આંતરરાષ્ટ્રીય
વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળવો જોઇએ, અમેરિકન રેસલર જોર્ડન બુરોઝની માગણી
અમેરિકન રેસલર જોર્ડન બુરોઝે X પર એક પોસ્ટ મુકીને વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. આ સાથે તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) પાસેથી કેટલાક ફેરફારોની માંગ કરી હતી. તેમણે લખ્યું- કદાચ આવી વાર્તાઓ IOCને જાગૃત કરશે. મને લાગે છે કે કુસ્તીમાં છ કરતાં વધુ વજન વર્ગની જરૂૂર છે. વિશ્વ-કક્ષાના સ્પર્ધકો સામેની ત્રણ કપરી મેચો પછી કોઈપણ રમતવીરને આ રીતે ગોલ્ડ મેડલની તૈયારીમાં રાતો વિતાવવી ન જોઈએ. ભારતીય ટીમ સંપૂર્ણપણે નિરાશ છે. જોર્ડને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) ને પણ નિયમો બદલવા માટે કહ્યું છે.
તેમણે લખ્યું- બીજા દિવસે 1 કિલો વજન ભથ્થું આપવું જોઈએ. વજન માપવાનું સવારે 8:30 થી વધારીને 10:30 સુધી કરવું જોઈએ. ફાઇનલમાં જો વિરોધી ફાઇનલિસ્ટ વજન ઘટાડવામાં નિષ્ફળ જાય તો તેને હારનો સામનો કરવો પડે છે. સેમિફાઇનલમાં વિજય મેળવ્યા પછી, બંને ફાઇનલિસ્ટના મેડલ સુરક્ષિત હોવા જોઈએ. બીજા દિવસે વજન ઉતારવામાં ભૂલ થાય તો પણ. માત્ર તે જ કુસ્તીબાજ ગોલ્ડ મેડલ જીતી શકે છે જે બીજા દિવસે વજન ઘટાડશે. વિનેશને સિલ્વર મેડલ આપવો જોઈએ. જોર્ડને વિનેશનું વજન ઓછું કરવા અંગે પણ મોટી વાત કહી. તેમણે લખ્યું કે આજે સવારે વિનેશનું વજન માત્ર 100 ગ્રામ અથવા 0.22 પાઉન્ડ ઓછું હતું. આ 100 ગ્રામ વજન સાબુના 1 બાર, 1 કીવી, 2 ઇંડા અને 100 પેપર ક્લિપ્સ જેટલું છે.વિનેશની સાથે આંદોલનમાં ભાગ લેનારી રેસલર સાક્ષી મલિકે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. સાક્ષીએ કહ્યું- વજન ઘટાડવું એ મેટ પર કુસ્તી કરતા પણ મોટો સંઘર્ષ છે. બીજી તરફ, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના વડા નેનાદ લાલોવિકે કહ્યું છે કે પરિસ્થિતિ દુ:ખદ છે, પરંતુ હવે કંઈ કરી શકાય તેમ નથી. વિનેશને મેડલ અપાવવાના સવાલ પર લાલોવિચે કહ્યું- તે અશક્ય છે.
જોર્ડનના આ અભિયાનને બજરંગ પુનિયાએ પણ સમર્થન આપ્યું છે. બજરંગે લખ્યું- વિનેશ ફોગાટને સિલ્વર આપવામાં આવે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જોર્ડનના આ પ્રસ્તાવમાં યોગ્યતા છે. આનો અમલ તાત્કાલિક અસરથી થવો જોઈએ જેથી કરીને કુસ્તીબાજોના ભવિષ્ય સાથે ખેલ ન થઈ શકે.
Sports
હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો
સેમિફાઇનલમાં કોરિયાને હરાવી સતત છઠ્ઠી જીત મેળવી
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માં, ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 16 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ ચીનના હુલુનબુર ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં ભારતે કોરિયાને 4-1થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ (19મી અને 45મી મિનિટ) કર્યા હતા. જ્યારે ઉત્તમ સિંહ (13મી મિનિટ) અને જર્મનપ્રીત સિંહ (32મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો. આ બંને ગોલ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર કર્યા હતા જ્યારે ઉત્તમ અને જરમનપ્રીતે ફિલ્ડ ગોલ કર્યા હતા.
બીજી તરફ કોરિયા માટે એકમાત્ર ગોલ યાંગ જિહુને (33મી મિનિટ) પેનલ્ટી કોર્નર પરથી કર્યો હતો. ફાઇનલમાં ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. ચીને પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું હતું. ચીનની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ રમાશે.
વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત છઠ્ઠી જીત હતી. ભારતીય ટીમે પૂલ સ્ટેજમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી અને ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે. ભારતીય ટીમે તેની છેલ્લી પૂલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા તેણે કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે ભારતીય ટીમે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય
લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી
ફેશન જગતમાં અવનવી ઇવેન્ટ અને વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે. આવી જ જાણીતી ઉજવણી એટલે લંડન ફેશન વીક જેમાં અવનવી શૈલી અને બેકસ્ટેજ દૃશ્યો ફેશન જગત માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે.
આંતરરાષ્ટ્રીય
ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચાર, ઇરાનના સુપ્રીમ લીડરનો આરોપ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે (16 સપ્ટેમ્બર) ભારત પર મુસ્લિમો પર દમન કરવાનો આરોપ લગાવ્યો હતો. ખામેનીએ પયગંબર મોહમ્મદની જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરના મુસ્લિમોને એક થવાનું આહ્વાન કરતા સંદેશમાં ભારત, ગાઝા અને મ્યાનમારમાં મુસ્લિમો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.
X પરની તેમની પોસ્ટમાં આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું, ઇસ્લામના દુશ્મનોએ હંમેશા અમને ઇસ્લામિક ઉમ્મા તરીકેની અમારી સામાન્ય ઓળખથી ઉદાસીન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો આપણે મ્યાનમાર, ગાઝા, ભારત અથવા બીજે ક્યાંય પણ મુસ્લિમોનો સામનો કરી રહેલા વેદનાથી અજાણ હોઈએ તો આપણે આપણી જાતને મુસ્લિમ માની શકીએ નહીં.
હવે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીના આ કથિત આરોપ પર ભારતની પ્રતિક્રિયા પણ આવી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે અને ખમેનીના નિવેદનની નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમે ભારતમાં લઘુમતીઓ વિશે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી પર આધારિત છે અને અસ્વીકાર્ય છે. લઘુમતીઓ પર ટિપ્પણી કરતા દેશોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અન્ય લોકો વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા તેમના પોતાના રેકોર્ડ તપાસે.
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત19 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા