Connect with us

ગુજરાત

વેરાવળ-5, સૂત્રાપાડા, તાલાલા-4, ઉનામાં 3ાા ઇંચ વરસ્યો

Published

on

ભારે વરસાદના પગલે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા, વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન


ગીર સોમનાથ જીલ્લામાં રાત્રી તથા આજે દિવસ દરમ્યાન સાર્વત્રિક ધીમીધારે મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ રાખ્યુ છે. જેમાંગુરૂૂવાર સાંજે છ થી શુક્રવાર સાંજે છ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડામાં વેરાવળમાં 125 મીમી (5 ઈંચ), સુત્રાપાડામાં 80 મીમી (3 ઈંચ), તાલાલામાં 95 મીમી (4 ઈંચ), ગીરગઢડામાં 38 મીમી (1.5 ઈંચ), ઉનામાં 35 મીમી (1.5 ઈંચ) વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકાઓમાં ગતરાત્રીથી લઈને આજે બપોરે સુધી વરસેલા વરસાદના પગલે મુખ્ય પાંચેય ડેમો સરેરાશ 75 ટકા સુધી ભરાઈ ગયા છે.


ગઇ કાલે બાદ આજે ફરી વેરાવળ સોમનાથમાં આખી રાત ઉપરાંત આજે બપોરે બાર વાગ્યા સુધી અવિરત 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના પગલે સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો છે. જેમાં ખાસ કરીને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના પગલે સોમનાથ બાયપાસ હાઈવે ઉપર તથા સોમનાથ ટોકીઝ વિસ્તારની જલારામ સોસાયટી, ખોજા સોસાયટી, અલ્હરમ સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં ગોઠણડુબ પાણી ભરાઈ જવાની સાથે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરી પલળી જતા વ્યાપક નુકસાની થવાથી લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આ વિસ્તારના રહીશોએ આક્ષેપો કરતા કહેલ કે, અમારા વોર્ડમાં તંત્ર કાયમી માટે ઓરમાયું વર્તન રાખતુ હોવાથી અમારે હાલાકીનો સામનો કરવો પડે છે.


ગત રાત્રીથી લઈને આજે સવારે સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાથી બે દુર્ઘટના પણ બની હતી. જેમાં રેયોન કંપનીના ગેટપાસેનું મહાકાય બેએક જેટલા વૃક્ષો ભારે પવનના કારણે ધરાશાયી થઈને બાજુમાંથી પસાર થતી 11 કેવીની લાઈનના વાયરો ઉપર પડતા 17 જેટલા વીજ પોલ પડી ગયા હતા. આ વીજ પોલો પડી જવાથી ડારી અને છાત્રોડા ગામનો વીજપુરવઠો કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. આ બનાવને લઈ વાહન વ્યવહાર પણ બંધ થઈ જતા વીજ વિભાગ અને પોલીસની ટીમોએ દોડી જઈ પડી ગયેલ થાંભલા અને વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી. 17 જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થવાના કારણે વીજ વિભાગને પાંચેક લાખનું નુકસાન થયાની સાથે અનેક કેબીનોનો બુકડો બોલી ગયો હતો. જયારે બીજા બનાવમાં શહેરની મધ્યમાં આવેલ જુના ટેલીફોન એક્ષચેન્જની કમ્પાઉન્ડ હોલ ધરાશાયી થઈ હતી.


સદનસીબે આ બંન્ને દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાથી લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વેરાવળના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી સહીતનો સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય ત્યારે વહેલી સવારના સાડા ત્રણ વાગ્યા આસપાસ શહેરમાં આવવા-જવાના મુખ્ય માર્ગ પર રેયોન કંપનીના ગેઇટ નંબર-2 પાસેનું વૃક્ષ પડતા એની સાથે ઇલેક્ટ્રીશીટીના 17 થી 18 વીજપોલ પડી જતા મુખ્ય માર્ગ બ્લોક થઇ ગયેલ જોવા મળેલ જેથી તાત્કાલીક પી.જી.વી.સી.એલ., નગરપાલીકા ફાયર બ્રિગેડ તથા રેયોન કંપનીના કર્મચારીઓને સાધન સામગ્રી સાથે બોલાવી સંકલન કરી વહેલી સવારના સાડા છ વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી મુખ્ય રસ્તો ખુલ્લો કરાવેલ હતો. આમ, પોલીસ પેટ્રોલીંગમાં સતર્કતાને પરિણામે કોઇ અનિચ્છનીય બનાવ બનેલ ન હતો.

સોમનાથ બાયપાસ બંધ કરાયો

રાત્રીના સમયે ઉપર ભાગ ભારે વરસાદ પડેલ હોવાથી આજે સવારે સોમનાથ બાયપાસ હાઈવે ઉપર રેજન્ટા હોટલ અને આસોપાલવ પાસે ઉપરવાસમાંથી આવતા વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે હાઇવે ઉપર એક તરફની લેન બંધ થઈ ગયેલ જેની જાણ થતાં પીઆઇ એમ.વી.પટેલ પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી જઈને હાઇવે પર ડિવાઇડરની આડસો જેસીબીની મદદથી દુર કરાવીને પાણીનો નિકાલ કરાવતા થોડા સમયમાં પાણી ઉતરવા લાગતા ટ્રાફીક ફરી પુન: ચાલુ કરાવ્યો હતો. જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પણ હાઈવેની મુલાકાત લઈ જરૂરી સુચનાઓ આપી હતી.

ગુજરાત

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

Published

on

By

રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી

રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.


ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.


રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.


રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.


આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.


36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.


કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Published

on

By

લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ

રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.


મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.

છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.


છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading
રાષ્ટ્રીય14 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય14 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત14 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત14 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય14 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય14 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય17 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Trending