Sports
શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે,શું CAS આજે રેસલરની અપીલ પર આપશે ચુકાદો ?
ભારતની દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં તેના જોરદાર પ્રદર્શનનો પુરસ્કાર મળશે કે નહીં તે આજે નક્કી થશે. હવે એ નક્કી કરવાનો દિવસ આવી ગયો છે કે વિનેશને એ હક મળશે કે નહીં જેના માટે તે છેલ્લા 6 દિવસથી લડી રહી હતી. વિનેશ ફોગાટ તેના ફાઈનલના દિવસે આખી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી અને પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ મળી આવતાં તે મેડલની રેસમાંથી પણ બહાર ફેંકાઈ ગઈ હતી. વિનેશે તેની સામે સ્પોર્ટ્સ આર્બિટ્રેશન એટલે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. આ અંગે સુનાવણી પણ કરવામાં આવી હતી અને હવે અનેક વખત નિર્ણય મુલતવી રાખ્યા બાદ કોર્ટ 13 ઓગસ્ટ મંગળવારે અંતિમ નિર્ણય આપશે.
7 ઓગસ્ટના રોજ યોજાયેલી ફાઈનલની સવારે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી, ત્યારબાદ તેણે તે જ સાંજે CASમાં અપીલ કરી હતી. ત્યારથી વિનેશ સહિત આખો દેશ આ નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ હિન્દી ફિલ્મ ‘દામિની’માં વકીલ સની દેઓલની જેમ વિનેશને પણ છેલ્લા કેટલાક દિવસોથી માત્ર ‘ડેટ આફ્ટર ડેટ’ મળી છે. જ્યાં પહેલા આ અંગેનો નિર્ણય ઓલિમ્પિકના અંત સુધી આવવાનો હતો, હવે આ નિર્ણય ગેમ્સ સમાપ્ત થયાના 2 દિવસ પછી આવશે અને તે દિવસ 13મી ઓગસ્ટ છે.
3 કલાક સુનાવણી, 4 દિવસ પછી નિર્ણય
ઓલિમ્પિક ગેમ્સ માટે પેરિસમાં રચાયેલા CAS એડ-હોક વિભાગમાં શુક્રવાર, 9 ઓગસ્ટના રોજ આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. લગભગ 3 કલાક ચાલેલી આ સુનાવણીમાં વિનેશના વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતીય ઓલિમ્પિક એસોસિએશન પણ એક પક્ષ તરીકે સામેલ થયું હતું અને પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના વકીલોએ પણ દલીલો કરી હતી. આ સુનાવણી સીએએસ આર્બિટ્રેટર ડૉ. એનાબેલ બેનેટની સામે થઈ હતી. પહેલા એવું માનવામાં આવતું હતું કે આ અંગેનો નિર્ણય 10 ઓગસ્ટે આવશે, પરંતુ તે દિવસે CASએ નિર્ણયને મુલતવી રાખ્યો અને બંને પક્ષો પાસેથી કેટલાક દસ્તાવેજોની માંગણી કરી અને નિર્ણય માટે 13 ઓગસ્ટની તારીખ નક્કી કરી.
સિલ્વર મેડલ કે નિરાશા – શું છે વિનેશના નસીબમાં?
આજે એટલે કે 13મી ઓગસ્ટે આ નિર્ણય ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે અથવા તે પહેલાં આવશે. વિનેશે આ કેસમાં સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. વિનેશની આ માંગ તેના આધારે છે કે તેણીએ એક દિવસ પહેલા સેમિફાઇનલ સહિત તેની ત્રણેય મેચ રમી હતી, 50 કિગ્રાની નિર્ધારિત વજન મર્યાદામાં રહીને ત્રણેયમાં વાજબી જીત સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલના દિવસે જ તેણીનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જણાયું હતું અને તેથી તેને માત્ર ફાઈનલમાંથી જ ગેરલાયક ઠેરવવી જોઈએ સમગ્ર ઈવેન્ટમાંથી નહીં. આવી સ્થિતિમાં તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવો જોઈએ. હવે વિનેશની આ માંગ પુરી થાય છે કે નહીં તે પણ આજે નક્કી થશે.
Sports
અંડર-15 બોયઝ હોકી સ્પર્ધામાં અમરેલી સામે દાહોદની ટીમ વિજેતા
આવતીકાલથી અન્ડર-17 મહિલા હોકી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ
રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની જવાહરલાલ નહેરુ સબ જુનિયર હોકી સ્પર્ધાનો ગત તા. 17 થી પ્રારંભ થયો હતો. જેમાં 25 જેટલી જિલ્લા કક્ષાની ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી.
આજરોજ દાહોદ તેમજ અમરેલી જિલ્લાની ટીમ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં દાહોદની ટીમે 5 1 થી અમરેલી સામે જીત મેળવી છે. જયારે અરવલ્લીની ટીમ ત્રીજા સ્થાને આવેલી છે. દાહોદની અંડર 15 બોયઝ ટીમ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ત્રિદિવસીય ઇન્ટર ડીસ્ટ્રીકટ બોયઝ સ્પર્ધામાં કુલ 25 જેટલી મેચ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રમવામાં આવેલી હતી. આવતીકાલ તા. 20 સપ્ટેમ્બર થી અંડર -17 મહિલા હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 20 જેટલી ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. તા. 21 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન મહિલા હોકી મેચ રમવામાં આવશે તેમ સ્પર્ધાના ક્ધવીનર અને રાજકોટ હોકી કોચ મહેશ દિવેચાએ જણાવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી વી.પી. જાડેજાના માર્ગદર્શનમાં હેઠળ કરવામાં આવી રહ્યું છે.
Sports
બાંગ્લાદેશના હસમ મહમૂદનો તરખાટ, 35 રન આપી ભારતની 4 વિકેટ ઉડાવી
પ્રથમ ટેસ્ટ મેચમાં 54 ઓવરમાં 209 રન બનાવી ભારતે છ વિકેટ ગુમાવી
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે 3 વાગ્યા સુધીમાં 54 ઓવરમાં 209 રન બનાવીને 6 વિકેટ ગુમાવી છે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્ર્વિન રમી રહ્યા છે. હસન મહમુદે 13 ઓવરમાં 35 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા છ મહત્વની વિકેટ ગુમાવી છે. આ વિકેટો કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની છે. આ ચારેય વિકેટ બાંગ્લાદેશના યુવા બોલર હસન મહમૂદે લીધી છે જ્યારે લોકેશ રાહુલને મહેન્દી હસને અને જયસ્વાલને નાહિદ રાણાએ આઉટ કર્યા હતા.
હસન મહમૂદ તેની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોણ છે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બોલર હસન મહેમૂદ જેણે ભારતીય ક્રિકેટ ટીમને ચોંકાવી દીધા હતા. હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરૂૂઆત અપાવી છે. ભારત સામે બોલિંગ કરતી વખતે તેને 9 ઓવરમાં 4 મોટી વિકેટ ઝડપી હતી. તેને પહેલા રોહિત શર્મા, પછી શુભમન ગિલ, વિરાટ કોહલી અને રિષભ પંતની વિકેટ લીધી. રોહિત શર્માએ 19 બોલમાં 6 રન, શુભમન ગિલે 8 બોલમાં 0 રન, વિરાટ કોહલીએ 6 બોલમાં 6 રન અને રિષભ પંતે 52 બોલમાં 39 રન બનાવ્યા હતા. ભારતે આ ચાર વિકેટ માત્ર 96 રનમાં ગુમાવી દીધી હતી. હસન મહમૂદે કેચ આઉટ દ્વારા ચારેય વિકેટ લીધી હતી.
Sports
સૌરવ ગાંગુલીએ અપમાન કરનાર યુટ્યુબર સામે નોંધાવી ફરિયાદ
ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ દાખલ કર્યો
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન આક્રમકતા માટે પ્રખ્યાત હતા. તે ઘણીવાર મેદાન પર અને ડ્રેસિંગ રૂૂમમાં ગુસ્સે થતાં જોવા મળ્યા હતા. આ અગાઉ BCCI અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીનો વિરાટ કોહલી સાથે કેપ્ટનશિપને લઈને વિવાદ થયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, સૌરવ ગાંગુલી અન્ય એક મામલાને લઈને ખૂબ નારાજ દેખાયા.તેમણે યુટ્યુબર વિરુદ્ધ સાયબર સેલમાં માનહાનિની ફરિયાદ નોંધાવી છે.
સૌરવ ગાંગુલીની સેક્રેટરી તાન્યા ચેટર્જીએ કોલકાતા સાયબર સેલને લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં યુટ્યુબરની ચેનલનું નામ અને તેના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી મીડિયામાં જાહેર કરવામાં આવ્યો નથી. આ ફરિયાદ અનુસાર યુટ્યુબર સૌરવ ગાંગુલીને ટાર્ગેટ કરી રહ્યા હતા અને તેમનું અપમાન કરી રહ્યા હતા. જ્યારે યુટ્યુબર તેના વીડિયોમાં તેમની વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરે છે. આ ફરિયાદમાં દાદાએ સાયબર ગુંડાગીરી અને બદનક્ષીનો કેસ કર્યો છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
સૌરવ ગાંગુલી ક્રિકેટર અને ઇઈઈઈં તરીકે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન વિવાદોમાં ફસાયેલા વ્યક્તિ રહ્યા છે. પછી તે તેમની ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં ફરવાની વાત હોય કે પછી વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાનો વિવાદ હોય. સૌરવ ગાંગુલી હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાત ભૂલી શકાય તેમ નથી કે તે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક હતા. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે વિદેશી ધરતી પર તિરંગો ફરકાવવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ