ગુજરાત

ગોંડલમાં સ્કૂટર ચાલક મહિલાએ વૃદ્ધને ઠોકરે ચડાવતા મોત

Published

on

શાપરમાં ફોનમાં વાત કરતા-કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

ગોંડલમાં રહેતા વૃદ્ધ ઘોઘાવદર ગામે ઉભા હતા. ત્યારે અજાણી સ્કૂટર ચાલક મહિલાએ ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલ ભવનાથ-2માં રહેતા નાગજીભાઈ પોપટભાઈ રાદડિયા નામના 86 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સવારના નવેક વાગ્યાના અરસામાં ઘોઘાવદર ગામે બેસવા ગયા હતા અને હનુમાનજી મંદિર ચોકમાં ઊભા હતા.

ત્યારે અજાણી સ્કૂટર ચાલક મહિલાએ નાગજીભાઈ રાદડિયાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નાગજીભાઈ રાદડિયાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નાગજીભાઈ રાદડિયા પાંચ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા રોહિત સુરેશચંદ્ર વેદાંત નામનો 28 વર્ષનો યુવાન રાત્રિના અગિયારેક વાગ્યાના આરસના મોબાઇલમાં વાત કરતા કરતા લોખંડના એંગલમાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રોહિત વેદાંત ચાર ભાઈ બે બહેનમાં વચ્ચેટ અને અપરણિત હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version