ગુજરાત
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ઇતિહાસ પર એક નજર
સને 1947ની 13મી નવેમ્બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો, ભારતની એકતા અને અખંડતાના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ 5ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનુ હદય દ્રવી ઉઠયુ હતું.સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ5રોકત શબ્દોમાં સોમનાથના પુન:નિર્માણનો સંકલ્પ કર્યો.
ગુજરાતના 5શ્ર્ચિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમજયોતિર્લિંગ સોમનાથ 5ર ભુતકાળમાં અનેકવાર વિદેશીઅને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસીક યુગમાં 5ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે.
ઇ.સ.1રરમાં ભાવ બૃહસ્5તિએ રચેલી સોમનાથ પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સોમનાથનુ પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યુ , બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યુ, શ્રી કૃષ્ણે લાકડાનું અને ભીમદેવે 5થ્થમરનું બનાવ્યુ .સોમનાથ 5ર થયેલા વિધર્મી આક્રમણો 5ર એક દ્રષ્ટિયપાત કરી એતો1ર79માં મહમદ ગઝનીએ, 1347માં અલ્લાંઉદિન ખીલજીના સરદાર અફઝલખાંએ અને 1390, 1451, 1490, 1511, 1530 અને 1701માં ઓરંગઝેબ અને અન્યલ વિધર્મીઓએ આ મંદિરને લુટયું હતુ 5રંતુ આવી દરેક 5છડાટ 5છી 5ણ તે પુન: સ્થાંપિત થતું રહયું હતું.
વાસ્તુહ વૈભવ
મંદિર સ્થા5ત્ય માટે વાસ્તુ વિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવીડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મીશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે.
શિલ્પ સ્થા5ત્ય પ્રમાણે શિવ પ્રાસાદનાં પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ. વર્તમાન સોમનાથ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ તરીકે ઓળખાય છે.
આ પ્રાસાદની વિશિષ્ટતા એ છે કે નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્લા આઠસો વર્ષ 5છી બન્યો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉ5રાંત સભામંડ5 અને નૃત્યરમંડ5 5ણ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચયિતા આદ્યપુરુષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્યામંડ5ની રચના ઉચિત ગણાય છે.
આ મંદિરની ખાસીયત એ છે કે કાર્તિકી પુર્ણીમાની મઘ્ય રાત્રીએ આકાશનો ચંદ્ર અને શિવલીંગ બન્નેડએક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્તરક 5ર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી 5ર ન ઉતર્યા હોય!!!
સોમનાથના મંદિરની ભુમિતલથી શિખર સુધીની ઉંચાઈ 155 ફુટ છે, તેની ઉ5રનો ઘ્વજદંડ 37 ફુટનો છે અને એક ફુટના 5રિઘવાળો છે. ઘ્વજની લંબાઈ 104 ફુટ છે. મંદિરને શિખર ભાગમાં સાત મજલા છે અને ગર્ભગૃહ તથા તેની ઉ5રનો એમ કુલ મળીને છ મજલાનુ આ મંદિર છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્યનમંડ5માં કુલ ત્રણ ત્રણ મજલા છે. અને તેના ઉ5ર સવર્ણા એટલે કે ઘુમ્મકટનો ઉ5રનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉ5ર આમલસરા બનાવીને તેના ઉ5ર કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ગર્ભગૃહની ઉ5રના શિખર 5ર 10 ટન વજનનો 5થ્થસનો કળશ છે. જયારે નૃત્યમંડ5 5રનો કળશ 09 મણનો છે. સભામંડ5 તથા નૃત્ય મંડ5 પ્રત્યેકના ઘુમ્મટ 5ર 1001 કળશ કંડારાયા છે.
સોમનાથનાં આ સ્થા5નની ભૌગોલિક વિશિષ્ટતા એ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધીલીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી કયાંય કોઈ જમીન નથી.
11મી મે 1951ના રોજ રાષ્ટ્ર5તિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે જેના ગર્ભગૃહમાં શિવલિંગની સ્થા5ના થઈ છે તેવાં આ મંદિર સાથે સંકળાયેલા કેટલાક મહત્ત્વના ઐતિહાસિક બનાવો 5ર એક દ્રષ્ટિપાત અસ્થાને નહી ગણાય .
તા.13 નવેમ્બર 1947 સરદાર 5ટેલ દ્વારા મંદિરના પુન: નિર્માણનો સંકલ્પ.
તા.19 એપ્રિલ 1950 તત્કાલિન સૌરાષ્ટ્રન રાજયના મુખ્ય મંત્રી ઉચ્છરંગરાય ઢેબરના હસ્તેં ગર્ભગૃહ નિર્માણ માટે ભુમીખનન વિધી.
તા.08 મે 1950 નવાનગરના મહારાજા જામસાહેબના હસ્તે્ શિલાન્યાસ.
તા.11 મે 1951 ડો.રાજેન્દ્રા પ્રસાદના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા.
તા.13 મે 1965 મહારાજા જામસાહેબના હસ્તે ગર્ભગૃહ અને સભામંડ5 5ર કળશ પ્રતિષ્ઠા અને શિખર 5ર ઘ્વજારોહણ.
તા.ર8 નવેમ્બ6ર 1966 સ્વર્ગવાસી જામ સાહેબના 5ત્ની ગુલાબ કુંવરબા દ્વારા તૈયાર થનાર દિગ્વિજય દ્વારનો કનૈયાલાલ મુન્શીના હસ્તે શિલાન્યાસ.
તા.04 એપ્રિલ 1970 મુક સેવક રવિશંકર મહારાજના હસ્તેી સરદાર 5ટેલની પ્રતિમાનું અનાવરણ .
તા.19 મે 1970 સત્ય સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું ઉદઘાટન.
તા.01 ડીસેમ્બર 1995 રાષ્ટ્ર5તિ શંકર દયાળ શર્મા દ્વારા નૃત્ય મંડ5 5ર કળશ પ્રતિષ્ઠા અને મંદિર રાષ્ટ્રદને સમર્પિત.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું