ગુજરાત
રાજકોટમાં 3500ને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ફરી એપોઇન્ટમેન્ટ લેવાની
લર્નિંગમાંથી રેગ્યુલર લાઇસન્સ લેવા જતા લોકોને ધક્કા: ભારે વરસાદને કારણે રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટીફિકેશન કેમેરાને નુકસાન થતા બંધ કરાયેલો ટ્રેક અંતે ફરી શરૂ કરાયો
રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. ત્યારે શહેરની આરટીઓ કચેરીમાં લોકો જ્યાં પોતાનું પાકું લાયસન્સ કઢાવવા માટે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જાય છે તે ટ્રેક ઉપર પણ ઘણા વૃક્ષો પડી ગયા હતા.જેથી રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન કેમેરાને નુકસાન થયું હતું.તેમજ ભારે પવનના કારણે કેમેરાના વાયર પણ ખેંચાઈ ચૂક્યા છે જેનું રિપેરિંગ કરવા માટે સમય લાગતા એક અઠવાડિયું ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો છે.એટલે કે, ગત બુધવારથી તારીખ 4 સપ્ટેમ્બરના બુધવાર સુધી પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાય તેમ નથી.
જેને કારણે 3500થી વધુ લોકોને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની અરજી પેન્ડિંગ પડી રહી છે.આ અંગે રાજકોટ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લાના લોકોને જણાવવાનું કે આરટીઓ રાજકોટ ખાતે કાર્યરત ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક તારીખ 4 સપ્ટેમ્બરના બુધવાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક બંધ રહેવાનો છે.જ્યારે આજે તારીખ 5 સપ્ટેમ્બરના ગુરૂૂવારથી ટ્રેક પૂર્વવત શરૂૂ કરવામાં આવ્યો છે. જોકે,તેને લીધે પાકું લાયસન્સ કઢાવવા માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલ અહીં પડી ગયેલા વૃક્ષો ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા છે.વૃક્ષો પડી જતા કેમેરાના વાયરો ખેંચાઈ ગયા છે, જેને લીધે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થવામાં સમય લાગી રહ્યો હતો.જોકે તે પણ હવે રીપેર થઈ જતા કામગીરી ચાલુ કરવામાં આવી છે.
તેમણે અગાઉ જણાવ્યું હતું કે, 29 થી 31 મી ઓગસ્ટ અને તારીખ 2 સપ્ટેમ્બરના રોજ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટની કામગીરી ભારે વરસાદ અને પવનના કારણે બંધ કરવામાં આવી હતી.તેમજ તમામ એપોઇન્ટમેન્ટ પાછળના દિવસોમાં રી શેડયુલ કરી આપવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે, પવન અને વરસાદને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, જેને લીધું કેમેરાને પણ નુકસાન પહોંચ્યું છે. જે કેમેરાનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવામાં આવશે.જેને કારણે એક અઠવાડિયામાં 3500થી વધુ અપોઈન્ટમેન્ટ રી શેડયુલ કરવામાં આવ્યા છે.આ સાથે જ હાલ કોઈ વ્યક્તિને પાકું લાયસન્સ કઢાવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટ લેવી હોય તો 15 દિવસ બાદની તારીખ મળે છે.જેને લીધે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
લર્નિંગ લાઇસન્સની મુદ્ત પૂરી થતી હોય તો અરજદારે 150નો ચાંદલો ભરવાનો!
ભારે વરસાદને પગલે આરટીઓ ટ્રેક બંધ હોવાથી લર્નિંગ લાઇસન્સ ધારકોને પાકું લાયસન્સ કઢાવવા માટે છેલ્લા અઠવાડિયાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે,સામાન્ય રીતે લર્નિંગ લાયસન્સની મુદ્દત 6 મહિનાની હોય છે.ત્યારે અરજદારને ડ્રાઇવિંગ ટેસ્ટની ડેટના દિવસે કોઈ ટેક્નિકલ ખામીને કારણે ડ્રાઇવિંગ ટ્રેક બંધ હોય ત્યારે અરજદારે 150 રૂપિયા ભરી લર્નિંગ લાયસન્સ રીન્યુ કરાવી શકે છે તેમને કોઈ કોમ્યુટર ટેસ્ટ આપવાની રહેતી નથી.ત્યારે આરટીઓ કચેરીમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોય અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રાખવામાં આવ્યું હોય તો અરજદારોએ શા માટે નાણાં ભરવાના?તેવો કચવાટ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અરજદારોમાં ફેલાયો છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ