ગુજરાત
‘ધરોહર’ લોકમેળા માટે 1266 પોલીસનું સુરક્ષા કવચ
3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ, 81 પી.એસ.આઈ અને એસ.આર.પી. 4 કંપની તૈનાત રહેશે
14 વોચટાવર અને સીસીટીવી કેમેરાથી મેળાની તમામ ગતિવિધિ ઉપર પોલીસની બાજ નજર
મેળો માણવા આવતા લોકો માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા: રાત્રે 11.30 પછી મેળામાં નો-એન્ટ્રી
રંગીલા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે આગામી તા 24 થી 28 ઓગસ્ટ સુધી યોજાનાર ધરોહર લોકમેળા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહ્યો છે. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડતું હોય મેળાની સુરક્ષા માટે પોલીસ દ્વારા ત્રી- સ્તરીય સુરક્ષા ઉભી કરવામાં આવશે. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશ્નરના નિરિક્ષણ હેઠળ 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ, 81 પી.એસ.આઈ, 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 14 સેક્ટરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ક્રાઉડ કંટ્રોલ કરવા માટે સ્પેશયલ ટીમો શિફ્ટવાઈઝ હાજર રહેશે. આ ઉપરાંત ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે.
મેળાની તમામ ગતિવિધિ ઉપર નજર રખવા માટે 14 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. જન્માષ્ટમીના લોકમેળા ઉપરાંત આજીડેમ, ઇશ્વરિયા અને રતનપર સહિતના સ્થળે યોજનાર મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી લાખોની મેદની ઊમટશે. પ્રજાજનો પરિવાર સાથે નિર્ભક રીતે શાંતિથી મેળાનો આનંદ માણી શકે,એ માટે પોલીસ દ્વારા સજજડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાજકોટનો લોકમેળો માણવા રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના 10 લાખથી વધુ લોકો આવતા હોય છે. ત્યારે કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચના અને માર્ગદર્શિકા હેઠળ 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ કોન્સ્ટેબલ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. તેમજ 13 ડીએમએફડી, 30 એચએચએમડી પણ ઉભા કરવામાં આવનાર છે.
સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી 17 જેટલી જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રેસકોર્સ ઉપરાંત આજી,રતનપર અને ઇશ્વરિયા ઉપરાંત દોઢસો ફૂટના રોડ પર ખાનગી મેળાના આયોજન હોવાથી મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. લોક મેળામાં રાત્રે 11.30 પછી નો-એન્ટ્રી જાહેર કરાઈ છે.
મેળામાં શંકાસ્પદ અને અસામાજિક તત્ત્વો ઉપર પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખશે
લોક મેળામાં ત્વરિત મદદ માટે ખાસ પોલીસ કંટ્રોલ રૂૂમ ઊભો કરવામાં આવશે. તેમજ સમગ્ર મેળામાં દરેક હિલચાલ ઉપર નજર રાખી શકાય તે રીતે ચાર વોચ ટાવર ઊભા કરવામાં આવશે. કોઇ પણ શંકાસ્પદ હિલચાલ અંગે તાકીદે ફરજ પરના અધિકારીને વાકેફ કરી શકાય તે માટે દરેક વોચ ટાવર ઉપર બાયનોકયુલર અને વાયરલેસ સેટથી સજજ જવાન તહેનાત રહેશે. મેળામાં શંકાસ્પદ શખ્સો, અસામાજિક તત્વોને શોધી શકાય તેમજ સંભવત કોઇ ગુનાહિત કૃત્ય બને તો અપરાધીઓની ઓળખ મળી રહે તે માટે લોકમેળામાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. સીસીટીવી કેમેરાના ફૂટેજનું રાઉન્ડ ધ કલોક મોનિટિંરગ કરવામાં આવશે.
લોકમેળામાં ભીડનો ગેરલાભ લઇ ખિસ્સા હળવા કરતા ખિસ્સાકાતરુ, છેડતી કરતા રોમિયો સહિતના અસામાજિક તત્વોને શોધી કાઢવા ક્રાઈમ બ્રાંચ સહિતની મહત્વની બ્રાંચનો સ્ટાફ ખાનગી ડ્રેસમાં મેળામાં વોચમાં રહેશે. મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડ સાથે મહિલા પોલીસકર્મીઓ સાદા કપડાંમાં તૈનાત રહેશે તેમજ ચીલ ઝડપ કરતી ગેંગને રોકવા એન્ટી સ્નેચિંગ સ્કવોડ, તસ્કરોને ઝડપી લેવા પોકેટ કોપ ટીમ, ગુમ બાળકોને શોધી કાઢવા સ્પેશિયલ ટીમ ફરજ ઉપર તૈનાત રહેશે.
સૌરાષ્ટ્રના નામચીન ગુનેગારોને ઓળખવા પાંચ જિલ્લાનો એલસીબીનો સ્ટાફ બોલાવાયો
લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો પરિવાર સાથે આવતા હોય છે ત્યારે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે લોકમેળામાં લોખંડી બંદોબસ્ત જાળવવા રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાંથી પોલીસ મહેકમની માંગણી કરવામાં આવી છે. આ તમામ જિલ્લાની એલસીબી બ્રાન્ચમાં ફરજ બજાવતા ચાર ચાર કર્મચારીઓની માંગણી બંદોબસ્ત માટે કરવામાં આવી છે
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ