ગુજરાત
અટલ સરોવરમાં ધંધાર્થીઓ પાસે ભાડું નહીં ભાગીદારી માગતી કંપની
30 ટકા શેરિંગ માગતા વિવાદ: ભાડા કરાર નહીં કરીક્યુબ ક્ધસ્ટ્રકશન એજન્સીએ છેતરપિંડી કરી હોવાના ધંધાર્થીઓના આક્ષેપ: તંત્રને આવેદન આપી રજૂઆત
નવા રિંગરોડ-2 પર નિર્માણ કરવામાં આવેલ અટલ સરોવર શરૂ થયું ત્યારથી જ વિવાદમાં આવ્યું છ ત્યારે અટલ સરોવરનું સંચાલન કરતી કયુબ ક્ધસ્ટ્રકશન એજન્સીએ સતાની રૂએ 13 ધંધાર્થીઓને દુકાન ભાડાથી આપી હતી તેના કરાર કરાયા હતા નહીં. હાલ કંપની ભાડુ નહીં પણ ભાગીદારી માંગતી હોવાના અને છેતરપીંડી કરી હોવાના ધંધાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિવાદ છેડાયો છે.
આ અંગે ધંધાર્થીઓએ કહ્યું હતું કે આ કયુબ કંન્સ્ટ્રકશન કંપની દ્વારા અમો 13 જેટલા ફુડ વેન્ડરોને જે તે સમયે અટલ સરોવર ચાલુ થયા પછી મૌખિક કરાર કરી આ દુકાનો રૂૂા. 25,000/- થી 35,000/- ના અલગ અલગ માસિક ભાડે ફાળવવામાં આવી હતી. સમય આવતાં આપણે લેખિત ભાડા કરાર કરી લેશું, અત્યારે જરૂૂર નથી તેવી કંપનીના સંચાલકો દ્વારા મૌખિક બાહેંધરી આપવામાં આવી હતી. આ વાતચિત થયા બાદ કયુબ કંન્સ્ટ્રકશન કંપનીના જવાબદાર અધિકારી અને દુકાન ધારકો પાસેથી માતબ2 2કમ ચેક તથા રોકડ સ્વરૂૂપે ડિપોઝીટ પેટે ઉઘરાવેલ છે અને તે પૈકી કેટલી રકમ ભાડા પેટે તેઓએ જમા રાખેલ. આ અંગેનો હિસાબ તેઓ આપતા નથી અને અમારી આ મરણ મુડી ઓળવી ગયેલ છે અને હવે તેઓ તેમની મનમાની કરી અને ભાડાની રકમ અતિશય ઝુલ્મી રીતે અમો દુકાન ધારકો પાસે માંગણી કરે છે. અમોએ તેઓના ભ2સો અને વિશ્વાસે મોટું ઈન્વેસ્ટમેન્ટ કરેલ છે અમારી આ મજબુરીનો ગેરલાભ લેવા બેફામ ભાડુ વધારેલ છે. અમોએ આવા બેફામ ભાડા વસુલ ન કરવા જણાવેલ છે તો તેઓએ જણાવેલ કે, તમામ સતાધિકારીઓ, અધિકારી અમારા ખીસ્સામાં છે અને તમારે જે પણ આવેદન કરવું હોય તે કરી શકો છો.
અગ્નિકાંડ થતાં અટલ સરોવર મહાનગર પાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતું. જયારે 1 ઓગષ્ટથી પાલિકાએ સરોવરને ફરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી ત્યારે કયુબ કન્સ્ટ્રકશન કંપનીએ કરા2 ક2વા માટે અમારી સાથે એકા એક સંપર્ક કરેલ. આ સાથે અમોને એ પણ જાણ કરવામાં આવેલ કે, હવે પછી દુકાનોનું ભાડુ અગાઉ નક્કી કરેલ ભાડા પ્રમાણે નહિં પરંતુ નવા ભાડા તરીકે એટલે કે તમારા કુલ ધંધાના 30 % લેખે વસુલ કરવામાં આવશે. સાથે સાથે અન્ય શરતોમાં પણ ફેરફારનું જણાવેલ હતું. ઉપરોકત નવા ભાડા તથા શરતો જેઓને મંજુર ન હોય તેઓ પોતાની દુકાન કરી દેવા અમોને જાણ કરેલ. આ એગ્રીમેન્ટ અમો મિલકત ધંધાને આપેલ છે અને તે મુજબ તાત્કાલીક કરાર કરવા દબાણ કરવામાં આવે છે.
આ બાબતે અમો તમામ દુકાન ધારકોએ કંપનીનનો સંપર્ક કરેલ અને એનેક વખત 2જૂઆતો કરેલ કે તેઓની આ માંગણી તદ્દન ગેરવ્યાજબી છે. આપણા વચ્ચે ભાડા બાબતે અગાઉથી ભાવ નક્કી થયેલ છે અને ત્યાર પછીજ તમોએ અમોને દુકાનોનો કબજો સોંપેલ છે અને તેઓના કહેવાથી જ અમોએ લેખિત કરાર કરવાનું બાકી રાખેલ છે.
હવે જયારે અમો દુકાનદારોએ દુકાનોમાં લાખોનું રોકાણ કરી ધંધો કરવા માટે દુકાનો તૈયાર કરેલ હોય ત્યારે અમારી આ સ્થિતિનો ગેરલાભ લેવા તથા વધુ પૈસા કમાવાવની લાલચે આ કયુબ કંન્સ્ટ્રકન કંપની દ્વારા અમો સાથે છેતરપીડી તથા વિશ્વાસઘાત કરવામાં આવેલ છે. નાના વ્યાપારીઓનું કંપની દ્વારા શોષણ ન થાય તથા અમારી સાથે થયેલ વિશ્વાસઘાત બાબતે યોગ્ય તપાસ કરી અમોને ન્યાય અપાવવા આ આવેદન પત્રનો સ્વીકાર કરશો. તેમ તંત્રમાં કરેલ રજુઆતમાં ધંધાર્થીઓએ જણાવ્યુ છે.
અટલ સરોવરમાં 150નો સ્ટાફ અને મેઇન્ટેન્સનો ખર્ચ વધારે
અટલ સરોવર વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલ છે તેની જાળવણી થવી જરૂરી છે. આ પબ્લિક માટે છે અને સુવિધા પણ આપવી જરૂરી છે અને તેની જાણકારી માટે 150 થી વધારે સ્ટાફ રાખવામાં આવ્યો છે ત્યારે તેની જાળવણીનો ખર્ચ પગાર બધુ નજીવા ભાડામાં પોસાય નહીં અને અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ હતુ ત્યારે ધંધાર્થીઓ પાસેથી ભાડુ પણ લીધુ નથી.
- કયુબ ક્ધસ્ટ્રકશન કંપની-પ્રતિનિધિ
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું