રાષ્ટ્રીય
લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ, વિપક્ષોએ ગૃહમાં મચાવ્યો હંગામો, જુઓ LIVE
આજે લોકસભામાં વક્ફ (સુધારા) બિલ 2024 રજૂ કરવામાં આવ્યું. બીલ રજુ થતાની સાથે જ સત્તા પક્ષ-વિપક્ષ વચ્ચે ચર્ચા શરૂ થઇ . સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે વક્ફ (સુધારા) બિલ 2024 અને મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને રદ કરવા માટે મુસ્લિમ વક્ફ (રદવા) બિલ 2024 રજૂ કર્યું. કોંગ્રેસના સાંસદ હિબી એડને આ બિલના વિરોધમાં લોકસભામાં નિયમ 72 હેઠળ નોટિસ આપી છે.
લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ધર્મ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર હુમલો છે.
વક્ફ બિલ અંગે NDAના સહયોગી ચિરાગ પાસવાનની પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. ચિરાગની પાર્ટીએ કહ્યું કે આ બિલ મુસ્લિમોની વિરુદ્ધ નથી પરંતુ તેને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલાવું જોઇએ.
રાષ્ટ્રીય
આતિશી બનશે દિલ્હીના નવા CM,વિધાયક દળની બેઠકમાં લેવાયો અંતિમ નિર્ણય
આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યો આ માટે સંમત થયા હતા. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ હશે. આ પહેલા દિવંગત સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય બાબતોની સમિતિ (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. ગઈ કાલે(16 સપ્ટેમ્બર) PACની બેઠક યોજાઈ હતી.
આતિશી પાસે કેજરીવાલ સરકારમાં છ મહત્વના વિભાગો છે. જેમાં શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પ્રવાસન અને શક્તિ મંત્રાલયનો સમાવેશ થાય છે.
અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી તેઓ સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને મળશે અને રાજીનામું સોંપશે.
21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી સીબીઆઈ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ કેસમાં તેમને 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તેને ઈડી કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. તે 13 સપ્ટેમ્બરે જ તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો.
આ પછી, રવિવારે AAP કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે, તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી. તેણે કહ્યું કે હું લિટમસ ટેસ્ટ આપવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે, “જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં.”
મનોરંજન
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની
બ્રાઇડલ લૂકમાં વીડિયો શેર કર્યો
બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 3ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હિના ખાન બ્રાઈડલના લુકમાં જોવા મળી રહી છે. તેમણે રેમ્પ વોક પણ કર્યું હતું.
ટીવી સ્ટાર હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. તેમ છતાં તેમણે કામમાંથી બ્રેક લીધો નથી. હાલમાં અભિનેત્રી પોતાની હેલ્થને લઈ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે હેલ્થ અપટેડ શેર કરતી રહી છે.
એક બાજુ કીમોથેરાપીની સારવાર ચાલી રહી છે, તો બીજી બાજુ તેમણે પોતાનું કામ પણ ચાલું રાખ્યું છે. હવે અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. બ્રાઈડલ લુકમાં હિના ખાન કોન્ફિડન્સ સાથે વોક કરી રહી છે. આ જોઈ ચાહકો પણ ખુશ થયા છે. તેમણે હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ વીડિયો શેર કરી એક નોટ પણ લખી છે.
Sports
બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી
ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે.
પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, નપાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે. ગાવસ્કરે આગળ કહ્યું કે, તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી.
હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય1 day ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત20 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત20 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા