અમરેલી
શાપરના પારડીમાં માવતરે આવેલી નવોઢાનો કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ
ટંકારાના મીતાણામાં શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ અકસ્માતે દાઝયો
બાબરા તાલુકાના પીપળીયા ગામે રહેતી પરિણીતા શાપરના પારડી ગામે રહેતા માવતરે આટો દેવા આવી હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર કૂવામાં જંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના પીપળીયા ગામે રહેતી મયુરીબેન ધર્મેશભાઈ ખુમાણ નામની 26 વર્ષની પરિણીતા શાપરના પાલડી ગામે રહેતા પિતા હરેશભાઈના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર કૂવામાં જંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મયુરીબેન ખુમાણને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મયુરીબેન ખુમાણના સાત માસ પૂર્વે જ લગ્ન થયા છે અને પિતાના ઘરે આંટો દેવા આવ્યા બાદ કોઈ અગમ્ય કારણસર કૂવામા ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મોરબીના મીતાણા ગામે આવેલી કંપનીમાં કામ કરતા શ્રમિક પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે ગરમ પાણીમાં પટકાયો હતો. માસુમ બાળક ગંભીર રીતે દાજી જતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ પરિવારમાં નવા સદસ્યનું જ નહીં પરંતુ અનેરા લગાવ યુક્ત માતૃત્વ અને પિતૃત્વનું પણ આગમન થયું છે.
અમરેલી
જાફરાબાદના સનખડા ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
દસેક મિત્રો સાથે માલણ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હતો
મૂળ અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના જયદિપ વાધેલા નામનો 20 વર્ષિય યુવક પોતાના સનખડા ગામે થી અભ્યાસ કરવા આવતા યુવાનો સાથે મિત્રતા કેળવી હોય અને ઉના નાં સનખડા ગામે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે તે માણવા મિત્રો ની સાથે સનખડા ગામે આવેલ હતો બપોરના સમયે દશ બાર મિત્રો માલણ નદી માં નાહવા ગયેલ આ દરમિયાન જયદિપ વાધેલા શ્મશાન નજીક આવેલા ઊંડા ભુવા નાં પાણીમાં તણાવવા લાગતાં ડૂબવા લાગ્યો હતો અને બુમાબુમ પાડતાં તેનાં મિત્રો દ્વારા બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાવલ નદીમાં પાણી નાં પ્રહાર ભારે વહેતાં હોવાનાં કારણે બચાવવો મુશ્કેલ બનતાં તાત્કાલિક ગામલોકો ને જાણ થતાં મોટીસંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડી પહેલાં તરવૈયા યુવાનો એ શોધખોળ કરતાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યાર બાદ ત્યાં બંદોબસ્ત માં રહેલ પોલીસ એ નદી નાં કાંઠે ભેગા થયેલાં લોકો ને દુર કરી મામલતદાર અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા એન.ડી.આર.એફ ટીમ ને સ્થળે બોલાવી શ્મશાન નજીક તપાસ શરૂૂ કરતાં બે કલાક ની ભારે જહેમત બાદ આશાસ્પદ યુવાન જયદિપ વાધેલા ઉવ20 નાં મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢીને સનખડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક જયદીપ વાધેલા નાં પરીવાર ને જાણ કરાતાં તે પણ જાફરાબાદ થી સનખડા દોડી આવ્યા હતા અને પોતાનાં લાડકવાયા જવાન જોધ દિકરા નાં મૃતદેહ ને જોતાં ભાગી પડ્યા હતાં અને શોકમય વાતાવરણ ફેલાયું હતું.
અમરેલી
જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા
જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.
ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ