ક્રાઇમ
મનપા-બિલ્ડરે છેતરપિંડી કર્યાની ભારતનગર આવાસના લાભાર્થીઓની રાવ
લાભાર્થીઓએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સેલમાં કરી રજૂઆત: યોગ્ય ન થાય તો આંદોલનની ચીમકી
મકાનો- દુકાનો આપવાને બદલે ભાડા ચૂકવવાનું લખાણ કરાવી લીધાનો આક્ષેપ
ભારતનગર પીપીથી આવાસ યોજનાના લાભાર્થીઓ 38 પૈકીનાજે 100 રૂૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને મકાનો તેમજ દુકાનો આપવાની હતી. તેતી જગ્યાએ મકાનો દુકાનો તેમજ ભાડા ચુકવવાની 100 રૂૂપિયા ના સ્ટેમ્પ ઉપર ખાતરી આપીને અમારી ઉપર બિલ્ડરે તેમજ મહાનગરપાલિકાએ છેતરપીંડી કરવામાં આવેલ છે. આ છેતરપીંડીનો ઉકેલ લાવવામાં નહી આવે તો ગાંધીચીંધ્યા માર્ગે રસ્તા ઉપર ઉતરીને જે કાઈ થાશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા કલેક્ટરની તેમજ રાજકોટ મહાનગરપાલિકા ની રહેશે. કુલ પાના 9000 અરજી સાથેના રજુ કરવામાં આવેલ હોવા છતાં કોઈ ઉકેલ આજ દિવસ સુધી લાવવામાં આવેલ નથી. આ બાબતે લાભાર્થીઓએ જિલ્લા કલેકટર કચેરી મારફત મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ સેલમાં ફરીયાદ કરી છે.
ભારતનગર મવડીટી.પી. નં-28 ફાઈનલ પ્લોટ 49/2 કરવામાં આવેલ મુખ્યમંત્રી પીપીપી આવાસ યોજના અંતર્ગત જે અરજદારો આથી જણાવીએ છીએ કે અમારા આધાર પુરાવાની ફાઈલો ગુમ કરનાર ઉપર પગલા ભરવા તેમજ અમે લોકોએ મવડી સર્વે નું. 194 ખરાબાની જમીન રેગ્યુલર કરવા તારીખ:- 02/01/1999 નારોજ મકાન સાથેની જગ્યા રેગ્યુલર કરવા મરજી કરેલ તે સરકારના રેકોર્ડમાં ફાઈલો પડેલ છે. તેની નોંધ લેવામાં આવેલ નથી. તેમજ આ આધાર પુરાવા હોવા છતાં કોઈ નિર્ણય આપવામાં આવેલ નથી. ખોટા પંચરીજ કામ કરીને જગ્યા સાથેના મકાનો રાજકોટ મહાનગરપાલિકા તેમજ રેડઓર્ગેનાઈઝેસરના બિલ્ડરની મિલીભગતથી હજમ કરી ગયાનો આક્ષૅપ કરાયો છે. આ કબજાની જમીન તેમજ મકાનો હડપ કરનાર ઉપર શિસ્તના પગલા ભરવામાં નહીં આવે તો જે કંઇ થશે તેની જવાબદારી તપાસ કરનાર અધિકારીની રહેશે. તેવી ચીમકી અપાઇ છે.
અનેક વખત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રૂૂબરૂૂ આધાર પુરાવા તેમજ તપાસ કરનાર સમિતિના અધિકારીઓ તેમજ નાયબ કમિશનરને રજુ કરવામાં આવેલ હોવા છતાં આજ દિવસ સુધી મકાનનો તેમજ દુકાનનો નિકાલ કરવામાં આવેલ નથી. અનેક અધિકારીઓની બદલીઓ પણ થઇ ગઈ હોવા છતાં કોઈ પણ અધિકારિઓએ ન્યાય આપેલ નથી.
સીએમસેલ જીલ્લા સ્વાગત-જુન-અન્ય-રજી.નં. 41 થી 48/2024 તારીખ:- 24/06/2024 ના રોજ જાણ કરવામાં આવેલ અગાઉ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ સેલમાં સાંભળેલ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કમિટીની રચના કરવામાં આવેલ છે. કમિટી દ્વારા કાર્યવાહી ચાલુ છે. સબબ આધાર પુરાવાઓ સાથે સંબંધિત કચેરીમાં રજુઆત સુચન કરવા આવેલ છે. અનેક વખત આધાર પુરાવા તારીખ સાથે આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે.
મકાન તેમજ દુકાન ન આપવાની માનસિકતા ધરાવે છે. કોર્ટ રજુઆત કરવાની તકો પણ આપતી હોય છે તો મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ સેલમાં સાંભળવામાં કેમ નથી આવતા? તેવો લાભાર્થીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે.
અનેક વખત ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઇ તપાસ નહીં?
મુખ્યમંત્રીના કાર્યાલયે તારીખ. 04/10/2023 ના રોજ કુલ પાનાની સંખ્યા 300 પેજ અરજી સાથેના આધાર પુરાવા સાથે જોડેલા છે.
શહેરી વિકાસ અને શહેરીગૃહનિર્માણ વિભાગ સચિવાલય ખાતે અમારા આધાર પુરાવા ઓનલાઈન કમ્પ્યુટરમાં અટેચ કરવામાં આવેલ છે જે પેઇઝ 300 જેટલા છે. તેની નોંધ લેવામાં આવેલ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તારીખ:- 04/10/2023ના રોજ સંપૂર્ણ વિગત એમના કમ્પ્યુટરમાં ઉપલબ્ધ છે.
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ તારીખ:- 01/11/2023 ના રોજ સંપૂર્ણ આધાર પુરાવા પાનાની કુલ સંખ્યા 284 રૂબરૂ આપવામાં આવેલ તેની નોંધ લેવા માંગ કરાઇ હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાને રૂબરૂ ગાંધીનગર ખાતે ઓફિસે આપવામાં આવેલ છે કુલ પાનાની સંખ્યા 300 પેજ અરજી સાથેના આધાર પુરાવા રજુ કરાયા હતા.
અને જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તારીખ:-00/00/0000 અરજી સાથેના 300 પેજ આધાર પુરાવા સાથે કલેકટરના કાર્યાલયે રૂબરૂ અપાયા છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
સાયન્સ સિટી હિટ એન્ડ રન કેસમાં રાજકોટનો શખ્સ પોલીસમાં હાજર થયો
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બુધવારે 15 સપ્ટેમ્બરે શહેરના સાયન્સ સિટી રોડ પર બનેલા હિટ એન્ડ રન કેસના સંદર્ભમાં રાજકોટના કોટડા સાંગાણીના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
આરોપી જયદીપ વઘાસિયાએ બુધવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન વઘાસિયાએ જણાવ્યું હતું કે તે તેના સાળા કે જે કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે તેને રાજકોટથી સોલાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે ઉંઘથી વંચિત હતો અને હોટલ તરફ જઈ રહ્યો હતો.
તે વ્હીલ પર સૂઈ ગયો હતો અને ગભરાટમાં, ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટરને અથડાયો હતો જ્યારે તેને ખબર પડી કે તે રાહદારીઓ સાથે અથડાઈ રહ્યો છે, તેમ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા. આત્મસમર્પણ કરતા પહેલા વઘાસિયાએ તેમના સાળાને રજા આપી હતી અને તેમને અને તેમની બહેનને રાજકોટ પરત મોકલી દીધા હતા.રણજીતસિંહ ભલગરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ઋઈંછમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમનો પરિવાર અકસ્માતમાં સામેલ હતો. રણજીતસિંહની પત્ની જીવુને માથા અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે પુત્ર પ્રિતરાજને માથા, પેટ, છાતી અને હાથપગના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે નોંધ્યું છે કે પીડિતો તબીબી સંભાળ હેઠળ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પીડમાં આવતી કાર માતા-પુત્રને ટક્કર મારતી જોવા મળી રહી છે.
ક્રાઇમ
શહેરમાં બે સ્થળે પીસીબીના બીજા દિવસે દરોડા : 62 હજારના દેશી દારૂ સાથે પકડાયા
શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબી ધોંષ બોલાવી રહી છે સતત બીજા દિવસે પીસીબીએ રાજકોટ શહેરની ભાગોળે સાતળા ગામ અને લોઠડા ગામમાં દરોડા પાડીને 62 હજારની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બે સપ્લાયરોના નામ ખોલ્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલી પીસીબી બ્રાંચ દારૂ અને જુગારના હાટડાઓ બંધ કરાવવા માટે સતત કાર્યશીલ બની રહી છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંષ બોલાવ્યા બાદ બીજા દિવસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડયા હતાં. જેમાં સાતળા ગામની સીમમાં મારૂતિ સ્વીફટ કાર નં.જીજે.10.એપી.353માં દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા ખોખડદળ પાસે મફતીયાપરામાં રહેતા અનકુ ભીખુભાઈ ચાવડાને 30 હજારની કિંમતના 150 લીટર દેશી દારૂ અને કાર સહિત રૂા.2.35 લાખના મુદ્ધામાલ સાથે ઝડપી લઈ પુછપરછમાં સપ્લાયર ખાટડી ગામના શિવરાજ બહાદુર ખાચરનું નામ ખોલ્યું છે. બીજા દરોડામાં લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને રૂા.32 હજારની કિંમતના 160 લીટર દેશી દારૂ સાથે રસુલપરામાં બબલુ રસુલ શેખ અને હુસેન ગુલમહમદ અંસારીની ધરપકડ કરી રૂા.32000ની કિંમતનો 160 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કોઠારીયા સોલવન્ટ પાસે રહેૈતા ઈમરાન જુસબ હાલાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુંણ તથા પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને તેમની ટીમે આ સતત બીજા દિવસે દરોડાની કામગીરી કરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો