Connect with us

ગુજરાત

રોગચાળાના કાળના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ: યુવકનું ડેન્ગ્યુથી મોત

Published

on

રાજ્યભરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માજા મૂકી છે. રોગચાળો જીવલેણ બની રહ્યો હોય તેમ સાવરકુંડલાના વિજપડી ગામના યુવકનું ડેન્ગ્યુની બીમારીથી રાજકોટ સરવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતો દિવ્યેશ ઘનશ્યામભાઈ કટારીયા નામનો 28 વર્ષનો યુવાન ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે ની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવકે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ આ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો.


પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિવ્યેશ કટારીયા બે ભાઈમાં મોટો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. દિવ્યેશ કટારીયા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે દિવસથી તાવની બીમારીમાં સપડાતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ત્યાં તેનો ડેંગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

શાકભાજીના ભાવમાં વધારો, મધ્યમ વર્ગના બજેટને ચડશે ઠંડી

Published

on

By

પાછોતરા વરસાદથી પાકને અસર થતા કિંમત આસમાને આંબી: ડુંગળી રૂા.100, ટમેટાં રૂા.120ના કિલો

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પાછોતરો વરસાદ પડતા તેની અસર ખેતરમાં ઉભેલા પાક ઉપર થઇ છે. વરસાદના કારણે મબલખ ઉત્પાદન થવા થતા ગુણવતામાં અસર થતા તેની અસર ભાવ ઉપર પડી છે. છેલ્લા ઘણા સમયથી મધ્યમ પરિવાર માટે આશીર્વાદ સમાન ગણાતા ટમેટા અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. યાર્ડમાં શાકભાજીના ભાવમાં આસમાની વધારો થયો છે. ડુંગળી ખુલ્લા બજારમાં રૂા.80 થી રૂા.100 અને ટમેટા રૂા.100થી રૂા.120ના કિલોએ વહેંચાઇ રહ્યા છે.


વેપારી સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં પાછોતરો વરસાદ પડતા શાકભાજીના ઉત્પાદન પર તેની અસર પડી છે. વરસાદના કારણે શાકભાજીની ગુણવતા જળવાઇ નથી અને સારી ગુણવતાવાળા શાકભાજીની માંગ વધતા તેના ભાવ આસમાને આંબી ગયા છે.


છુટક બજારમાં હાલ ડુંગળી અને ટમેટાના ભાવ રૂા.100ને આંબી ગયા છે. યાર્ડમાં શાકભાજીની આવક થઇ રહી છે. પરંતુ મોટાભાગે જથ્થાબંધના વેપારીઓ દ્વારા ખરીદી લેવામાં આવતા હોવાથી છુટક બજારમાં તેની અસર જોવા મળી રહી છે.


વરસાદના કારણે અન્ય શાકભાજીના ભાવ પણ વધ્યા છે. વરસાદ વચ્ચે આવક વધી છે. પરંતુ ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ શિયાળાની મોસમ શરૂ થશે તેથી લીલા શાકભાજીની આવશ વધશે. તેમાં સૌથી વધારે મેથી, પાલક, કોથમીર, બીટ, ગુવાર, લીલી ડુંગળીની માંગ વધારે રહેતી હોય છે અને શિયાળામાં તેનું આરોગવાનું પ્રમાણ પણ વધારે રહેતી હોય છે. ત્યારે ભાવમાં વધારો થતા શિયાળાની સિઝનમાં મધ્યમ વર્ગના બજેટને વધારે ઠંડી ચડશે તેવું બજારમાં ચર્ચાઇ રહ્યું છે.


માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ વધુ મળતા હોવાથી વધુ આવક ઠલવાઈ રહી છે. 1050 ક્વિન્ટલ એટલે કે એક લાખ કિલોથી વધુ ડુંગળી ઠલવાઈ હતી. જેના ભાવ વધીને રૂૂપિયા 335થી 1035 સુધી પહોંચ્યા હતા. આ જ રીતે 76800 કિલો ટમેટાની આવક સાથે ભાવ રૂૂપિયા 600થી 1200ની ઉંચાઈએ રહ્યા છે.


યાર્ડમાં જેટલા ભાવે શાકભાજીના સોદા થાય છે તેના કરતા છૂટક બજારમાં ફેરિયાઓ બમણાંથી ત્રણ ગણા ભાવ વસુલતા હોય છે. ડુંગળી, ટમેટા ઉપરાંત બટેટાની 4.50 લાખ કિલોની ભરપૂર આવક છતાં ભાવ યાર્ડમાં રૂૂપિયા 300થી 700 અને છૂટક બજારમાં 50થી 80ના કિલો વેચાય છે. આ જ રીતે કોથમરી, ગુવાર, ચોળાસિંગ, ટીંડોળા, સરગવો, પરવર સહિતના લીલા શાકભાજી પણ મોંઘાદાટ જારી રહ્યા છે. ચોમાસાના પગલે લીલી હળદર, આદુ, લીલી ડુંગળી, વગેરેની આવક શરુ થઈ છે પરંતુ, શરુઆતમાં ભાવ ઉંચા છે.

Continue Reading

ગુજરાત

જે વ્યક્તિ કોર્ટની પ્રક્રિયાનો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરતી હોય તે માલિક સામે મનાઇ હુકમ મેળવી શકે નહીં: કોર્ટ

Published

on

By


રાજકોટમાં જિલ્લા લાયબ્રેરી સામે આવેલ મેંગણી હાઉસ નામની મિલ્કત મુળ માલિક જનકબા બળવંતસિંહ જાડેજા વગેરે પાસેથી રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી ભૂપતભાઈ જસમતભાઈ બોદર વિગેરેએ ખરીદી હતી, તેમાં મેસર્સ કોરોનેશન મોટર્સ નામની ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર હરીતભાઈ રમેશભાઈ ત્રિવેદીએ મૂળ માલિકો અને ખરીદનારા વિરુદ્ધ મિલ્કત સંદર્ભે 2009માં સ્મોલ કોઝ કોર્ટમાં વિજ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમ મેળવવાનો દાવો દાખલ કર્યો હતો. તેમાં એવી તકરાર કોર્ટ સમક્ષ લેવામાં આવેલ કે તેઓ સમગ્ર મિલ્કતના ભાડુઆત છે અને મકાન માલીકે કાયદાની પ્રક્રિયા અનુસર્યા સિવાય ભાડાવાળી જગ્યા કે જે કોરોનેશન મોટર્સના નામથી ઓળખાય છે તેમાં 6 શટર્સવાળો શો-રૂૂમ તથા પાછળના ભાગે 4 બારણા આવેલ છે અને ખુલ્લી જગ્યાં આવેલ છે, જેના તેઓ 1930થી ભાડુઆત છે, જેથી આ ભાડાવાળી જગ્યામાં કોઈ અડચણ, અટકાયત, અવરોધ કરેકરાવે નહીં કે કબ્જો છીનવે નહીં તેવા કાયમી મનાઈ હુકમ મેળવવાની દાદ માંગી હતી.

આ કેસમાં મૂળ માલિક અને રજિસ્ટર દસ્તાવેજથી ખરીદનારાઓએ અદાલતને જણાવ્યું હતું કે, મુળ વાદી ભાડુઆતે કોર્ટ સમક્ષ હાલનો ખોટો દાવો કરેલ છે. વાદી મેંગણી હાઉસ તરીકે ઓળખાતી મિલ્કત કે જે 1977-32 ચો.મી. સહિતની મિલ્કતના ભાડુઆત હોવાની હકીકત કોર્ટને ગેરમાર્ગે દોરનારી છે, વાદી માત્ર કોરોનેશન મોટર્સ નામની ભાગીદારી પેઢી આગળના ભાગે 6 શટ્ટર્સ વાળો શો-રૂૂમ તથા પાછળના ભાગે 4 બારણા આવેલ છે તેટલી જ જગ્યાના ભાડુઆત છે, ખુલ્લી જગ્યાના માલીક અમો પ્રતિવાદી છીએ. આમ ખુલ્લી જગ્યાનાં તેઓ ભાડુઆત ન હોવા છતાં કોર્ટને ગેરમાર્ગે દોરી કોર્ટની પ્રક્રિયાનો ગેરલાભ લઈ ટ્રેસપાસ યુકત કૃત્ય કરવાનો પ્રયત્ન કરેલ છે. પ્રતિવાદીઓએ આ બચાવના સમર્થનમાં અદાલત સમક્ષ ભાડાની પહોંચ, આકારણી પત્રક, ત્રાહિત વ્યકિતઓની જુબાની તથા અગાઉના મકાન માલીક જનકબા બળવંતસિંહ જાડેજા તથા સેન્ટ કર્વે સ્કુલના ભાડુઆત વચ્ચે અદાલતમાં જે લીટીગેશન થયેલ તેની ખરી નકલ રજુ કર્યા હતા.

આ ઉપરાંત વિવિધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા. જે ધ્યાને લઈને સ્મોલ કોઝ કોર્ટ જજ સી.પી. ચારણે મુળ વાદી ભાડુઆત કોરોનેશન મોટર્સના ભાગીદાર હરીતભાઈ રમેશચંદ્ર ત્રિવેદીએમ્ત સમગ્ર મિલ્કતમાંથી 197732 ચો.મી.ના ભાડુઆત હોય તેવો કોઈ લેખિત આધાર પુરાવો રજુ કરેલ નથી. ઓપન લેન્ડની માલિકી લેન્ડ ઓનરની ગણાય જેથી ભાડુઆત જે જગ્યાના ભાડુઆત ન હોય તેઓ મકાન માલીક સામે મનાઈ હુકમ માંગવા કે મેળવવા હકકદાર નથી તેમ ઠેરવી વાદી ભાડુઆતનો દાવો રદ્દ કર્યો છે. આ કામમાં પ્રતિવાદી ભૂપતભાઈ જસમતભાઈ બોદર વગેરે વતી એડવોકેટ પરેશ મારૂૂ, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ રોકાયા હતા.

Continue Reading

ગુજરાત

ફિઝિક્સ ભવનના છાત્રએ રોજનું 35 કરોડ લિટર પાણી બચાવતી ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ બનાવી

Published

on

By

નવી દિલ્હી ખાતે વિઝન ફોર વિકસિત ભારત પરિસંવાદમાં સાહિલ રાઠોડનું કરાયુ સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભૌતિકશાસ્ત્ર ભવન સમાજ ઉપયોગી સંશોધનો કરવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. શિક્ષણ અને સંશોધન પુસ્તકો તેમજ લેબોરેટરી સુધી સિમિતન રહેતા વાસ્તવિક સમસ્યાનું સમાધાન લાવી શકે તેવા અભિગમ સાથે ભૌતિક શાસ્ત્ર ભવનમાં સંશોધન કાર્ય થતું રહે છે. સાંપ્રત સમયમાં પાણીનો વ્યય અને બગાડ ખૂબ જ જટિલ સમસ્યા છે. પાણીનો વ્યય અટકાવવાના એક પ્રયાસ સ્વરૂૂપ ભૌતિકશાસ્ત્ર ભવનના એમ.એસ.સી ફિઝિકસના વિદ્યાર્થી સાહિલ રાઠોડે ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ ડિઝાઇન કરી છે.

જેના દ્વારા પ્રતિદિન આશરે 35 કરોડ લિટર પાણી બચાવી શકાશે. ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ એ એક આદર્શ તકનીકી છે જે વિવિધ ક્ષેત્રોમાં પાણીના વિતરણને સ્વચાલિત કરીને રોજનું આશરે 35 કરોડ લિટર તેમજ પ્રતિવર્ષ 12,775 કરોડ લિટરથી વધુ પાણી બચાવી શકે તેમ છે. સાહિલ આ પ્રોજેકટ પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યા છે. તા. 13-10-2024 ના રોજ આત્મીય યુનિવર્સિટી ખાતે યોજાયેલ વિઝન ફોર વિકસિત ભારત સંમેલનમાં આ પ્રોજેકટ માટે સાહિલને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઓટો વોટર ફિલિંગ સિસ્ટમને પ્રમાણમાં ખૂબ ઓછા ખર્ચે બનાવી શકાય છે તેમજ તેનું સંચાલન પણ ખુબ સરળ છે. શહેરી રહેઠાણ વિસ્તારથી લઈને ગ્રામ્ય કૃષિ ક્ષેત્રોમાં પણ ઇમ્પલિમેન્ટ કરી શકાશે. ભવિષ્યમાં આ સિસ્ટમને જો મોટા પાયે ઈમ્પલિમેન્ટ કરવામાં આવે તો ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય અટકે તેવી શક્યતાઓ છે.


નવી દિલ્હી ખાતે નવેમ્બર 2024 દરમિયાન યોજાનાર વિઝન ફોર વિકસિત ભારત કોન્ફરન્સ માટે સાહિલનો આ પ્રોજેકટ પસંદગી પામ્યો છે જે ભવન માટે ખૂબ ગૌરવની બાબત છે. સાહિલની આ સિદ્ધિ બદલ ભવનના અધ્યક્ષ પ્રોફેસર નિકેશ શાહ, ભવનના પ્રાધ્યાપકો તેમજ સ્ટાફ મેમ્બર્સે શુભેચ્છાઓ પાઠવી છે.

Continue Reading
ગુજરાત2 mins ago

શાકભાજીના ભાવમાં વધારો, મધ્યમ વર્ગના બજેટને ચડશે ઠંડી

ગુજરાત2 mins ago

જે વ્યક્તિ કોર્ટની પ્રક્રિયાનો ગેરલાભ લેવાનો પ્રયત્ન કરતી હોય તે માલિક સામે મનાઇ હુકમ મેળવી શકે નહીં: કોર્ટ

ગુજરાત4 mins ago

ફિઝિક્સ ભવનના છાત્રએ રોજનું 35 કરોડ લિટર પાણી બચાવતી ઓટો વોટર ફિલિંગ સિસ્ટમ બનાવી

ગુજરાત4 mins ago

પદ્ધતિ જ એવી અપનાવો કે કોઈને ટ્રેસ ન પડે

ગુજરાત7 mins ago

મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો

ગુજરાત8 mins ago

ખાલી રહેલા આવાસો માટે કાલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

ગુજરાત10 mins ago

હાપા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન ન્યૂ બંગાઇ ગાંવ સ્ટેશન સુધી જશે

ગુજરાત10 mins ago

માયાણીનગરમાં વીજળી મકાનની છત ચીરી સોંસરવી નીકળી ગઈ

ગુજરાત14 mins ago

100 કરોડ સામે અડધી મિનિટમાં 495 કરોડનું ભરણું

રાષ્ટ્રીય2 hours ago

નાયબ સિંહ સૈની બનશે હરિયાણાના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય

ક્રાઇમ23 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય22 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત23 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત23 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત23 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત23 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending