ગુજરાત
ઉપલેટા વકીલ મંડળ દ્વારા આગામી 14 મીએ યોજાનારી લોકઅદાલતનો કરાશે બહિષ્કાર
ભૂતકાળમાં થયેલી બબાલને યોગ્ય ન્યાય નહીં મળતા લોકઅદાલતથી અલિપ્ત રહેવાનો કરાયો છે ઠરાવ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નોડલ ઓફિસરના દુર્વ્યવહારને કારણે મામલો બિચક્યો હોવાનું સામે આવ્યું
ઉપલેટા વકીલ મંડળ દ્વારા આગામી તારીખ 14 મી સપ્ટેમ્બર 2024ના રોજ યોજાનારી લોક અદાલતનો સર્વાનુમતે બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ બહિષ્કારનું કારણ અગાઉની એક લોક અદાલતમાં વકીલ મંડળના સભ્ય સાથે થયેલ ગેરવર્તુળનું બાબતે કરેલી લેખિત ફરિયાદો બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કે પગલાંઓ કે તપાસ નહિ કરવામાં આવતા આ બાબતે નારાજ થઈને ઉપલેટા વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે ઠરાવ કરીને લોક અદાલતનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાનો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે માહિતી આપતા ઉપલેટા વકીલ મંડળના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે, ગત વખતની યોજાયેલ લોક અદાલતમાં હાજર રહેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા જેતપુરના નોડલ ઓફિસર દ્વારા ઉપલેટા વકીલ મંડળના સદસ્ય વકીલ સાથે ગેરવર્તન કરેલ હોય અને બબાલ સર્જાયેલ હોય જે બાબતે ઉપલેટા વકીલ મંડળ દ્વારા આ ગંભીર બાબતે જે તે સમયે તત્કાલ મિટિંગનું આયોજન કરી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના નોડલ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની અધિકારીની નામ વિગતો અને હોદા સંબંધિત માહિતીઓ ઉપલેટાની નામદાર કોર્ટ તેમજ કોર્ટના રજીસ્ટર પાસે માંગવામાં આવી હતી જેમાં આ અંગેની કોઈપણ માહિતી કે વિગતો અમારી પાસે નથી તેઓ ઉડાવ જવાબ આપવામાં આવ્યો જેથી વકીલોમાં નારાજગી જોવા મળી હતી ત્યાર આ બાબતની રજૂઆત તથા નોડલ ઓફિસરનું નામ અને વિગત સહિતની માહિતીઓ મેળવવા માટે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ, રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ઉપલેટા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ઉપલેટાના નામદાર ન્યાયધીશને તારીખ 27 જૂન 2024 ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવેલ હતી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના નોડલ ઓફિસર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નહીં આવે તો આવનારી લોક અદાલતનો બહિષ્કાર કરશે તેવું લેખિતમાં જણાવેલ હતું.
આ લેખિત રજુઆત બાદ વકીલ મંડળના સદસ્ય એડવોકેટ સાથે થયેલી અંગેની કરેલ લેખિતમાં આ લેખિત રજૂઆત બાદ કોઈપણ તપાસ, પગલાં કે કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનું વકીલોને માલુમ પડતા વકીલો દ્વારા આ મામલે પુન: વકીલ મંડળની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં તારીખ 09 સપ્ટેમ્બર 2024 ના રોજ સર્વાનુમતે એક ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે આગામી 14 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાનારી લોક અદાલતનો ઉપલેટા વકીલ મંડળના સભ્યો, હોદ્દેદારો સહિતનાઓ સર્વાનુંમતે બહિષ્કાર કરશે અને લોક અદાલતની તમામ કામગીરીથી અલિપ્ત રહેશે તેઓ નિર્ણય લેવાયો છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે જ્યાં સુધી તેઓની લેખિત રજૂઆત, ફરિયાદનો નિરાકરણ કે નિવેડો નહીં લેવામાં આવે ત્યાં સુધી આ મામલે વકીલો દ્વારા આગળના કાર્યક્રમો અને રજૂઆતો ઉચ્ચકક્ષા સુધી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.
આ બાબતોમાં સૂત્ર પાસેથી મળતી માહિતીઓ અનુસાર ઉપલેટા વકીલ મંડળના એક સિનિયર વકીલ સાથે ગત લોક અદાલતમાં બબાલ સરજી હતી જેમાં જેમને બબાલ સર્જી તે અધિકારી જો કોર્ટમાં આવીને વકીલો સાથે આ પ્રકારનું વર્તન કરતો હોય તો સામાન્ય પબ્લિક સાથે કેવું વર્તન કરતો હશે તેની પણ ચર્ચાઓ શરૂ થઈ છે જો કે આ મામલે એવી પણ માહિતી મળી રહી છે કે છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં લોક અદાલતમાં બેંકો દ્વારા ડેકોરેમ જળવાતું નથી ત્યારે વકીલો સાથે આવા પ્રકારના વર્તનો થતા હોય તો સામાન્ય પબ્લિક સાથે કેવું ખરાબ વર્તન થતું હશે તેનું પણ અંદાજો લગાવી શકાય છે જો કે હવે ફરી એક વખત વકીલોને જ અન્યાય થઈ રહેલો માલુમ પડતા વકીલોએ ઠરાવ કરી લોક અદાલતનો બહિષ્કાર કરતા કોર્ટમાં લોક અદાલતમાં આવેલ અરજદારો, ફરિયાદીઓ વાદી પ્રતિવાદીઓની શું સ્થિતિ થશે તેને લઈને વાદી, પ્રતિવાદી, આરોપીઓ, ફરિયાદીઓમાં ચિંતાનો માહોલ પણ છવાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય8 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત