ગુજરાત
શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં: 11 દરોડામાં 1પ મહિલા સહિત 6ર ઝડપાયા
રૂા. 1.17 લાખની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ અને જુગારનું સાહિત્ય કબજે કરાયું
જામનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર બંબાટ ચાલી રહયો છે. ત્યારે લોકો પોતાનું નસીબ અજમાવવા અધિરા બન્યા હોય તેવી રીતે ઠેકઠેકાણે જુગારના હાટડાઓ ચાલી રહયા છે. તેની સામે પોલીસ પણ જુગારીઓને પકડી પાડવા મેદાનમાં આવી છે. ત્યારે બે દિવસમાં શહેર તથા જિલ્લામાં કુલ 11 દરોડાઓ પાડી 1પ મહિલા સહિત 6ર જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રૂૂા. 1.17 લાખની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે રહેતાં જગદિશભાઈ રૂૂડિયાના ફળિયામાં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલ ગીતાબેન અશ્વિનભાઈ અજુડિયા, શારદાબેન હસમુખભાઈ વાદી, પુરીબેન મનિષભાઈ સંઘાણી, સોનલબેન વિવેકભાઈ અજુડિયા, ઉર્વશીબેન સતિષભાઈ ઢોલરિયા, નીતાબેન નીતિનભાઈ તાલપરા, રીટાબેન જગદિશભાઈ અજુડિયા, અસ્મિતાબેન કિરીટભાઈ તાળા, વર્ષા સતિષભાઈ અજુડિયા, ધર્મીષ્ઠાબેન કિશોરભાઈ અજુડિયા, નીનાબેન વિજયભાઈ અજુડિયા અને અંકિતાબેન અજુડિયા સહિત બાર મહિલાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 10,1ર0 કબ્જે કર્યા હતા.
બીજો દરોડો જામજોધપુર ખાતે વિકાસ નગર પાસે આવેલ વાછરા ડાડાના મંદિર પાસે ગંજીપના વડે જુગાર રમી રહેલા સાહિલ રમેશભાઈ સોલંકી, અજય વિકાસભાઈ સોલંકી, રણછોડ બાબુલાલ પરમાર, રાહુલ ભીમાભાઈ સોલંકીની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા. 10,130 કબ્જે કર્યા છે. જ્યારે ત્રીજો દરોડો જામજોધપુરના વેરાવળ ગામ પાસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ અબ્દુલ કાસમ સમા, હાજી હાસમભાઈ રાવકરડા, આમદ મુસાભાઈ રાવકરડા, ઈસ્માઈલ કાસમ રાવકરડા અને ઈકબાલ જુસબ રાવકરડા નામના પાંચ શખ્સોની રૂા. પ080 સાથે ધરપકડ કરી હતી.
આ ઉપરાંત ચોથો દરોડો જામનગરના કલ્યાણજીના ચોકમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા વીરેન મુકેશભાઈ પંડયા, જીતેન્દ્ર મૂળજીભાઈ પટેલ, બશીર રહીમભાઈ મેતર, નરસીગર જેઠીગર ગોસાઈ, નરેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા અને ગગુભાઈ માણસુર છૈયા નામના છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.48,600 કબ્જે કર્યા છે.
જ્યારે પાંચમો દરોડો જામનગરના સાધના કોલોનીમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ સુનિલ વિનોદભાઈ પંડયા, દક્ષાબા જબ્બરસિંહ રાઠોડ અને આરતીબેન અતુલભાઈ જોષી નામની ત્રણ વ્યકિતઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. ર6પ0 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત છઠો દરોડો લાલપુર ખાતે ધરારનગર ધાર પાસે આવેલા દશામાના મંદિર પાછળ ગંજીપના વડે જુગાર રમી રહેલ માધાભાઈ સાજણભાઈ બગડા, નુરબાઈ આમદભાઈ ભટી, કુલશમબેન હનિફભાઈ નોતિયાર સહિત ત્રણ વ્યકિતની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂૂપિયા 4010 કબ્જે કર્યા છે.
સાતમો દરોડો જામનગરના ગોકુલ નગર શિવ નગરમાં જાહેરમાં ગંજીપાના થી જુગાર રમતા પીઠાભાઈ સામતભાઈ કનારા, ખીમાભાઈ સામતભાઈ ગાગીયા, રાજેશ વલ્લભભાઈ જોશી, મૂળજીભાઈ ભીમજીભાઇ ઠાકર અને હરસુખભાઈ મોહનભાઈ જોગિયા ને રૂૂ. 7480 ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.
જુગારનો આઠમો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇમરાન હાજીભાઈ લાખા , અહેમદ હુસેનભાઇ ધુંધા, મોહમ્મદ આવેશ શબ્બીર હસાનિયા અને અલીમામદ ચંનાણી ને રૂ.15500ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જુગાર અંગેનો નવમો દરોડો જોડિયા તાલુકા નાં જીરાગઢ ગામ ની સીમ માં પાડવામાં આવ્યો હતો. અને અહીંથી જુગાર રમી રહેલા કિસન લાલજીભાઈ અદારીયા, રાહુલ ભીમાભાઇ અદારીયા, કૈલાશ અવચરભાઈ અદારિયા, સુરેશ રમેશભાઈ દેલવાણીયા વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ મેરા ભાઈ દેવાભાઈ ગમારા અને ચિરાગ મનસુખભાઈ બાબરીયાને રૂ.10960ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા .
જ્યારે જુગારનો દસમો દરોડો જામનગરના 40 – દિ .પ્લોટ કમલિયા વાસ માં પાડવામાં આવ્યો હતો. અને મહેન્દ્ર પરસોતમભાઈ ગોરી, વિજય ખીમજીભાઇ કટારમલ , રાજેશ સુરેશભાઈ ગજરા તથા રાયસંગ રતનજી જાડેજા ને રૂ.4550 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત અગિયારમો દરોડો જામનગરના બેડી વિસ્તારમાં વરલીના આંકડાનો જુગાર રમતા ઇસા દાઉદભાઈ સુંભાનિયા, મુસ્તાક હનીફભાઈ પઠાણ અને કાસમ આમદભાઈ સોઢા ને રૂ.8170ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા જ્યારે હશન નુરમામદભાઈ જેડા ફરાર થઈ ગયો હતો.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત