઘટના અંગે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
બીજી તરફ કંડલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ અને બાયોડીઝલના ઉત્પાદન સાથે સંકળાયેલી ફર્મ ઈમામી એગ્રોટેકમાં આ અકસ્માત થયો હતો. જેમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકુરનું મોત થયું છે.
કચ્છ
રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ
પત્ની, સસરા અને બીજા પતિ વિરૂદ્ધ છેપિંડીનો ગુનો નોંધ્યો
કચ્છના અબડાસા તાલુકાના તેરાની પરિણીતાએ છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કરી ઘરસંસાર માંડીને પુત્રીને જન્મ આપતાં પતિએ તેની પત્ની, બીજા પતિ તથા રાજકોટ રહેતા તેમના સસરા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.આ અંગે નલિયા પોલીસ મથકે તેરાના વીરભદ્રસિંહ જીલુભા સોઢાએ નોંધાવેલી વિગતવાર ફરિયાદ મુજબ રાજકોટના રણજિતસિંહ જાડેજાની પુત્રી ભાગ્યશ્રીબા સાથે તા.19/11/18ના કોઠારા ખાતે સમાજના સમૂહલગ્નમાં લગ્ન થયા હતા અને તેરામાં તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. ફરિયાદીનો પત્ની ભાગ્યશ્રીબા સાથે વૈચારિક મતભેદો થતાં પાંચેક વર્ષ પૂર્વે ભાગ્યશ્રીબાને તેના પોતાના ઘરે તેડી ગયા હતા.
આ બાદ ફરિયાદીના પત્ની અને સસરાએ ભરણપોષણ તેમજ ઘરેલુ હિંસા અંગેની ફરિયાદ નોંધાવી હતી જે હાલ જ્યુડિશીયલ પેન્ડિંગ છે. આ ઉપરાંત કોર્ટ કેસ દાખલ કર્યા છે.આરોપી ભાગ્યશ્રીબાના ફરિયાદી સાથે છૂટાછેડા ન થયા હોવાની જાણ છતાં તેના પિતા રણજિતસિંહે ભાગ્યશ્રીના બીજા લગ્ન આરોપી હિતેન્દ્રસિંહ ભુરૂૂભા વાઘેલા (રહે. સાણંદ) સાથે કરાવી તેઓના આ ગેરકાયદેસર અનૈતિક લગ્ન જીવનથી એક પુત્રી નામે હિમાંશીબા વાઘેલાનો જન્મ તા.4/3/23ના થયો છે.
ઉપરાંત આરોપી ભાગ્યશ્રીબાએ ફરિયાદી પતિ પાસેથી પૈસા પડાવવા માટે રાજકોટ તેમજ ગાંધીનગર કોર્ટમાં અલગ અલગ સરનામાં દર્શાવી ભરણ પોષણની અરજીઓ કરી છે.આમ, ફરિયાદી સાથે લગ્ન ચાલુમાં હોવાની જાણ છતાં કૃત્ય કરાતાં આરોપી ભાગ્યશ્રીબા વિરભદ્રસિંહ સોઢા(રહે.રામાવતની ડેલી ગોધાવી, સાણંદ),તેમનો બીજો પતિ હિતેન્દ્રસિંહ ભુરુભા વાઘેલા (રહે.સાણંદ) અને સસરા રણજિતસિંહ જાડેજા(રહે.સરકારી કોલોની બ્લોક નંબર.1/8,બહુમાળી ભવન પાછળ રેસકોર્સ રોડ,રાજકોટ) વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
કચ્છ
કચ્છના આદિપુરથી સગીરાનું અપહરણ, પીછો કરનાર માતાની હત્યાનો પ્રયાસ
પોલીસની ટીમોએ ગણતરીની ક્લાકોમાં જ આરોપીઓને દબોચ્યા
આદિપુરના સિંધુ વર્ષા બુઢ્ઢાશ્રમ પાસેના સર્કલ નજીકથી ક્રેટા કારમાં આવેલા ઇસમે સગીરાનું અપહરણ કર્યા બાદ ભોગ બનનાર સગીરાની માતા અને ભાઇએ કારનો પીછો ભારતનગર સુધી કરી અપહરણકારને આંતર્યો અને સગીરાને છોડાવવાના પ્રયાસ કર્યા પણ અપહરણકારે સગીરાની માતાને મારી નાખવાના ઇરાદે 15 થી 20 ફુટ ઢસડી સગીરાનું અપહરણ કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો નો઼ધાયો હતો. સ્થાનિક પોલીસે આ ઘટનામાં તરત ચક્રો ગતિમાન કરી અપહરણકારને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરી લીધો હતો.
આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, બુધવારે રાત્રે આ ઘટના બની હતી જેમાં ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે વિગતો આપી હતી કે, ક્રેટા કારમાં આવેલો અમદાવાદના ચાંદખેડામાં રહેતા વૈભવ અમિત મકવાણાએ તેમની સગીર વયની દીકરીનું અપહરણ કર્યુ઼ હતું. તેમણે તથા તેમના દીકરાએ અપહરણકારનો પીછો કર્યો હતો. આદિપુરના સિંધુ વર્ષા બુઢ્ઢાશ્રમ પાસેના સર્કલથી ગાંધીધામના ભારતનગર સુધી અપહરણકારનો પીછો માતા-પુત્રએ કર્યો હતો.
ભારતનગર પાસે અપહરણકારની કારને આંતરી માતાએ પથ્થર વડે કારના કાચ તોડી દિકરીને છોડાવવા પ્રયાસ કર્યો હતો પણ અપહરણકાર વેભવે સગીરાની માતાને મારી નાખવાના ઇરાદે કાર ચલાવી 15 થી 20 ફૂટ સુધી ઢસડી સગીરાને લઇ નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદની ગંભીરતા જાણી આદિપુર પીઆઇ ડી.જી.પટેલે અપહરણકારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન બાતમીના આધારે સગીરાની માતાની હત્યાનો પ્રયાસ કરી સગીરાનું અપહરણ કરનાર આરોપી વૈભવને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કરી લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.
કચ્છ
ગાંધીધામ સ્પામાં નોકરી કરતી યુવતીની તેના પતિએ જ હત્યા ર્ક્યાનો ઘટસ્ફોટ
ગાંધીધામમાં આવેલા ભાનુદિપ એપાર્ટમેન્ટમાં સ્પામાં નોકરી કરતી પરિણિતાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળવાની ઘટનામાં તેનો પતિ ગુમ છે તેવામાં મૃતકના ભાઇએ તેના પતિએ બીજા લગ્ન કરવા મુદ્દે અવાર નવાર માથાકુટ થતી હોઇ તેના પતિએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ એ-ડિવિઝન પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, પશ્ચિમ બંગાળમાં મજલિસપુરમાં રહેતા મૃતકના ભાઇ સારેજુલ મોહમ્મદ શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.7/10 ના તેમના ગામના મુખી અને સ્થાનિક પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, ગાંધીધામ રહેતી તેમની 41 વર્ષીય બહેન તાનજુઆરાબીબીનો મૃતદેહ ભાનુદિપ એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યો છે.
બહેનનો પતિ કાલુ દેલુ શેખ ક્યાંક ચાલ્યો ગયો છે. તમનો બનેવી કાલુ ઉગ્ર સ્વભાવનો હોવાનું પરિવાર જાણતો હતો અને અવાર નવાર નાની મોટી વાતોમાં તે બહેન સાથે ઝઘડા તકરાર કરતો હતો. તેમની મૃતક બહેનના પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ હત્યા તેમના બનેવીએ જ બીજા લગ્ન કરવા મુદ્દે કરી હોવાની શંકા વ્યક્ત કરી તા.3/10 થી તા.8/10 દરમિયાન તેમના બનેવીએ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું જણાવી એ-ડિવિઝન પોલીસ મથકે હત્યા સહિતની કલમો તળે ફરિયાદ નો઼ધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તા.7-10ના ભાનુદીપ એપાર્ટમેન્ટમાં બંધ ફ્લેટમાંથી સ્પામાં નોકરી કરતી પશ્ચિમ બંગાળની પરિણીતાને કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યા બાદ તેનો પતિ ગાયબ હોવાની ઘટના સામે આવી હતી.
-
ક્રાઇમ1 day ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ગુજરાત1 day ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત
-
ગુજરાત1 day ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત1 day ago
વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો
-
ગુજરાત1 day ago
ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું
-
ગુજરાત2 days ago
રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા