Sports
બેડમિન્ટનમાં શાનદાર સિદ્ધિઓની સ્વામીની તસ્નીમ મીર
એશિયન જુનિયર ચેમ્પિયનશિપ બે વખત જીતનાર તેમજ જુનિયરમાં વર્લ્ડ નંબર વન બનનાર એક માત્ર ખેલાડી તસ્નીમ મીર
મહેસાણામાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ઈરફાન મીર બેડમિન્ટન કોચ પણ છે.ફરજ બાદ બાળકોને તેઓ બેડમિન્ટન શીખવે છે.2010ની સાલમાં પોતાની 5 વર્ષની દીકરી પણ બેડમિન્ટન રમવા સાથે આવતી અને રમતી.એ સમયે બેડમિન્ટન શીખવતા પિતાજીને નહોતી ખબર કે ફક્ત આનંદ માટે રમવા આવતી આ દીકરી ભવિષ્યમાં બેડમિન્ટન ક્ષેત્રે દુનિયાભરમાં ડંકો વગાડશે.આ દીકરી એ આજે વિશ્વભરમાં બેડમિન્ટન ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ બેડમિન્ટન ખેલાડી એટલે તસ્નીમ મીર. તાજેતરમાં સ્ટેટ લેવલની બેડમિન્ટન ચેમ્પિયનશિપ રમવા રાજકોટ આવેલ તસ્નીમ મીરે ઉડાન માટે ખાસ વાત કરી હતી.
મહેસાણામાં જન્મ અને શાળાકીય અભ્યાસ કર્યો.માતા આસમા મીર પિતા ઈરફાન મીર અને ભાઈ અલી એમ નાનકડો પરિવાર-ભાઇ પણ બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી બહેનના પગલે ચાલી રહ્યો છે. જ્યારે નાનકડી તસ્નીમ અન્ય બાળકો સાથે બેડમિન્ટન રમતી તે જોઈને પિતાએ તેની પ્રતિભા પારખી.કોચ તથા પિતા હોવાના નાતે તેની રમત પર ગંભીરતાથી ધ્યાન આપવાનું શરૂૂ કર્યું.પોતાની બેડમિન્ટનની આ યાત્રા બાબત તેણીએ જણાવ્યું કે,બાર વર્ષ સુધી પિતાજીએ ટ્રેનિંગ આપી પરંતુ આગળ હાયર લેવલના પ્લેયર સાથે રમવાનું હોવાથી અન્ય કોચ પાસેથી કોચિંગ લેવાનું નક્કી કર્યું. હૈદરાબાદમાં ગોપીચંદ એકેડેમી જોઈન કરી.ત્રણ વર્ષ ત્યાં પ્રેક્ટિસ બાદ ગૌહાટીમાં ઇન્ટરનેશનલ કોચ પાસે ચાર વર્ષ ટ્રેનિંગ લીધી. ત્યારબાદ પ્રકાશ પાદૂકોણ એકેડેમી બેંગ્લોરમાં જોઈન કર્યું અને એક વર્ષ માટે ત્યાં ટ્રેનિંગ લીધી. અંડર 13થી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂૂ કર્યું પરંતુ પ્રારંભમાં હારનો સામનો કરતી વખતે ઘણી નિરાશા પણ મળતી પરંતુ રમતની હાર હિંમતને હરાવી શકતી નહીં. અંડર 18 અને 19માં જીત મળવા લાગી અને આમ જીત સાથે જુસ્સો પણ વધવા લાગ્યો.અને જાણે પિતાનું સ્વપ્ન સાકાર કરવા લાગી. રમત દરમિયાન રાયપુરમાં શોલ્ડર ઇન્જ઼રી થવાથી એક વર્ષ બ્રેક લેવો પડ્યો.
તસ્નીમના જણાવ્યા મુજબ જુનિયરથી સિનિયરમાં ટ્રાન્સફર થવું ટફ હોય છે આ ઉપરાંત એક વર્ષના બ્રેક પછી કમબેક કરવું પણ ખૂબ જ અઘરું હતું પરંતુ તેણે પોતાની મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા કરી દેખાડ્યું પૂનામાં એક વર્ષ પછી કમબેક કરીને જે મેચ જીતી એ યાદગાર હતી છે કારણ કે સતત મેચ રમવાના કારણે થાક પણ હતો છતાં હરિયાણાના પ્લેયર દેવિકાને હરાવીને પોતે જીત મેળવી હતી.
પોતાના સંઘર્ષ બાબત તેણીએ જણાવ્યું કે, શરૂૂઆતમાં જ્યારે સારી રમત નહોતી ત્યારે સ્પોન્સર પણ મળવા મુશ્કેલ હતા. માતા સાથે સાઉથમાં જવાનું થયું ત્યારે પણ જમવા ,રમવા,રહેવા બાબત ઘણી તકલીફ પડી પરંતુ ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઘણો સપોર્ટ કર્યો. સ્કોલરશિપ સાથે આર્થિક મદદ પણ કરી જેથી કરીને બીજા સ્ટેટમાં જઈને પ્રેક્ટિસ પણ કરી શકી. પિતા કોચ છે જેનો ફાયદો પણ મળતો રહે છે. રમત બાબતે પિતા સાથે ચર્ચા કરી રમત સુધારવાનો પ્રયત્ન કરું છું.
તસ્નીમના પિતાજી એક સમયે બેડમિન્ટન પ્લેયર હતા. પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી સાથે તેઓ બેડમિન્ટનની રમતમાં પણ રસ લેતા. આ રમતમાં અન્ય ખેલાડીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તે માટે તેઓએ પતિયાલાથી બેડમિન્ટનનો પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ કર્યો.દીકરીની સફળતા અને સંઘર્ષ બાબત કોચ અને પિતા ઈરફાન મીરે જણાવ્યું કે,આ રમત એક્સપેન્સિવ છે.વર્ષમાં 8 થી 10 વખત ફોરેન ટૂર કરવાની હોય છે ઉપરાંત પર્સનલ ટ્રેનર, ન્યૂટ્રિશનિસ્ટ, સાયકોલોજીસ્ટ અલગ અલગ હોય છે, આવા સંજોગોમાં આર્થિક મદદની જરૂૂર પડે છે ગુજરાત ગવર્મેન્ટના સપોર્ટ સાથે ડિપાર્ટમેન્ટમાં આઇપીએસ ઓફિસર પણ સપોર્ટ કરે છે.. તસ્નીમ સવારે સાડા ચાર વાગ્યે ઊઠીને નવ સુધી પ્રેક્ટિસ કરે છે અને બપોરે 2 કલાક ફિટનેસ માટે રનિંગ અથવા એકસરસાઈઝ કરે છે.નાનપણથી જ સફળતા મેળવી રહેલ તસ્નીમનો વર્લ્ડ નંબર વન બનવાનો ગોલ છે.સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
નાની ઉંમરે મેળવેલ મોટી સિદ્ધિ
તસ્નીમ અત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે ત્યારે આટલી નાની ઉંમરમાં તેણીએ અનેક સફળતા મેળવી છે.
*સિનિયર નેશનલ રેન્કિંગ ટૂર્નામેન્ટ ટાઈટલ મેળવ્યા બાદ નેશનલ રેન્કિંગમાં છઠ્ઠો ક્રમ છે.
*જુનિયર અને સિનિયર ચેમ્પિયનશિપમાં ચોવીસ વખત ચેમ્પિયન બન્યા છે. આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 12 વખત ગોલ્ડ મેડલ અને ચાર વખત સિલ્વર મેડલ મેળવ્યા છે
*એક માત્ર મહિલા પ્લેયર છે જેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપ બે વખત જીતી છે
*16 વર્ષની વયે ભારતીય મહિલા ટીમમાં થોમસ અને ઉબેર કપમાં સ્થાન મેળ્યું
*ઇન્ટરનેશનલ ચેલેન્જ ટૂર્નામેન્ટ સેન્ટ ડેનિસ રીયુનિયન ખાતે જીત મેળવી
*તાજેતરમાં પૂના ખાતે નેશનલ રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીત્યા.
*તેણી એક માત્ર ખેલાડી છે જે જુનિયરમાં વર્લ્ડ નંબર વન છે.
ટેલેન્ટ હોય તો બાળકને આગળ વધવા દો
તસ્નીમ મીરે રમત ગમતમાં રસ ધરાવતા બાળકોના માતા-પિતાને સંદેશ આપતા જણાવ્યું કે તમારા બાળકોમાં ટેલેન્ટ હોય તો તેને જરૂૂર આગળ વધારો સામાન્ય રીતે શિક્ષણ મેળવવા માટે આપણે બાળકોને સ્કૂલે મોકલી દઈએ છીએ પરંતુ રમત ગમતમાં એવું નથી થતું માતા-પિતાએ પણ ધ્યાન રાખવું પડે છે મારા માટે માતા-પિતાએ ઘણો ભોગ આપ્યો છે. શારીરિક માનસિક ફિટનેસની જાળવણી, ડાયેટમાં ધ્યાન રાખવું, હાર-જીતનો સામનો કઈ રીતે કરવો વગેરે અનેક બાબતો છે જેનું ધ્યાન રાખવુંં પડતું હોય છે.
WRITTEN BY : BHAVNA DOSHI
Sports
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પહેલા તાત્કાલિક અસરથી રેલવેની નોકરીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે જિંદની જુલાના વિધાનસભા બેઠક પરથી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. વિનેશ ફોગાટે પણ ચૂંટણી પ્રચાર શરૂૂ કરી દીધો છે. પરંતુ હરિયાણામાં વિનેશ ફોગાટ ચૂંટણી લડવા અંગે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. રેલવેએ હજુ સુધી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. રેલવેએબંને કુસ્તીબાજોને કારણ બતાવો નોટિસ ફટકારી છે.
કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા શુક્રવારે (6 સપ્ટેમ્બર 2024) કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં AICC મુખ્યાલયમાં, કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે કુસ્તીબાજ વિનેશ ફોગાટને 4 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધીને મળ્યા બાદ ભારતીય રેલ્વે તરફથી કારણ બતાવો નોટિસ મળી છે. રાજીનામું સ્વીકારીને તેને એનઓસી ન આપે. ત્યાં સુધી તે ચૂંટણી નહીં લડી શકે. ઉત્તર રેલવેનું કહેવું છે કે કારણ બતાવો નોટિસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે રેલવેના રેકોર્ડમાં તે હજુ પણ સરકારી કર્મચારી છે.
ઓલિમ્પિયન કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસમાં જોડાતા પહેલા શુક્રવારે ભારતીય રેલ્વેના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું, રેલ્વે અધિકારીઓએ વિનેશ ફોગાટને કારણ બતાવો નોટિસ મોકલી છે, તેનો એકમાત્ર ગુનો એ છે કે તે રાહુલ ગાંધીને મળી હતી. કેસી વેણુગોપાલે કહ્યું કે રેલવેએ રાજનીતિન કરવી જોઈએ અને વિનેશ ફોગાટને રાહત આપવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જોઈએ. રેલવે તેમના રાજીનામાનું કારણ જાણવા માંગે છે. રેલ્વેના નિયમો મુજબ, રેલ્વે કર્મચારીએ રાજીનામું આપ્યા પછી ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ આપવો જરૂૂરી છે.
તેથી, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ દ્વારા રાજીનામું મોકલ્યા પછી, કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.રેલ્વેના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી સેવામાં હોય ત્યારે રાજીનામું આપે તો તેને ત્રણ મહિનાની નોટિસ આપવી પડે છે, નહીં તો તે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દે છે. ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ એટલા માટે રાખવામાં આવ્યો છે કે જો કોઈ પણ સમયે કર્મચારીને સેવામાં જોડાવાનું મન થાય તો તે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે, પરંતુ જો તે તાત્કાલિક અસરથી રાજીનામું આપે તો આવી સ્થિતિમાં પાછું ખેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
Sports
દિલ્હી પ્રીમિયર લીગમાં મયંક રાવતે વિજયી પાંચ છગ્ગા ફટકાર્યા
દિલ્હી પ્રીમિયર લીગ 2024ની સિઝનનો રોમાંચક ફાઈનલની સાથે અંત આવ્યો છે. ટાઈટલ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સની સાથે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને 3 રને હરાવ્યું હતું. આ જીતનો હીરો મયંક રાવત રહ્યો જેને છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા અને ટીમનો સ્કોર વધાર્યો હતો.
હકીકતમાં મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતી રાઈડર્સ ટીમે 5 વિકેટ પર 183 રન બનાવ્યા હતા. ટીમના મયંક રાવતે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા હતા. તેને મેચમાં 39 બોલ માં 78 રન બનાવ્યા હતા. મયંકે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા મયંકે કુલ 6 છગ્ગા માર્યા હતા. તેના સિવાય હાર્દિક શર્માએ 21 અને હિંમત સિંહે 20 રન બનાવ્યા હતા જ્યારે સાઉથ દિલ્હીના કુલદીપ યાદવ અને રાઘવ સિંહે 2-2 વિકેટ લીધી હતી. એક સફળતા દિગ્વેશ રાઠીને મળી હતી.
મયંક રાવત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. જ્યારે છેલ્લી ઓવર સાઉથ દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીની હતી. તેનો ફાયદો મયંકે ઉઠાવ્યો અને છેલ્લી ઓવરમાં 5 છગ્ગા મારીને 30 રન કર્યા હતા. મયંકે પહેલા અને છેલ્લા 4 બોલ પર છગ્ગો માર્યો હતો.
Sports
બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ઘરેલુ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. પહેલી મેચ ચેન્નઈમાં 19 સપ્ટેમ્બરથી, જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં યોજાશે.આ ભારતીય ટીમની માર્ચ 2024 બાદ પહેલી ટેસ્ટ સીરીઝ છે. આ સીરીઝ સાથે જ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ રહી છે. તેણે ટી20 વર્લ્ડ કપ ફાઈનલ બાદથી બ્રેક લીધો હતો. સાથે જ બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ ઝુરેલની પસંદગી થઈ છે.પહેલી ટેસ્ટ માટે શ્રેયસ અય્યર, દેવદત્ત પડિક્કલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને જગ્યા મળી નથી. કેએલ રાહુલને બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે. કપ્તાની રોહિત શર્મા જ સંભાળશે. જ્યારે સ્પિનર તરીકે આર અશ્વીન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવની પસંદગી થઈ છે. ટેસ્ટ ટીમમાં પંતની વાપસી પંત 634 દિવસ બાદ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમના ખેલાડી
રોહિત શર્મા (કપ્તાન), યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર), આર અશ્વીન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.
-
ગુજરાત13 hours ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
ગુજરાત17 hours ago
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ
-
કચ્છ14 hours ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
ગુજરાત22 hours ago
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ
-
ગુજરાત18 hours ago
દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
-
ગુજરાત18 hours ago
તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!
-
Sports14 hours ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
ગુજરાત18 hours ago
જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો