ગુજરાત
અટલ સરોવરમાં ધંધાર્થીઓ પાસે ભાડું નહીં ભાગીદારી માગતી કંપની
30 ટકા શેરિંગ માગતા વિવાદ: ભાડા કરાર નહીં કરીક્યુબ ક્ધસ્ટ્રકશન એજન્સીએ છેતરપિંડી કરી હોવાના ધંધાર્થીઓના આક્ષેપ: તંત્રને આવેદન આપી રજૂઆત
નવા રિંગરોડ-2 પર નિર્માણ કરવામાં આવેલ અટલ સરોવર શરૂ થયું ત્યારથી જ વિવાદમાં આવ્યું છ ત્યારે અટલ સરોવરનું સંચાલન કરતી કયુબ ક્ધસ્ટ્રકશન એજન્સીએ સતાની રૂએ 13 ધંધાર્થીઓને દુકાન ભાડાથી આપી હતી તેના કરાર કરાયા હતા નહીં. હાલ કંપની ભાડુ નહીં પણ ભાગીદારી માંગતી હોવાના અને છેતરપીંડી કરી હોવાના ધંધાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિવાદ છેડાયો છે.
આ અંગે ધંધાર્થીઓએ કહ્યું હતું કે આ કયુબ કંન્સ્ટ્રકશન કંપની દ્વારા અમો 13 જેટલા ફુડ વેન્ડરોને જે તે સમયે અટલ સરોવર ચાલુ થયા પછી મૌખિક કરાર કરી આ દુકાનો રૂૂા. 25,000/- થી 35,000/- ના અલગ અલગ માસિક ભાડે ફાળવવામાં આવી હતી. સમય આવતાં આપણે લેખિત ભાડા કરાર કરી લેશું, અત્યારે જરૂૂર નથી તેવી કંપનીના સંચાલકો દ્વારા મૌખિક બાહેંધરી આપવામાં આવી હતી. આ વાતચિત થયા બાદ કયુબ કંન્સ્ટ્રકશન કંપનીના જવાબદાર અધિકારી અને દુકાન ધારકો પાસેથી માતબ2 2કમ ચેક તથા રોકડ સ્વરૂૂપે ડિપોઝીટ પેટે ઉઘરાવેલ છે અને તે પૈકી કેટલી રકમ ભાડા પેટે તેઓએ જમા રાખેલ. આ અંગેનો હિસાબ તેઓ આપતા નથી અને અમારી આ મરણ મુડી ઓળવી ગયેલ છે અને હવે તેઓ તેમની મનમાની કરી અને ભાડાની રકમ અતિશય ઝુલ્મી રીતે અમો દુકાન ધારકો પાસે માંગણી કરે છે. અમોએ તેઓના ભ2સો અને વિશ્વાસે મોટું ઈન્વેસ્ટમેન્ટ કરેલ છે અમારી આ મજબુરીનો ગેરલાભ લેવા બેફામ ભાડુ વધારેલ છે. અમોએ આવા બેફામ ભાડા વસુલ ન કરવા જણાવેલ છે તો તેઓએ જણાવેલ કે, તમામ સતાધિકારીઓ, અધિકારી અમારા ખીસ્સામાં છે અને તમારે જે પણ આવેદન કરવું હોય તે કરી શકો છો.
અગ્નિકાંડ થતાં અટલ સરોવર મહાનગર પાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતું. જયારે 1 ઓગષ્ટથી પાલિકાએ સરોવરને ફરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી ત્યારે કયુબ કન્સ્ટ્રકશન કંપનીએ કરા2 ક2વા માટે અમારી સાથે એકા એક સંપર્ક કરેલ. આ સાથે અમોને એ પણ જાણ કરવામાં આવેલ કે, હવે પછી દુકાનોનું ભાડુ અગાઉ નક્કી કરેલ ભાડા પ્રમાણે નહિં પરંતુ નવા ભાડા તરીકે એટલે કે તમારા કુલ ધંધાના 30 % લેખે વસુલ કરવામાં આવશે. સાથે સાથે અન્ય શરતોમાં પણ ફેરફારનું જણાવેલ હતું. ઉપરોકત નવા ભાડા તથા શરતો જેઓને મંજુર ન હોય તેઓ પોતાની દુકાન કરી દેવા અમોને જાણ કરેલ. આ એગ્રીમેન્ટ અમો મિલકત ધંધાને આપેલ છે અને તે મુજબ તાત્કાલીક કરાર કરવા દબાણ કરવામાં આવે છે.
આ બાબતે અમો તમામ દુકાન ધારકોએ કંપનીનનો સંપર્ક કરેલ અને એનેક વખત 2જૂઆતો કરેલ કે તેઓની આ માંગણી તદ્દન ગેરવ્યાજબી છે. આપણા વચ્ચે ભાડા બાબતે અગાઉથી ભાવ નક્કી થયેલ છે અને ત્યાર પછીજ તમોએ અમોને દુકાનોનો કબજો સોંપેલ છે અને તેઓના કહેવાથી જ અમોએ લેખિત કરાર કરવાનું બાકી રાખેલ છે.
હવે જયારે અમો દુકાનદારોએ દુકાનોમાં લાખોનું રોકાણ કરી ધંધો કરવા માટે દુકાનો તૈયાર કરેલ હોય ત્યારે અમારી આ સ્થિતિનો ગેરલાભ લેવા તથા વધુ પૈસા કમાવાવની લાલચે આ કયુબ કંન્સ્ટ્રકન કંપની દ્વારા અમો સાથે છેતરપીડી તથા વિશ્વાસઘાત કરવામાં આવેલ છે. નાના વ્યાપારીઓનું કંપની દ્વારા શોષણ ન થાય તથા અમારી સાથે થયેલ વિશ્વાસઘાત બાબતે યોગ્ય તપાસ કરી અમોને ન્યાય અપાવવા આ આવેદન પત્રનો સ્વીકાર કરશો. તેમ તંત્રમાં કરેલ રજુઆતમાં ધંધાર્થીઓએ જણાવ્યુ છે.
અટલ સરોવરમાં 150નો સ્ટાફ અને મેઇન્ટેન્સનો ખર્ચ વધારે
અટલ સરોવર વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલ છે તેની જાળવણી થવી જરૂરી છે. આ પબ્લિક માટે છે અને સુવિધા પણ આપવી જરૂરી છે અને તેની જાણકારી માટે 150 થી વધારે સ્ટાફ રાખવામાં આવ્યો છે ત્યારે તેની જાળવણીનો ખર્ચ પગાર બધુ નજીવા ભાડામાં પોસાય નહીં અને અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ હતુ ત્યારે ધંધાર્થીઓ પાસેથી ભાડુ પણ લીધુ નથી.
- કયુબ ક્ધસ્ટ્રકશન કંપની-પ્રતિનિધિ
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ