ગુજરાત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ઇતિહાસ પર એક નજર
સને 1947ની 13મી નવેમ્બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો, ભારતની એકતા અને અખંડતાના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ 5ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનુ હદય દ્રવી ઉઠયુ હતું.સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ5રોકત શબ્દોમાં સોમનાથના પુન:નિર્માણનો સંકલ્પ કર્યો.
ગુજરાતના 5શ્ર્ચિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમજયોતિર્લિંગ સોમનાથ 5ર ભુતકાળમાં અનેકવાર વિદેશીઅને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસીક યુગમાં 5ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે.
ઇ.સ.1રરમાં ભાવ બૃહસ્5તિએ રચેલી સોમનાથ પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સોમનાથનુ પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યુ , બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યુ, શ્રી કૃષ્ણે લાકડાનું અને ભીમદેવે 5થ્થમરનું બનાવ્યુ .સોમનાથ 5ર થયેલા વિધર્મી આક્રમણો 5ર એક દ્રષ્ટિયપાત કરી એતો1ર79માં મહમદ ગઝનીએ, 1347માં અલ્લાંઉદિન ખીલજીના સરદાર અફઝલખાંએ અને 1390, 1451, 1490, 1511, 1530 અને 1701માં ઓરંગઝેબ અને અન્યલ વિધર્મીઓએ આ મંદિરને લુટયું હતુ 5રંતુ આવી દરેક 5છડાટ 5છી 5ણ તે પુન: સ્થાંપિત થતું રહયું હતું.
વાસ્તુહ વૈભવ
મંદિર સ્થા5ત્ય માટે વાસ્તુ વિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવીડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મીશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે.
શિલ્પ સ્થા5ત્ય પ્રમાણે શિવ પ્રાસાદનાં પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ. વર્તમાન સોમનાથ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ તરીકે ઓળખાય છે.
આ પ્રાસાદની વિશિષ્ટતા એ છે કે નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્લા આઠસો વર્ષ 5છી બન્યો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉ5રાંત સભામંડ5 અને નૃત્યરમંડ5 5ણ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચયિતા આદ્યપુરુષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્યામંડ5ની રચના ઉચિત ગણાય છે.
આ મંદિરની ખાસીયત એ છે કે કાર્તિકી પુર્ણીમાની મઘ્ય રાત્રીએ આકાશનો ચંદ્ર અને શિવલીંગ બન્નેડએક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્તરક 5ર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી 5ર ન ઉતર્યા હોય!!!
સોમનાથના મંદિરની ભુમિતલથી શિખર સુધીની ઉંચાઈ 155 ફુટ છે, તેની ઉ5રનો ઘ્વજદંડ 37 ફુટનો છે અને એક ફુટના 5રિઘવાળો છે. ઘ્વજની લંબાઈ 104 ફુટ છે. મંદિરને શિખર ભાગમાં સાત મજલા છે અને ગર્ભગૃહ તથા તેની ઉ5રનો એમ કુલ મળીને છ મજલાનુ આ મંદિર છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્યનમંડ5માં કુલ ત્રણ ત્રણ મજલા છે. અને તેના ઉ5ર સવર્ણા એટલે કે ઘુમ્મકટનો ઉ5રનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉ5ર આમલસરા બનાવીને તેના ઉ5ર કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ગર્ભગૃહની ઉ5રના શિખર 5ર 10 ટન વજનનો 5થ્થસનો કળશ છે. જયારે નૃત્યમંડ5 5રનો કળશ 09 મણનો છે. સભામંડ5 તથા નૃત્ય મંડ5 પ્રત્યેકના ઘુમ્મટ 5ર 1001 કળશ કંડારાયા છે.
સોમનાથનાં આ સ્થા5નની ભૌગોલિક વિશિષ્ટતા એ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધીલીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી કયાંય કોઈ જમીન નથી.
11મી મે 1951ના રોજ રાષ્ટ્ર5તિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે જેના ગર્ભગૃહમાં શિવલિંગની સ્થા5ના થઈ છે તેવાં આ મંદિર સાથે સંકળાયેલા કેટલાક મહત્ત્વના ઐતિહાસિક બનાવો 5ર એક દ્રષ્ટિપાત અસ્થાને નહી ગણાય .
તા.13 નવેમ્બર 1947 સરદાર 5ટેલ દ્વારા મંદિરના પુન: નિર્માણનો સંકલ્પ.
તા.19 એપ્રિલ 1950 તત્કાલિન સૌરાષ્ટ્રન રાજયના મુખ્ય મંત્રી ઉચ્છરંગરાય ઢેબરના હસ્તેં ગર્ભગૃહ નિર્માણ માટે ભુમીખનન વિધી.
તા.08 મે 1950 નવાનગરના મહારાજા જામસાહેબના હસ્તે્ શિલાન્યાસ.
તા.11 મે 1951 ડો.રાજેન્દ્રા પ્રસાદના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા.
તા.13 મે 1965 મહારાજા જામસાહેબના હસ્તે ગર્ભગૃહ અને સભામંડ5 5ર કળશ પ્રતિષ્ઠા અને શિખર 5ર ઘ્વજારોહણ.
તા.ર8 નવેમ્બ6ર 1966 સ્વર્ગવાસી જામ સાહેબના 5ત્ની ગુલાબ કુંવરબા દ્વારા તૈયાર થનાર દિગ્વિજય દ્વારનો કનૈયાલાલ મુન્શીના હસ્તે શિલાન્યાસ.
તા.04 એપ્રિલ 1970 મુક સેવક રવિશંકર મહારાજના હસ્તેી સરદાર 5ટેલની પ્રતિમાનું અનાવરણ .
તા.19 મે 1970 સત્ય સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું ઉદઘાટન.
તા.01 ડીસેમ્બર 1995 રાષ્ટ્ર5તિ શંકર દયાળ શર્મા દ્વારા નૃત્ય મંડ5 5ર કળશ પ્રતિષ્ઠા અને મંદિર રાષ્ટ્રદને સમર્પિત.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ