Connect with us

ગુજરાત

ગોંડલમાં સ્કૂટર ચાલક મહિલાએ વૃદ્ધને ઠોકરે ચડાવતા મોત

Published

on

શાપરમાં ફોનમાં વાત કરતા-કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

ગોંડલમાં રહેતા વૃદ્ધ ઘોઘાવદર ગામે ઉભા હતા. ત્યારે અજાણી સ્કૂટર ચાલક મહિલાએ ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલ ભવનાથ-2માં રહેતા નાગજીભાઈ પોપટભાઈ રાદડિયા નામના 86 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સવારના નવેક વાગ્યાના અરસામાં ઘોઘાવદર ગામે બેસવા ગયા હતા અને હનુમાનજી મંદિર ચોકમાં ઊભા હતા.

ત્યારે અજાણી સ્કૂટર ચાલક મહિલાએ નાગજીભાઈ રાદડિયાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નાગજીભાઈ રાદડિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નાગજીભાઈ રાદડિયા પાંચ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા રોહિત સુરેશચંદ્ર વેદાંત નામનો 28 વર્ષનો યુવાન રાત્રિના અગિયારેક વાગ્યાના આરસના મોબાઇલમાં વાત કરતા કરતા લોખંડના એંગલમાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રોહિત વેદાંત ચાર ભાઈ બે બહેનમાં વચ્ચેટ અને અપરણિત હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ બે ભોગ લીધા

Published

on

By


સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ચાલુ રહેલા કમોસમી વરસાદ સાથે ત્રાંટકેલી વિજળીએ સૌરાષ્ટ્રમાં બે લોકોના ભોગ લીધા છે. વિસાવદર તાલુકાના સરસઈ ગામે તથા તળાજાના દેવળિયા ગામે વિજળી પડવાથી બે મહિલાના મોત થયા છે. બીજી તરફ આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 41 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કોટડા સાંગાણી-માણાવદરમાં બે ઈંચ, રાણાવાવ, જામકંડોરણા, માળિયા હાટીના, જગડિયા, કુકાવાવ, અમરેલી, જૂનાગઢ, માંગરોળ અને ઓલપાડમાં એકથી બે ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદરના સરસઈ ગામે વિજળી પડતા મજુર મહિલાનું તેમજ ભાવનગરના દેવળિયા ગામે વિજળી પડતા મહિલાનું મોત થયું હતું.


કોટડાસાંગાણી
કોટડાસાંગાણી માં સવારથી ગરમી નો ઉકરાટ અને સવારથી બપોરના સુમારે તરકો અને ગરમી નો ઉકરાટથી એકાએક સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા સાંજ ના સમયે 6 વાગ્યાથી વરસાદી વાતાવરણ થયેલ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 6 થી 7 વાગ્યા સુધી ડોટ ઈંચ જેટલો વરસાદ પડેલ વીજળી ના કરાકાભરક સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો એક કલાક માં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.


બગસરા
બગસરા શહેરમાં સવારથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોર બાદ બગસરા તેમજ આજુ બાજુના ગામો જેવાકે સાપર, સુડાવડ, મૂંજીયાસર, રાફળા, માણેકવાડા, જેવા ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પાડ્યો હતો. જેના હિસાબે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર જાણે નદી વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળિયા હતા.જયારે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. બે દિવશ પહેલા જ 3.5 ઇંચ જેવો વરસાદ પડેલ હતો ત્યાર બાદમાં એક દિવશના વિરામ બાદ આજે ફરી પાછો અડધી કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. અને કુદરતે જાણે મોઢામાં આપેલ કોળિયો છીનવી લીધો હોય તેમ કપાશ,માંડવી તેમજ સોયાબીન જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે. જેના લીધે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.

દેવળિયા ગામે વીજળી પડતા મહિલાનું મોત
ભાવનગર જિલ્લાના દેવળીયા ગામે વિજળી પડતાં મહિલા નું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના દેવળીયા ગામે ખેત મજૂરી કરતા દયાબેન ભીમજીભાઈ મકવાણા ઊં.વ.50 ઉપર વીજળી પડતા તેણી નું કરુણ મોત નિપજ્યું હતું. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.7 ડીગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

Continue Reading

ગુજરાત

ખંભાળિયામાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત

Published

on

By


ખંભાળિયામાં આવેલી કણઝાર હોટલ પાસે રહેતા પ્રકાશભાઈ ધીરજલાલ જાદવાણી નામના 40 વર્ષના યુવાને ગત તારીખ 16 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવાના ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કિશોરભાઈ ધીરજલાલ જાદવાણી (ઉ.વ. 50, રહે. જામપર) એ અહીંની પોલીસને કરી છે.


બાઈક સ્લીપ
ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા મૂળવેલ તથા મૂળવાસર ગામ વચ્ચે જી.જે. 37 એલ 3696 નંબરના મોટા સાયકલ લઈને જઈ રહેલા રઘુકુમાર નરેશ પ્રસાદ કુસવાહા (મૂળ રહે. બિહાર, હાલ સુરત) એ પોતાનું મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર હરીસંગભા નાગશીભા કેરને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત બાદ આરોપી રઘુકુમાર તેનું મોટરસાયકલ લઇને નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતક હરીસંગભાના પિતા નાગશીભા કાયાભા કેર (ઉ.વ. 64, રહે. હાલ જામનગર, મૂળ રહે. ગોરીંજા – દ્વારકા)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી બાઈક ચાલક રઘુકુમાર નરેશ પ્રસાદ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

ક્રાઇમ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ

Published

on

By

દુબઇથી વિરેન્દ્ર વસોયા ઉર્ફે વીરૂ યુકેના સતવિંદર મારફતે ડ્રગ્સ ઘુસાડતો હતો: ગુજરાતમાં ફાર્મા કંપનીમાં રીફાઇન કરીને દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં સપ્લાય કરાતું હતું


દુબઈ સ્થિત ગેંગસ્ટર વિરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં પહોંચાડતો હતો. ગુજરાતમાંથી તેને દિલ્હી અને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હતી.
દિલ્હી અને ગુજરાતમાંથી 13 હજાર કરોડ રૂૂપિયાના ડ્રગ્સ ઝડપાયાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન, સ્પેશિયલ સેલને જાણવા મળ્યું કે દાણચોરોનું નેટવર્ક દિલ્હી, પંજાબ, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે. પભારતનો નકામા માલથ સૌથી પહેલા ગુજરાતમાં પહોંચ્યો હતો.


આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક દાણચોરોનો સમાવેશ થાય છે. દુબઈ સ્થિત કિંગપિન વીરેન્દ્ર બસોયા ઉર્ફે વીરુની સૂચના પર, યુકેનો દાણચોર સતવિંદર તેને દરિયાઈ માર્ગે ગુજરાતમાં લઈ જતો હતો, જ્યાં કાચા માલને ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિફાઈન કરીને દિલ્હી મોકલવામાં આવતો હતો, જેનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ થતો હતો. દાણચોરી આ પછી તેને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. હજુ પણ ઘણા આરોપીઓ ફરાર છે.


કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ ગુજરાતમાં પહોંચાડનારા અનેક ફરાર આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ એવો પણ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ઝડપાયેલા લગભગ 1,300 કિલો કોકેઈનનું ક્ધસાઈનમેન્ટ દક્ષિણ અમેરિકન દેશોના દાણચોરો દ્વારા ગુજરાતની ડ્રગ્સ કંપનીમાં પહોંચાડવામાં આવ્યું હતું. જોકે, આ ગેંગનો પર્દાફાશ થતાં જ નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા મોટા ખેલાડીઓ, ખાસ કરીને યુકેના નાગરિકો અને તેના નેટવર્ક સાથે સંકળાયેલા દાણચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગુજરાતમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ – વિજય ભેસનિયા, અશ્વની રામાણી, બ્રિજેશ કોઠિયા, મયુર દેસલે અને વડોદરાના રહેવાસી અમિત – યુકે સ્થિત હેન્ડલર્સ સાથે નજીકના સંબંધો ધરાવતા હતા.


ટોળકીના કોઈને પણ ખબર ન હતી કે કોણ શું કામ કરે છે. વાસ્તવમાં, આ નેટવર્ક મુખ્યત્વે દુબઈના વીરેન્દ્ર બસોયા, યુકેના સતવિંદર અને ભારતના તુષાર ગોયલ દ્વારા સંચાલિત હતું. ત્રણેયનું પોતાનું અલગ નેટવર્ક હતું. ત્રણેય લોકલ નેટવર્ક સાથે જોડાયેલા લોકો સાથે કોડ વર્ડ્સમાં વાત કરતા હતા. દાણચોરીને છુપાવવા માટે આનો ઉપયોગ સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે થતો હતો. અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો. તેની કિંમત 5,620 કરોડ રૂૂપિયા આંકવામાં આવી હતી અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં અન્ય બે અમૃતસર અને ચેન્નાઈમાંથી ઝડપાયા હતા. આ કેસમાં હજુ પણ ઘણા તસ્કરો ફરાર છે, જેમને સ્પેશિયલ સેલ શોધી રહી છે.

Continue Reading
ગુજરાત17 seconds ago

વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ બે ભોગ લીધા

ગુજરાત1 min ago

ખંભાળિયામાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત

ક્રાઇમ6 mins ago

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ

ગુજરાત7 mins ago

બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા

ગુજરાત10 mins ago

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

ગુજરાત13 mins ago

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત16 mins ago

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

ગુજરાત16 mins ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ20 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત21 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત19 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending