ચોટીલા જતા પદયાત્રીઓને કારે ઠોકરે લેતા કલોલના કોઠા ગામના વૃધ્ધાનું મોત

સાયલા-ચોટીલા હાઈવે પર વખતપર ગામ નજીક કાર ચાલકે પગપાળા જતી બે વૃદ્ધાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કલોલ તાલુકાના કોઠા ગામની એક મહિલાનું મોત…

સાયલા-ચોટીલા હાઈવે પર વખતપર ગામ નજીક કાર ચાલકે પગપાળા જતી બે વૃદ્ધાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કલોલ તાલુકાના કોઠા ગામની એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે એક વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.કલોલ તાલુકાના કોઠા ગામેથી 35 લોકોનો સંધ ચોટીલા પગપાળા માનતા પુરી કરવા છ દિવસ પહેલા નીકળ્યો હતો. શુક્રવારના રોજ આ સંઘ સાયલા તાલુકાના વખતપર ગામ નજીક પહોંચ્યો હતો. દરમિયાન અમદાવાદથી જુનાગઢ તરફ જતી કારે બે પદયાત્રી વૃદ્ધાને અડફેટે લઇ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં વિમળાબા સતુજી ચાવડા (ઉં.વ.67, રહે. કોઠા ગામ, તા.કલોલ)નું મોત નીપજ્યું હતું. જ્યારે કૈલાશબા તખાજી ચાવડા (ઉં.વ.70, રહે.કોઠ ગામ,તા. કલોલ)ને ગંભીર ઇજાઓ પહોંચતા 112 એમ્બ્યુલન્સ વડે સાયલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં સંઘના લોકોને થતાં લોકો હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા. હાલ પોલીસે મૃતકને પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂૂવારના રોજ સાયલા-ચોટીલા હાઈવે પર કાર ચાલકે આયા બોર્ડ પાસે 6 લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અકસ્માત સર્જી ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો છેે. ત્યારે આજે સતત બીજા દિવસે સાયલા હાઇવે પર અકસ્માત સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *