ગુજરાત
કોર્પોરેશનના અધિકારીઓને મળશે 7મું પગાર પંચ , સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે પ્રથમ વખત શહેરના ભાગોળે બનાવવામાં આવેલ સ્માર્ટ સીટી ખાતે અટલ સરોવરમાં મળનાર છે. ત્યારે આ બેઠકમાં મહાનગરપાલિકાના કર્મચારીઓની જન્માષ્ટમી સુધરે તેવી દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે. આવતી કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કમિશનર દ્વારા કુલ 57 જેટલી દરખાસ્તો મુકવામાં આવી છે. તે પૈકીની કેટલી દરખાસ્તો મંજુર થાય છે અને કેટલી પેન્ડીંગ રાખવામાં આવે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.
આવતી કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની આ બેઠકમાં ત્રણ નંબરની દરખાસ્તમાં રાજકોટ મહાનગરપાલિકામાં સાતમા પગાર પંચ મુજબમાં લેવલ-9 (વર્ગ-2)માં ફરજ બજાવતા અધિકારી ઓને સળંગ નોકરીના 12 વર્ષ બાદ સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણના લેવલ-11 મુજબ સુધારણાનો લાભ આપવા દરખાસ્ત મુકવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં એફએસઆઈના વેચાણ માટે નવા નિતિનિયમો મંજુર કરવા પણ કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરાયેલ છે.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનાર આ બેઠકમાં કુલ 57 દરખાસ્ત મુકવામાં આવી છે. તેમાં ભુગર્ભ ગટરની ફરિયાદોના નિકાલ માટે ખાનગી એજન્સીને કામ આપવાની દરખાસ્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નં. 13માં પ્રાયોગીક ધોરણે ભુગર્ભ ગટર ફરિયાદોના નિકાલ માટે ખાનગી એજન્સીને કામ આપવામાં આવનાર છે. આ સિવાય મહદઅંશે પેવીંગ બ્લોક, કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, ટીબી સેન્ટર જેવા વિકાસ કામો અંગેની દરખાસ્તોનો સમાવેશ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં જુદા જુદા વોર્ડમાં આવેલ સ્માર્ટ સોસાયટીની ગ્રાન્ટમાં પણ વધારો કરવા તેમજ મહાનગરપાલિકાના સ્મશાનના સંચાલક માટે સામાજીક સંસ્થાઓને હાલમાં ચુકવાતી માસીક ગ્રાન્ટમાં પણ વધારો કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ છે.
શહેરના ગુલાબનગર સોસાયટીમાં આવેલ ગુલાબનગર કોમ્યુનિટી સેન્ટરનું સંચાલન રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉનને દતક યોજના હેઠળ સોંપવા પણ દરખાસ્ત કરાઈ છે. તે સિવાય કાલાવડ રોડ ઉપર મામલતદાર કચેરી પાસે કમ્પાઉન્ડ હોલ બનાવવા, ગોંડલ ચોકડી પાસે મોડરર્નાઈઝ્ડ ટોયલેટની સુવિધા ઉભી કરવા નગરપ્રાથમિક શિક્ષણ ઓફિસમાં આવેલ હોલ તોડી પાડવા, અમૃત મિશન યોજના હેઠળ ઘંટેશ્ર્વર સંપથી ડીઆઈ પાઈપલાઈન તથા રિસ્ટોરેશન કામ શરૂ કરવા, વોર્ડ નં. 10, 11, અને 12માંં હાઈડ્રોલીકલી ઓપરેટેડ મીની ટીપર વાહનો ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનના કામે કોન્ટ્રાક્ટરની મુદત વધારવા વિગેરે દરખાસ્તો રજૂ થયેલ છે.
ટીઆરપી અગ્નિકાંડમાં જેલમાં રહેલ સાગઠિયા અને ખેર સામે ફોજદારી કાર્યવાહીને મંજુરી અપાશે
ટીઆરપી ગેમઝોનમાં આરએમસીના 8 અધિકારીો હાલ જેલ હવાલે છે જેનાથી ક્લાસ-1 અધિકારી એમ.ડી. સાગઠિયા અને આઈ.વી. ખેર સામે ફોજદારી કામ ચલાવવા માટે આરએમસીની મંજુરીની જરૂર હોય આ બાબતે આવતીકાલે સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ કરીને મંજુરી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમરજન્સી સર્વિસીઝ શાખાના તેમજ ટાઉન પ્લાનીંગ શાખામાં તત્કાલીન સમયની ફરજ દરમિયાન કુલ 08 અધિકારીઓ-કર્મચારીઓની ફરજ પ્રત્યે ગંભીર પ્રખારની ગેરજવાબદારી, બેદરકારી, શિથીલતા અને નિષ્કાળજી સબબ રાજકોટ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. 112080532496થી ઈ.પી.કો. કલમ-304, 308, 337, 338, 36, 465, 466, 471, 474, 201, 120(બી), 114 અન્વયે અટક કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના વર્ગ-1ના અધિકારી મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, ટાઉન પ્લાનીંગ ઓફિસર તેમજ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાના વર્ગ-1ા અધિકારી ઈલેશકુમાર વાલાભાઈ ખેર, ચીફ ફાયર ઓફિસરને વંચાણે-2ના જનરલ બોર્ડના ઠરાવથી સસ્પેન્ડ કરવામાં આવેલ.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ