Connect with us

ગુજરાત

કોડીનાર-સૂત્રાપાડા હાઇવે પર ધામળેજ બંદરને જોડતા રસ્તા પરથી રૂા.1 કરોડની જમીન ખુલ્લી કરાઇ

Published

on

જિલ્લા કલેકટરે ધાળેજમાં ગ્રામસભા યોજી


ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગત તા.8-7-2024 ના રોજ સાંજે જિલ્લા કક્ષાના લીયન વિભાગના વડાઓ સાથે સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના લોકો સાથે ગ્રામસભા યોજી હતી. જેમાં ગ્રામજનો દ્વારા સામૂહિક જાહેરહિતના પ્રશ્નો કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા. આ પ્રશ્નો પરત્વે કલેક્ટર દ્વારા લગતા વિભાગના વડાઓને રૂૂબરૂૂ સૂચના આપી તાત્કાલિક પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી.


ગ્રામજનો દ્વારા રજૂ થયેલ જાહેર હિતના પ્રશ્નોમાં મુખ્યત્વે સ્વચ્છતા, ગૌચરની તથા સરકારી જમીનોમાં દબાણ, રોડ રસ્તા ઉપરના દબાણો, અનિયમિત વીજ પુરવઠાને લગતા પ્રશ્નો તેમજ વાડી વિસ્તારના રસ્તામાં દબાણને લગતી રજૂઆતો મળી હતી. ગામના સ્વચ્છતા અંગેના પ્રશ્નો અંગે કલેક્ટર દ્વારા અગ્રતાના ધોરણે સૂત્રાપાડા તથા કોડિનાર નગરપાલિકાની સફાઈ કર્મચારીઓની ટીમને ધામળેજ ગામ ખાતે હાજર રાખી સ્વચ્છતા અભિયાન હાથ ધરી જે.સી.બી. ટ્રેક્ટર વગેરે સાધનો સાથે રાખી ગામના જાહેર માર્ગો, જાહેર જગ્યાઓ પર આવેલ ઉકરડા, ગંદકી વગેરે દૂર કરવામાં આવી હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની છે.

તેમજ કલેક્ટર દ્વારા ગઈકાલની ગ્રામ સભામાં ગેરકાયદેસર ધોરણે દબાણો દૂર કરવા અંગે સ્વેચ્છાએ સહયોગ આપવા અપીલ કરતા ગ્રામજનો દ્વારા આજ રોજ કોડિનાર – સૂત્રાપાડા સ્ટેટ હાઇવે રોડ પર તથા ધામળેજ બંદરને જોડતાં રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂૂપ દબાણો સ્વેચ્છાએ લોકોના સહયોગથી દૂર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.જેમાં અંદાજિત 20,000 ચોરસ ફૂટ જમીન જેની આશરે કિમત 1 કરોડ જેટલી થવા જાય છે. જેને ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત, બોસનના પા તરીકે ઓળખાતો વાડી વિસ્તારનો આશરે 1.5 કિ.મી. સસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડને ધામળેજ ગામમાં મોટા પ્રમાણમાં લાઈન લોસ આવતો હોવાથી કલેક્ટર દ્વારા જે લોકો પાસે વીજ જોડાણ ન હોય તેમને નવું વીજ જોડાણ મેળવી લેવા અપીલ કરવામાં આવી હતી. તેના અનુસંધાને આજરોજ ધામળેજ ગામ ખાતે નવા વીજ જોડાણ અંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ધામળેજ ગામના લોકો દુકાનધારકો દ્વારા સ્વેચ્છાએ વહીવટી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

ક્રાઇમ

વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

Published

on

By

વલસાડ જિલ્લાના વાપી ખાતે ગંજન ચાર રસ્તા પાસે આવેલા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ વન અને બીજા ક્લાસ ટુ અધિકારીને 5 લાખના લાંચ કેસમાં પકડ્યા છે. કેન્દ્ર સરકારના બંને અધિકારી હર્ષદકુમાર પરમાર (વર્ગ 1) અને સુપ્રભાત રંજન તોમર (વર્ગ 2)ની લાંચ કેસમાં ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દક્ષિણ ગુજરાતમાં ખાનગી કંસ્ટ્રકશન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પી.એફ. કપાવવાની કાર્યવાહી કરી ન હતી. આથી પી.એફ. કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી. સમગ્ર મામલે વાપી પી.એફ. કચેરી ખાતે કેસ ચાલતો હતો. આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથસિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

બિલ્ડર લાંચની રકમ આપવા માગતા નહિ હોવાથી તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પલેક્ષ ખાતે આવેલી આસિ. પીએફ કમિશનરની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. આસિ. પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી. દરમિયાનમાં એસીબી ટીમે બંનેને રંગે હાથ ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.

ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે. આર. ગામીત અને તેમની ટીમ સામેલ હતી. જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર. આર. ચૌધરી હતા.

Continue Reading

ક્રાઇમ

અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

Published

on

By

અમદાવાદ ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

એક બિઝનેસમેનને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે બિઝનેસમેન જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળવા જઈ રજૂઆત કરી હતી. આ સમયે આસિ. ડાયરેકટર કમલકાંત મીણાએ મામલો પતાવવા શરૂઆતમાં 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકના અંતે 3 લાખ નક્કી કર્યા હતા. જ્યારે નોટિસની રકમ 46,29,082 રૂપિયામાંથી 2 લાખ કરી આપવાની ખાતરી કમલકાંત મીણાએ આપી હતી. બિઝનેસમેન લાંચ આપવા તૈયાર નહિ હોવાથી ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો.

આજ રોજ અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણાએ રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબી ટીમે તેમને ઝડપી લઇ લાંચની રકમ કબજે કરી હતી.

એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી. વી. પઢેરીયા રહ્યાં હતાં.

Continue Reading

ગુજરાત

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

Published

on

By

રાજકોટ જ્લ્લિા કલેકટરના ડો.પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને આવતીકાલે લેન્ડ ગ્રેબીંગ કમીટીન બેઠક યોજાનાર છે. આ બેઠકમાં કુલ 65 જેટલા કેસ મુકવામાં આવ્યા છે. જેની ચર્ચા બાદ કેટલા કેસમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવી તે અંગે નિર્ણય લેવાશે. આ બેઠકમાં પોલીસ કમિશનર, મ્યુનિ.કમિશિનર, રૂરલ એસ.પી., ટી.પી.ઓ. સહીતના અધિકારીઓ હાજર રહેનાર છે.


આ સિવાય જિલ્લા કલેકટર કચેરીમાં આવતીકાલે આર.ઓ. બેઠક પણ યોજાનાર છે. જેમાં અરજદારોની પડતર અરજીઓ તેમજ સરકારી જમીનોમાં દબાણો અંગે રિવ્યુ કરવામાં આવનાર છે અને આગામી અઠવાડીયાથી સરકારી જમીનોમાં થયેલા દબાણો હટાવવા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો અંગેનો સરવે પુરો થઇ ગયો હોય હવે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.

Continue Reading
રાષ્ટ્રીય14 hours ago

સસ્તું નહીં થાય ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, GST કાઉન્સિલમાં નિર્ણય મોકૂફ

ક્રાઇમ14 hours ago

વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ક્રાઇમ14 hours ago

અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ગુજરાત15 hours ago

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

ગુજરાત15 hours ago

રોગચાળાનો ભરડો: ડેન્ગ્યુના 21, ઝાડા-ઊલટીના 349 કેસ

ક્રાઇમ15 hours ago

રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી

ગુજરાત15 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત15 hours ago

ગાંધીનગર-મહુડી હાઇવે પર માતેલા સાંઢની જેમ નીકળેલી મર્સિડીઝે દેરાણી-જેઠાણીનો ભોગ લીધો

ગુજરાત15 hours ago

જાહેરમાં ગંદકી અને પ્લાસ્ટિક વાપરતા 139 વેપારીઓને રૂા.37,450નો દંડ

ગુજરાત15 hours ago

સગીર પથ્થરબાજો 3 કિ.મી દૂરથી આવ્યા, મુખ્ય કાવતરાખોરની તપાસ: ગેહલોત

ગુજરાત15 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત19 hours ago

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ

કચ્છ16 hours ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

ગુજરાત19 hours ago

દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

ગુજરાત23 hours ago

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ

ગુજરાત20 hours ago

તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!

Sports15 hours ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

ગુજરાત20 hours ago

જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો

રાષ્ટ્રીય15 hours ago

કોલકત્તા કેસમાં સપ્તાહમાં નવો સ્ટેટસ રિપોર્ટ આપવા CBIને સુપ્રિમનો આદેશ

ગુજરાત15 hours ago

ગાંધીનગર-મહુડી હાઇવે પર માતેલા સાંઢની જેમ નીકળેલી મર્સિડીઝે દેરાણી-જેઠાણીનો ભોગ લીધો

Trending