800 મહેસુલી કર્મચારીઓને નાયબ મામલતદારના પ્રમોશન, 80ની બદલી

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરાયા છે. રાજ્યમાં મહેસૂલ વિભાગ દ્વારા બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદારની…

ગુજરાતના મહેસૂલ વિભાગમાં વહિવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરાયા છે. રાજ્યમાં મહેસૂલ વિભાગ દ્વારા બદલી અને બઢતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નાયબ મામલતદારની બદલી આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના 80 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા કારકુન અને મહેસૂલી તલાટી વર્ગ 3ને પ્રમોશન આપવામાં આવ્યું છે.રાજ્યમાં એક સાથે 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

મહેસૂલ વિભાગે રાજ્યના વહીવટી માળખાને મજબૂત કરવા માટે મોટા પાયે બઢતી આપી છે. જેમાં મહેસૂલી તલાટી અને કારકુન (વર્ગ-3)માં લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા કુલ 800 કર્મચારીઓને હવે નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના વિવિધ તાલુકા અને જિલ્લા કચેરીઓમાં ખાલી પડેલી નાયબ મામલતદારની જગ્યાઓ ભરાશે, જેથી સરકારી કામકાજમાં ઝડપ આવશે.

પ્રમોશનની સાથે સાથે રાજ્યના 80 જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલી પણ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, આ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *