રાષ્ટ્રીય
SFA ચેમ્પિયનશિપનો 4 ઓક્ટોબરથી પ્રારંભ, 1.50 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે
સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા SFAચેમ્પિયનશિપ 2024-25ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતના 10 શહેરોમાંથી 7 હજાર જેટલી સ્કૂલના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ 31 જેટલી રમતોમાં ભાગ લેશે. SFAચેમ્પિયનશિપ તેના નવ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નાગાલેન્ડ (દીમાપુર) ખાતે પ્રથમવાર પહોંચશે. SFAચેમ્પિયનશિપ 2024 માટે રજીસ્ટ્રેશન www.SFAPLAY.comપર શરૂૂ થઈ ચૂક્યું છે.
SFAચેમ્પિયનશિપ તેના પ્રારંભથી વિકાસ તરફ અગ્રેસર છે, 2015માં મુંબઈથી શરૂૂ થયા બાદથી હૈદરાબાદ, ઉત્તરાખંડ, પુણે, દિલ્હી, બેંગ્લુરુ, ઈન્દોર, અમદાવાદ અને જયપુર સહિતના સ્થળોએ એમ કુલ 21 ચેમ્પિયનશિપનું આયોજન થઈ ચૂક્યું છે. 2024 સિઝનનો પ્રારંભ 4 ઓક્ટોબરે ઉત્તરાખંડમાં પ્રારંભ થશે અને 6 થી 16 ડિસેમ્બરે જયપુરમાં ફાઈનલ ચેમ્પિયનશિપ યોજાશે. જઋઅનો ઉદ્દેશ્ય બહુવિધ રમતોમાં પ્રતિભા શોધવા માટે સુલભ હોય તેવા એકીકૃત પ્લેટફોર્મનું સર્જન કરવાનો છે. તે ગ્રાસરુટ પર રમતોને પ્રોફેશનલી, વ્યવસ્થિત રીતે અને પૂરતા મોનટરીંગ સાથે યોજી રહ્યું છે. જઋઅનો ઉદ્દેશ્ય ભારતને એવા દેશમાં પરિવર્તિત કરવાનો છે જ્યાં રમતોનું મૂલ્ય સમજવામાં આવતું હોય અને રમતોમાં મોટાપાયે રોકાણ થઈ રહ્યું હોય.
3 થી 18 વર્ષની વયના એથ્લિટ્સ SFAચેમ્પિયનશિપમાં 31 જેટલી વિવિધ રમતોમાં ભાગ લઈ શકશે. SFAઆ સાથે એઆઈ-પાવર્ડ વીડિયો અને ટેક ઈનેબલ્ડ ફિટનેસ વિશ્ર્લેષણ સાથે ટેકનોલોજીની મદદ ચેમ્પિયનશિપમાં લેશે. જેથી કોચ અને ખેલાડીઓને જરૂૂરી ડિટેલ્ડ વિશ્ર્લેષણ આપવામાં આવે જેથી તેઓ ભાવિ ટ્રેનિંગમાં સુધારા માટે તેનો ઉપયોગ કરી શકે. SFAચેમ્પિયનશિપને ગ્રાસરુટ અને પ્રતિસ્પર્ધી રમતોની સિરીઝમાં ભારતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ જીયોસિનેમા પર પણ પ્રસારિત કરવામાં આવશે. SFAચેમ્પિયનશિપ્સના રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો – SFAPLAY.COM..
રાષ્ટ્રીય
મથુરામાં માલગાડીના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, આગ્રા-દિલ્હી રેલવે ટ્રેક પર તમામ ટ્રેનો થંભી, સેંકડો મુસાફરો પરેશાન
ઉત્તર પ્રદેશના મથુરામાં આગરાથી દિલ્હી જઈ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે આગ્રા-દિલ્હી રેલ્વે ટ્રેક ખરાબ રીતે ખોરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ માલગાડીના 20થી વધુ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. દુર્ઘટનાના કારણે આગ્રાથી દિલ્હી જતી અને દિલ્હીથી આગ્રા આવતી ટ્રેનો જ્યાં હોય ત્યાં રોકી દેવામાં આવી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રેકને રિપેર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં રેલ વ્યવહાર સુચારૂ રીતે શરૂ કરવામાં આવશે. અકસ્માતના કારણે સેંકડો મુસાફરો મુંઝવણમાં મુકાયા છે.
દરમિયાન, આગ્રા રેલ્વે વિભાગના મથુરામાં વૃંદાવન અને અજાઈ વચ્ચે કોલસા વહન કરતી માલગાડી રાત્રે લગભગ 8.30 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને ટ્રેક પર કોલસો ફેલાઈ ગયો છે. લાઇન સપ્લાયના થાંભલા પણ તૂટી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલવે ટ્રેકને રિપેર કરવામાં ઓછામાં ઓછા 10-12 કલાકનો સમય લાગશે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગરા રેલ્વે વિભાગના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દિલ્હી-આગ્રા અપ-ડાઉન ટ્રેક ખોરવાઈ ગયો છે અને તેને રિપેર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અકસ્માત મોટો છે અને રેલવે ટ્રેકને સરળતાથી ચલાવવામાં ઓછામાં ઓછા 10 થી 12 કલાકનો સમય લાગી શકે છે. બે લાઈનો બંધ થઈ ગઈ છે જ્યારે ત્રીજી લાઈનને પણ અસર થઈ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
રાષ્ટ્રીય
જમીનથી 20 ફૂટ નીચે જીવન યુદ્ધ, રાજસ્થાનના દૌસામાં 2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ખાબકી , 16 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક માસૂમ બાળક બોરવેલમાં પડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. બાંડીકુઈના વોર્ડ નંબર એકમાં બુધવારે સાંજે 5 વાગ્યે 2 વર્ષની માસૂમ બાળકી મેદાનમાં રમતી વખતે 600 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી મેદાનમાં બોરવેલ પાસે રમી રહી હતી.
બાળકી બોરવેલમાં પડી હોવાની માહિતી મળતા જ વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, બાંડીકુઇ એસડીએમ, તહસીલદાર, પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રશાસને બાળકીને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત NDRF અને SDRFની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બાંદિકૂઈ પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રેમચંદ બૈરવાએ જણાવ્યું કે બાળકીને બોરવેલમાંથી બચાવવા માટે જેસીબી મશીન અને અન્ય સાધનો વડે બોરવેલથી 25 ફૂટ દૂરથી માટી ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 16 કલાકથી માસૂમ બાળકને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર માસૂમ બાળકી બોરવેલમાં લગભગ 20 થી 25 ફૂટ નીચે ફસાઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરેક વ્યક્તિ બાળકીના સુરક્ષિત બહાર નીકળવા માટે પ્રાર્થના કરી રહી છે. તબીબોની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બોરવેલમાં ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે જ સમયે, આ ઘટના પછી, બાળકીના પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.
ઘટનાના બે કલાક પછી પણ ટીમ પહોંચી ન હતી
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, બોરવેલમાં પડી જવાની ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ ઘટનાના 2 કલાક પછી પણ
એસડીઆરએફ અને એનડીઆરએફ ત્યાં પહોંચી હતી. 7 વાગ્યા સુધી ટીમ ઘટનાસ્થળે પહોંચી ન હતી. બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
રાષ્ટ્રીય
વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી
આઝાદી પછી ચાર વખત વન નેશન, વન ઈલેક્શન થઈ ચૂક્યા છે
પ્રથમ બે ટર્મમાં વડાપ્રધાન મોદીની સરકારે નોટબંધી, જીએસટી, લોકડાઉન, કલમ 370 નાબુદી જેવા ઐતિહાસિક નિર્ણયો લીધા બાદ હવે ત્રીજી ટર્મમાં મોદી સરકાર દેશભરમાં લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના ઐતિહાસિક એજન્ડા ઉપર આગળ વધી રહી હોય તેમ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રશ્તાવને લીલીઝંડી આપી દીધી છે. અને હવે સંસદના આગામી શિયાળુ સત્રમાં આ અંગેનું બીલ પણ લાવવામાં આવે તેવા નિર્દેશો મળે છે.
જો કે, મોદી સરકારના આ પગલાને વિપક્ષોએ વધુ એક ઉતાવળિયો નિર્ણય ગણાવ્યો છે. અને ભૂતકાળમાં પણ વનનેશન વન ઈલેક્શન નિષ્ફળ ગયાનું જણાવી ભવિષ્યમાં પણ આ યોજનાની સફળતા સામે સવાલો ઉઠાવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી હતી કે વન નેશન વન ઇલેક્શનને મંંજૂરી મળી શકે છે. પરંતુ આજે આ સમાચાર પર મોદી કેબિનેટે મ્હોર મારી દીધી છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી મળી ગઇ છે. રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં આપવામાં આવી મંજૂરી.ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી રહી છે.
મોદી સરકાર દ્વારા પોતાના ઢંઢેરામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીર કલમ 370ને સમાપ્ત કરવી અને નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરવાનો વાયદો પુરો કરી દીધો છે. પીએમ મોદી પણ સ્વતંત્રતા પર લાલથી તમારા ભાષણમાં દિવસની ચૂંટણી અને સંસદીય ચૂંટણી એક સાથે સાથેની વકીલાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પવન નેશન, વન ઈલેક્શનથની હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથ માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથનો સમાવેશ કર્યો હતો.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત17 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી