ગુજરાત
આમાં આગ ક્યાંથી ઠરે?, ફાયર ફાઈટરની 32793 જગ્યા ખાલી
ગુજરાતમાં વસતીની દૃષ્ટિએ 250 શહેરોમાં 508 ફાયર સ્ટેશનો અને 60 હજારના સ્ટાફની જરૂર, ખાનગી ફાયર બ્રિગેડ ઊભા કરવા તરફ સરકારનું ધ્યાન
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ, ગુજરાત સરકારે કડક આગ સલામતી અને નિયમનકારી પગલાં લાધા નથી. હવે તમામ ઔદ્યોગિક વિસ્તારમાં સરકાર ખાનગી ફાયર બ્રિગેડ ઊભા કરવા ફરજ પાડી રહી છે. સાણંદ જીઆઇડીસીમાં આવું ખાનગી ફાયર બ્રિગેડ બનાવવા ફરજ પાડી છે.
લોકસભામાં રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડાકીય અહેવાલ દર્શાવે છે કે ફાયર સર્વિસમાં મોટી ખામી છે. ગુજરાતમાં 183 ફાયર સ્ટેશનો પર 1,447 અગ્નિશામકો તૈનાત છે, જ્યારે મંજૂર થયેલી વાસ્તવિક જરૂૂરિયાત 34,240 છે. આનો અર્થ એ થયો કે, મંજૂર થયેલી જગ્યા માટે રાજ્યમાં 32,793 અગ્નિશામકોની અછત છે. પણ વસતીની દ્રષ્ટિએ 250 શહેરોમાં 508 ફાયર સ્ટેશન હોવા જોઈએ. જેમાં 60 હજારનો સ્ટાફ હોવો જોઈએ. પણ રાજ્ય સરકાર યુવાનોને નોકરીએ રાખવા તૈયાર નથી.
કોંગ્રેસ સાંસદ ગોરવ ગોગોઈએ અન્ય સાથે ગૃહ મંત્રાલયને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જવાબમાં, મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર આગ અકસ્માતો, ફાયર સ્ટેશનોની સંખ્યા અથવા ફાયર કર્મચારીઓના ડેટાને કેન્દ્રિય રીતે ટ્રેક કરતું નથી. તેના બદલે, 2014 થી દેશભરમાં આગની ઘટનાઓ અને સંબંધિત મૃત્યુની માહિતીનું સંકલન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સબમિટ કરવામાં આવેલા અહેવાલોના આધારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા કરવામાં આવે છે.
31 ડિસેમ્બર, 2018 સુધીમાં, સમગ્ર દેશમાં ફાયર સ્ટેશનોની કુલ સંખ્યાનો ડેટા રાજ્ય-દર-રાજ્યના આધારે ઉપલબ્ધ છે. આ માહિતી મુજબ ગુજરાતમાં 183 ફાયર સ્ટેશન છે. ગૃહ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે 31 ડિસેમ્બર, 2018 સુધીમાં, ગુજરાતમાં 1,447 ફાયર સર્વિસ કર્મચારીઓ હતા. આ આંકડો 2012 આરએમએસઆઈ રિપોર્ટ દ્વારા ભલામણ કરાયેલા 34,240 કર્મચારીઓ કરતાં ઘણો ઓછો છે. મંત્રાલયના ડેટા અનુસાર, ગુજરાતમાં 32,793 ફાયર પ્રોફેશનલ્સની અછત છે.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ગૃહ મંત્રાલયને અનેક પૂછપરછ કરી હતી. જવાબમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર આગ અકસ્માતો, ફાયર સ્ટેશનોની સંખ્યા અથવા ફાયર કર્મચારીઓના ડેટાને કેન્દ્રિય રીતે ટ્રેક કરતું નથી. તેના બદલે, 2014 થી તે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા સંકલિત કરવામાં આવે છે.
પાંચ વર્ષમાં આગની 3100 ઘટના અને 729 આગ અકસ્માતો થયા
ગુજરાતમાં અગ્નિશામકોની સંખ્યા ઘણી વધારે છે ત્યારે રાજ્યમાં આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. 1 ડિસેમ્બર, 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ, ભારતમાં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યા, 2022ના નવીનતમ ડેટા, આગ સંબંધિત મૃત્યુમાં ચિંતાજનક વધારો દર્શાવે છે, જેમાં 2022 માં એકલા ગુજરાતમાં 328 મૃત્યુ નોંધાયા છે. એનસીઆરબીના અહેવાલ મુજબ 2018 અને 2022 ની વચ્ચે ગુજરાતમાં આગની ઘટનાઓને કારણે 3,176 મૃત્યુ થયા હતા. આ સમયગાળા દરમિયાન, રાજ્યમાં આગ સંબંધિત 3,100 ઘટનાઓ બની હતી. 2021 અને 2022 માં, 729 આગ અકસ્માતો થયા હતા, જેમાં 737 લોકોના મોત થયા હતા.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો