ગુજરાત
હવા હવાઇ; હિરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યોજના ટલ્લેે
હાલમાં બનતા ટર્મિનલમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટનું જ ઓપરેશન થશે
ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે હજુ ‘ઠાગાઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું’ જેવો ઘાટ
“નવું બની રહેલું ટર્મિનલ હાલ ડોમેસ્ટિક ઓપરેશન માટે જ હોવાની ઓથોરીટીની સ્પષ્ટતાથી ભારે ચકચાર”
રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભારે તેવી આશા હવે નિરાશા બની રહી છે. રાજકોટના હિરાસર ખાતેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી માત્ર ડોમેસ્ટીક ફ્લાઇટનું ઓપરેટીંગ કરવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઉડાન માટે હવે નવું આંતરરાષ્ટ્રીય ટર્મીનલ બનાવવામાં આવશે. તેવી વાત જાણવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર હાલ ઇમીગ્રેશન, ક્સટમ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટેની સુવિધા ઉપલબ્ધ ન હોય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો માટે જરૂરી વ્યવસ્થાના આભાવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઓપરેટીંગ શક્યા નથી.ત્યારે હાલ માત્ર ડોમેસ્ટીક ફ્લાઇટ ઉડાન ભરશે અને આગામી 15 ઓગષ્ટ સુધીમાં નવા ટર્મીનલનો પણ ડોમેસ્ટીક ફલાઇટ માટે ઉપયોગ થશે.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં બની રહેલા ટર્મીનલનો કામ 15 ઓગષ્ટ પહેલા પૂરુ કરવાનો હતું અને આ ટર્મીનલ ચાલુ થતા જ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે તેવું લાગ રહ્યું હતું. પરંતુ હવે આ મામલે ચોક્વનારો ધડાકો થયો છે કે, આ ટર્મીનલ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઉડાન કે ઉતરણ નહીં કરે. એરપોર્ટ ઓથોરીટીના સુત્રો પ્રમાણે હાલમાં જે ટર્મીનલ બની રહી છે તે ફક્ત ડોમેસ્ટીક ફ્લાઇટ માટે ઉપયોગમાં લેવાશે. હાલમાં જ ઉચ્ચ અધિકારીઓની મીટિંગ મળી હતી. જેમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો છે કે, નવા ટર્મીનલમાં ફ્કત ડોમેસ્ટીક ફ્લાઇટ જ ચલાવવામાં આવશે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે જરૂર હોય તો ભવિષ્યમાં નવું ટર્મીનલ બનાવવામાં આવે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર દીગંત બોહરાએ પૃષ્ટી કરતા જણાવ્યુ હતું કે, હાલમાં જ આ બાબતે મીટિંગ મળી હતી અને એક નવા ટર્મીનલ બનાવવા માટેની દરખાસ્ત મળી છે. હાલ આ દરખાસ્ત પ્લાનિંગ હેઠળ છે.
આ અંગે સુત્રોએ જણાવ્યુ હતું કે, હજુ સુધીમાં કોઇ એરલાઇન્સ તરફથી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ ચાલુ કરવાની દરખાસ્ત મળી નથી. પરંતુ જો આ અંગે દરખાસ્ત મળશે તો નાગરીક ઉડાયન મંત્રાલય તેમની વિનંતીના આધારે હાલના કામ ચાલઉ ટર્મીનલ પરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટને ઉડાન ભરવા મંજૂરી આપશે.
ફેબ્રુઆરી-24માં ટર્મિનલનું બાંધકામ પૂરું કરવાનું હતું પણ હજુ એક મહિનો લાગશે
સપ્ટેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટનું લોકર્પણ કરાયા બાદ ટેમ્પરરી ટર્મીનલના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ત્યારે જાહેર કરાયું હતુ કે, હાલમાં લોકર્પણ કરાયેલ ટર્મીનલ કામ ચલાઉ છે અને નવું ટર્મીનલ ફેબ્રુઆરી 2024માં પૂરુ થઇ જશે. પરંતુ હજુ સુધી આ નવા ટર્મીનલનું બાંધકામ પુરુ કરી શકાયું નથી અને એરપોર્ટ ઓથોરીટી દ્વારા 15 ઓગષ્ટ 2024ના રોજ બાંધકામ પુરુ થઇ જશે તેવો નવો વાયદો કરવામાં આવ્યો છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
રાષ્ટ્રીય16 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો