ગુજરાત
અટલ સરોવરની એન્ટ્રી ફીમાં કરોડોની ગોબાચારી, ટેન્ડરમાં શરત મફત એન્ટ્રીની છતાં ઉઘરાણાની જોગવાઈ
સ્માર્ટ સિટીની બોર્ડ બેઠકમાં પાછળથી છુટછાટ ઉમેરી દેવાયાનો છઝઈંમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
કોર્પોરેશનને એન્ટ્રી ફી પેટે માત્ર 10 ટકા ચુકવવાના બાકીના કરોડો રૂપિયા કોન્ટ્રાકટરના ખિસ્સામાં
રાજકોટ મહાનગરપાલિકાથી માંડી ગાંધીનગર સુધી ભાજપની સરકાર હોવાથી રાજકાટમાં ત્રણ વર્ષ પહેલા સુધી ‘મોસાળે જમણ અને મા પીરસે’ જેવી સ્થિતિ હતી ત્યારે સત્તાધારી પયના કેટલાક નેતાઓએ ટી.પી.સ્કીમો તેમજ બસપોર્ટ અને સ્માર્ટ સીટી સહિતની યોજનાઓમાં બે મોઢે ભ્રષ્ટાચાર આચર્યાના ઘટસ્ફોટ ધીરે ધીરે થઈ રહ્યાં છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ટીપી અને ફાયર વિભાગનાં અધિકારીઓના તપેલા ચડી ગયા છે પરંતુ તેના આકાઓને આજ સુધી કાયદાકીય પકડથી બચાવી લેવામાં આવ્યા છે તેવામાં આજથી શરૂ થયેલ રાજકોટના સૌથી મહત્વાકાંક્ષી એવા અટલ સરોવર પ્રોજેકટની એન્ટ્રી ફી ઉઘરાવવામાં અને એન્ટ્રી ફી નક્કી કરવામાં પણ ટેન્ડર પ્રક્રિયા બાદ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે.
]
રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત પ્રજાના પૈસે રૂા.136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવર પ્રોજેકટમાં બાળકોના રૂા.10 અને એડલ્ટના રૂા.25 એન્ટ્રી ફી ઉઘરાવલામાં મોટો ખેલ પડી ગયાનું બહાર આવ્યું છે. પ્રજાના પૈસે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ પ્રોેજેકટના ટેન્ડરમાં એન્ટ્રી ફી મફત રાખવાની જોગવાઈ હતી. આમ છતાં કેટલાક કારીગરોએ કારીગરી કરી પાછળથી એન્ટ્રી ફી ઘુસાડી દઈ કોન્ટ્રાકટર સાથે મળીને 15 વર્ષ સુધી ‘કટકટાવવા’નો ખેલ માંડી દીધાની હકીકત સામે આવી છે.
આ ઉપરાંત કોર્પોરેશનના ખર્ચે તૈયાર થયેલ આ પ્રોેજેકટમાં આશ્ર્ચર્યજનક રીતે પ્રથમ પ્રિમીયમ ચુકવવાની શરતોમાં પણ ઘાલમેલ કરી 0 થી 5, 5 થી 10 અને 10 થી 15 વર્ષના બદલે 3 થી 7, 8 થી 12 અને 13 થી 27 વર્ષના સ્લેબ કરી નાખવામાં આવ્યા છે. અટલ સરોવર પ્રોેજેકટનું ટેન્ડર કયુબ ક્ધસ્ટ્રકશનને રૂા.136 કરોડમાં આપવામાં આવ્યા બાદ બે વર્ષમાં અટલ સરોવર તૈયાર કરી લેવા અને તૈયાર થયા બાદ 15 વર્ષ સુધી ઓપરેશન મેઈન્ટેનન્સ ખર્ચ ક્ધસ્ટ્રકશન કંપનીએ કરવાની શરતો રખાઈ હતી.
ટેન્ડર બહાર પડયું ત્યારે અટલ સરોવરમાં આમ જનતા માટે એન્ટ્રી ફી નિ:શુલ્ક રાખવાની શરત હતી જ્યારે વિવિધ પ્રકારની રાઈડસ તથા પાર્ટી પ્લોટ, ફુડકોર્ટ વિગેરેની આવક ક્ધસ્ટ્રકશન કંપની કરી શકે તેવી જોગવાઈ હતી. આ પેટે ક્ધસ્ટ્રકશન કંપનીએ મહાનગરપાલિકાને વાર્ષિક પ્રિમીયમ ચુકવવાની જોગવાઈ કરાઈ હતી.
પરંતુ ડેન્ટર મંજુર થયા પછી તા.28 મે 2019ના રોજ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ આવ્યો ત્યારે અટલ સરોવરની એન્ટ્રી ફી ઉઘરાવવાની શરત પણ પ્રગટ થઈ ગઈ હતી અને કોન્ટ્રાકટરને એન્ટ્રી ફી ઉઘરાવવાની છુટ આપી દેવામાં આવી હતી. આટલું નહીં કોન્ટ્રાકટરને દર પાંચ વર્ષે એન્ટ્રી ફીમાં વધારો કરવાના બદલે ત્રણ વર્ષ પછી ફીમાં વધારો કરવાની પણ છુટ આપી દેવામાં આવી હતી.
આ છુટછાટ સામે મહાનગરપાલિકાને એન્ટ્રી ફીની 10 ટકા રકમ અને 90 ટકા રકમ જમા કરાવી બાકીની 10 ટકા રકમ કોન્ટ્રાકટરની તિજોરીમાં ઠાલવવાની જોગવાઈ પણ કરી દેવામાં આવી હતી. જનરલ બોર્ડ ઠરાવ કર્યા બાદ એન્ટ્રી ફી ઉઘરાવવાની છુટ સાથે કોન્ટ્રાકટરને લેટર ઓફ ઈન્ટેન્ટ પણ આપી દેવામાં આવ્યો હતો.
હવે અટલ સરોવર જ્યારે શરૂ થયું છે ત્યારે દર મહિને કોન્ટ્રાકટરને એન્ટ્રી ફીની જ કરોડો રૂપિયાની આવક થાય તેમ છે. અગાઉ તા.1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે અટલ સરોવર ખુલ્લુ મુકાયુ હતું. પરંતુ ગેમઝોન અગ્નિકાંડના કારણે માત્ર 24 દિવસમાં જ બંધ કરી દેવ્યું હતું. આ 24 દિવસમાં જ સવાત્રણ લાખથી વધુ મુલાકાતીઓ અટલ સરોવરની મુલાકાતે આવ્યા હતાં તેની એન્ટ્રી ફીની આવક જ લાખો રૂપિયા થવા જાય છે. 24 દિવસમાં કુલ 3.26 લાખ લોકો આવ્યા હતાં તેમાંથી અડધા બાળખો ગણો તો તેની એન્ટ્રી ફીની આવક રૂા.16.30 લાખ અને એડલ્ટની એન્ટ્રી ફી પેટે રૂા.41 લાખ જેવી આવક થયાનો અંદાજ મુકી શકાય.
આમ દર મહિને એન્ટ્રી ફીની આવક જ રૂા.એક કરોડથી વધુ થઈ શકે તેમ છે. આ આવકમાં 90 ટકા કોન્ઠ્રાકટરને મળશે. મતલબ કે, મહાનગરપાલિકાના શાસકોએ કોન્ટ્રાકટરને દર મહિને લાખો રૂપિયાની રોકડી કરવાનું સાલીચાણુ બાંધી દીધું છે. અટલ સરોવરના ટેન્ડરમાં થયેલી આ ગોલમાલનો આરટીઆઈમાં ખુલાસો થયો છે ત્યારે એન્ટ્રી ફીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવાની પરવાનગી કોન્ટ્રાકટરને કયા કારણોસર આપી દેવામાં આવી તે તો તે સમયના શાસકો અથવા તો સહી કરનાર અધિકારીઓ જ બતાવી શકે. પરંતુ આ સમગ્ર મામલો શંકાસ્પદ અને મોટા ભ્રષ્ટાચારનો જણાય છે ત્યારે આ બારામાં તપાસ કરવામાં આવે તો ચોંકાવનારા ધડાકા થઈ શકે છે. તમામ પુરાવા રેકર્ડ ઉપર છે. જો સરકારની કે, વર્તમાન મ્યુનિ.કમિશનરની કે, મેયરની ઈચ્છા શકતી હોય તો તટસ્થ તપાસ કરાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી શકે છે.
24 દિવસમાં રૂા.3.26 લાખ મુલાકાતી આવ્યા, આંકડા છુપાવા હવાતીયા
રાજકોટના નવ્ નજરાણા સમાન અટલ સરોવરમાં એન્ટ્રી ફીના ઉઘરાણા ટેન્ડર પ્રક્રિયા બાદ ઘુસાડી દેવાયા છે ત્યારે એન્ટ્રી ફીની જ આવક દરમહિને એકાદ કરોડ રૂપિયાથી વધુ થાય તેવો અંદાજ છે. અગાઉ તા.1 મેના રોજ અલટ સરોવર ખુલ્લુ મુકાયુ ત્યારે પ્રથમ દિવસે મફત એન્ટ્રી હતી. ત્યારબાદના ગેમઝોન અગ્નિકાંડના કારણે તા.25 મેની મોડી સાંજે અટલ સરોવર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. વચ્ચેના આ 24 દિવસમાં કુલ 3.26 લાખ લોકોએ અટલ સરોવરમાં એન્ટ્રી કરી હતી. આ 3.26 લાખમાં અડધા બાળકો અને અડધા એડલ્ટની એન્ટ્રી ગણવામાં આવે તો પણ આ આવક રૂા.60 લાખ આસપાસ થવા જાય છે. તહેવારોની સીઝનમાં આ આવક અનેક ગણી વધી શકે છે. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, અટલ સરોવર તા.1 થી 25 મે સુધી ખુલ્લુ રહ્યું તે દરમિયાન કેટલા બાળકો અને કેટલા એડલ્ટ લોકોએ મુલાકાત લીધી તેનો આંકડો ભેદી કારણોસર મહાનગરપાલિકાના અધિકારીઓ દબાવી રહ્યાં છે. જ્યારે કયુબ ક્ધસ્ટ્રકશન કંપનીના જવાબદાર અધિકારીઓ આ આંકડો મીડિયા સમક્ષ જાહેર કરી શકાય નહીં તેવો જવાબ આપી રહ્યાં છે. મુલાકાતીઓના આંકડા દબાવવા કોર્પોરેશન અને કોન્ટ્રાકટ બન્ને દ્વારા ચલકચલાણુ રમાઈ રહ્યું છે તે બાબત પણ શંકાસ્પદ ગણાવાય છે.
પાંચના બદલે ત્રણ વર્ષે ફી વધારવાની જોગવાઈમાં પણ જગલરી
મહાનગરપાલિકાના સત્તાધીશોએ અટલ સરોવરનું ટેન્ડર ફાઈનલ થયા બાદ એન્ટ્રીફી ઉઘરાવવાની પાછળથી જોગવાઈ ઘુસાડી દીધા બાદ પણ દલા તરવાડી વાળી કરી હોય તેમ પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષ પછી જ ફી વધારવાની કોન્ટ્રાકટરને છુટ આપી દીધી છે. જ્યારેિ વવિધ રાઈડસના ભાવ વધારાની મુદત પાંચ વર્ષ જ રાખી છે. કોન્ટ્રાકટર સાથે મહાનગરપાલિકાએ કરેલા કરાર મુજબ હાલમાં બાળકો માટે રૂા.10 અને એડલ્ટ માટે રૂા.25 છે તે ત્રણ વર્ષ બાદ સીધી બાળકોની એન્ટ્રી ફી રૂા.20 અને એડલ્ટ માટે રૂા.40 થઈ જશે. આમ એન્ટ્રી ફી પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષે વધારવાની જોગવાઈમાં પણ કોઈ ‘જગલરી’ થયાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત17 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી