ગુજરાત
લોકમેળામાં રાઈડ્સ SOP મુજબ ચાલશે, રાઘવજીના હસ્તે ઉદ્ઘાટન
કમિટી દ્વારા નિરીક્ષણ કર્યા બાદ જ પ્રમાણપત્ર અપાશે, ભીડ કાબૂમાં રાખવા રાત્રે 11.30 પછી એન્ટ્રી બંધ, SDRF અને NDRFની ટીમો માગતાં કલેક્ટર, 125 કર્મચારીઓને સોપાઈ ડ્યૂટી
રાજકોટમાં આગામી શનિવારથી શરૂ થનાર પાંચ દિવસના જન્માષ્ટમીના લોકમેળાનો માહોલ હજુ સુધી બંધાતો નથી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળામાં ઉભી કરવામાં આવી રહેલ રાઈડઝના મુદ્દે હજુ પણ ધંધાર્થીઓ અને તંત્ર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. રાઈડસના ધંધાર્થીઓએ ફાઉન્ડેશન ભર્યા વગર અમુક રાઈટસ ઉભી કરી દીધાની ફરિયાદો બાદ જિલ્લા કલેકટરે સ્પષ્ટ જણાવ્યું હતું કે એસઓપી મુંજબ જ રાઈટસ ઉભી કરવી ફરજિયાત છે. આજે ટેકનીકલ કમીટી દ્વારા રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ પ્રમાણપત્ર આપવામાં આવશે. જો કોઈ નિયમ વિરૂધ્ધ જણાશે તો તેવી રાઈડસને મંજુરી આપવામાં આવશે નહીં.
બીજી તરફ લોકમેળામાં અવ્યવસ્થા ન ફેલાય તે માટે અત્યારથી જ કલેકટર તંત્ર દ્વારા અત્યારથી જ આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટરના કહેવા મુજબ ભીડ ઓછી થાય તે માટે રાત્રે 11.30 વાગ્યા બાદ લોકમેળામાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ઈમરજન્સી જરૂરીયાત માટે એસબીઆરએફ અને એનડીઆરએફની એક એક ટીમ માંગવામાં આવી છે. રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલી એજન્સીની ટુકડીઓ માંગવામાં આવી છે. લોકમેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. પરંતુ અંતે રાજકોટનાં પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ શનિવારે સાંજે 4.30 કલાકે લોકમેળાનું ઉદઘાટન કરશે તેવું ફાઈનલ થયું છે. લોકમેળામાં પાંચ દિવસ કામગીરી માટે કલેકટર તંત્રનાં 124 કર્મચારીઓને ડયુટી ફાળવવામાં આવી છે.
લોકમેળામાં કુલ 140 જેટલા રમકડાંના અને ખાણીપીણીના 32, આઈસ્ક્રીમના 16 ઉપરાંત નાની ચકરડીના 15 તથા મોટી રાઈડસના 31 પ્લોટ સહિત કુલ 235 સ્ટોલ અને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. સાથોસાથ લોકમેળામાં ઈમરજન્સી જરૂરીયાત માટે પાંચ એમ્બ્યુલન્સ તથા પાંચ ફાયર ફાઈટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવનાર છે. લોકમેળાનો રૂપિયા 10 કરોડનો વિમો પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
ઈશ્ર્વરિયા પાર્ક રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, બોટિંગ બંધ
જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખી માધાપર પાસે આવેલ ઈશ્ર્વરીયા પાર્ક રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન સહેલાણીઓની ભીડને ધ્યાને લઈ ઈશ્ર્વરીયા પાર્ક ખાતે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે. જો કે ગેમઝોન અગ્નિકાંડ બાદ બંધ કરાયેલી બોટીંગ સુવિધા હજુ ચાલુ કરવામાં આવી નથી અને જન્માષ્ટમીના તહેવારોમાં પણ આ સુવિધા બંધ રહેશે.
લોકમેળો વિના વિઘ્ને પાર પડે તે માટે યજ્ઞ કરાવતા ડેપ્યુટી કલેક્ટર
ડે.કલેક્ટરની ઓફિસમાં કરાયો યજ્ઞ : કર્મચારીઓ જોડાયા
રાજકોટમાં યોજાનાર લોકમેળામાં કોઈ વિઘ્ન ન આવે તેવી શ્રધ્ધા વ્યકત કરવા ડેપ્યુટી કલેકટર દ્વારા તેઓની ઓફિસમાં ભુદેવો દ્વારા યજ્ઞ કરાવાયો હતો. શનિવારથી પાંચ દિવસ યોજાનાર ધરોહર લોકમેળા રાઈડઝ સંબંધી નાના મોટા અવરોધો બહાર આવ્યા બાદ મેળાના સચાંલકો મુંજાઈ ગયા છે. જો કે હવે ધામધુમથી મેળો ઉજવાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવી શ્રધ્ધા અને ભાવનાને ધર્મ પરાપણતામાં બદલવા લોકમેળાનું સંચાલન કરતા પ્રાંત-1ના ડેપ્યુટી કલેકટર ડો.ચાંદનીબેન પરમારે પોતાની ઓફિસમાં યજ્ઞ યોજ્યો હતો. જેમાં તમામ કર્મચારીઓ આસ્થાભેર જોડાયા હતાં.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ