ગુજરાત
અગ્નિકાંડમાં કમિશનર જવાબદારીમાંથી છટકી શકે નહીં!
કામનું ભારણ અને પાવર ડેલિગેટ કર્યા હોય તો પણ તેની જવાબદારી બને છે: હાઇકોર્ટમાં પ્રિન્સી.સેક્રેટરીનું સોગંદનામુ
રિપોર્ટ ખુલ્યા વગર મીડિયામાં બન્ને તત્કાલિન કમિશનરોને કલીનચિટના અહેવાલો અંગે વ્યકત કરેલી નારાજગી, ગંભીર ટકોર
બંજિ જમ્પિંગ અને સ્લાઇડિંગ રાઇડ્સ અંગે હાઇકોર્ટે વ્યકત કરેલી ચિંતા, 9 ઓગસ્ટે થશે વિશેષ સુનાવણી
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અંગે આજે હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસની ડિવીઝન બેંચ સમક્ષ સુનાવણી નીકળતા આ અગ્નીકાંડમાં રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપિલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાને ફેકટ ફાઇન્ડિંગ કમિટીએ કલિનચીટ આપી દીધાના અહેવાલો અંગે હાઇકોર્ટે સવાલો કરતા સરકારી વકીલે આવા સમાચારો આપવા અંગે અજાણતા વ્યક્ત કરી હતી.
ગત તા.13 જુનના રોજ ફેકટ ફાઇન્ડિંગ કમિટીને આપેલા આદેશ અનુસંધાને આજે પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજુ કર્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડમાં મ્યુનિસિપલ કમિશનર સુપરવાઇઝરી જવાબદારીમાંથી છટકી શકે નહી. કમિશ્નર પર કામનું ભારણ હોય અને પાવર ડેલીગેટ કર્યા હોય તો પણ અંતે જવાબદારી તેની બને છે.
દરમિયાન બન્ને મ્યુ.કમિશનરોને કિલનચીટ અપાયાના અહેવાલો અંગે હાઇકોર્ટે સરકારી વકીલને પુછતા તેમણે સરકાર દ્વારા આવા કોઇ સમાચાર આપવામાં નહીં આવ્યાનું જણાવતા હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, જેણે રિપોર્ટ જોયો નથી એ ન્યુઝ પેપરમાં લખે છે. અન્ય વકીલોએ પણ પોતાને હજુ સુધી રિપોર્ટ મળ્યો નહીં હોવાનું જણાવતા હાઇકોર્ટે તમામ પક્ષકારોના વકીલોને રિપોર્ટ આપવા અને અઠવાડીયામાં હાઇકોર્ટ સમક્ષ જવાબ રજુ કરવા જણાવ્યું હતું.
હાઇકોર્ટ સમક્ષ સરકારે ગેમિંગ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક અંગે નિયમો ઘડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે જુદી જુદી ગેમ્સને વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને તબક્કાવાર લાયસન્સની પણ જોગવાઇ કરવામાં આવી છે.
આ તમામ બાબતોમાં દેખરેખ માટે વિશેષ કમિટીની પણ રચના કરવા કોર્ટે નિર્દેશ આપ્યા હતા તેમજ બંજી જમ્પિંગ તથા સ્લાઇડિંગ રાઇડસ અંગે ચિંતા વ્યકત કરી હતી. આ તમામને નિયંત્રિત કરવા જણાવતા એડવોકેટ જનરલે આ અંગે ખાતરી આપી હતી તેમજ ગેમઝોન સંચાલકોને લાયસન્સ બાદ જ મંજુરી અપાશે તેમ જણાવ્યું હતું.
હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે દરેક ઘટનાઓમાં કલેકટરને જ જવાબદાર માનવા યોગ્ય નથી અન્ય દરેક અધિકારી અને જવાબદાર વ્યક્તિને પણ તેની જવાબદારીનો ખ્યાલ અને જાગૃતિ હોવી જરૂરી છે.રાજકોટમાં ફાયર વિભાગના મહત્વના હોદા પણ ખાલી હોવાનું હાઇકોર્ટે નોંધી ભરતી બાદ અધિકારીઓની ટ્રેનીંગ અંગે પણ ટકોર કરી હતી અને દરેક અધિકારીને ટ્રેનીંગ આપવા જણાવ્યું હતું.
હાઇકોર્ટે આગામી તા.9 ઓગસ્ટે વધુ સુનાવણી રાખી ફાયર વિભાગના ઇન્ફાસ્ટ્રકટર અને મેન પાવરની વિગતો રજુ કરવા સુચના આપી તેમજ ગેમઝોન પીડીતો અને ફેકટ ફાઇન્ડિંગ કમીટીના રિપોર્ટ ઉપર સુનાવણી કરવા નકકી કર્યું હતું.
ક્રાઇમ
હેવાનિયતની હદ વટાવાઈ!! સુરેન્દ્રનગરના રાવળિયાવદરમાં 5 વર્ષની બાળકીને 40 વર્ષના હેવાને પીંખી નાખી
સુરેન્દ્રનગરમાંથી હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામમાં 5 વર્ષની માસુમ બાળકી પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે 40 વર્ષના નરાધમે 5 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. આ બનાવની જાણ થતા DYSP સહિતના અધિકારીઓ રાવળિયાવદર દોડી આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા નરાધમની અટકાયત કરવામાં આવી છે. આ બનાવને લઈને ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગુજરાત
વીરનગરની શિવાનંદ હોસ્પિ.માં 10 દર્દીઓને અંધાપાની અસર
ઓપરેશન બાદ અચાનક ઈન્ફેક્શન આવતા દોડધામ, રાજકોટ સિવિલમાં સારવાર આપ્યા બાદ દર્દીઓને અન્ય ખસેડાયા
સોમવારે બનેલી ઘટના બાદ ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી, હોસ્પિટલનું ઓપરેશન થિએટર સીલ
ભાવનગર રોડ ઉપર આટકોટ નજીક આવેલી શિવાનંદ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 10 જેટલા દર્દીઓને અંધાપાની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. અંધાપાની અસર થયેલા તમામ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ વધુ બે દર્દીઓની ગંભીર સ્થિતિ હોવાના કારણે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં રાજકોટની આરોગ્ય ટીમ પણ શિવાનંદ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. અને ઓપરેશન થીએટર સીલ મારી દેવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આટકોટ નજીક વીરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં સોમવારે 32 જેટલા દર્દીઓનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના બે દિવસ બાદ 10 જેટલા દર્દીઓને અંધાપાની અસર થઈ હોવાની ફરિયાદ હોસ્પિટલ સુધી કરવામાં આવી હતી. અસર વધુ થતાં તમામ દર્દી ઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં બે દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ અને ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ અને ગાંધીનગર ખાતે છેલ્લે સારવાર લઈ રહેલા દર્દીઓને આ અંગેની જાણ આરોગ્ય વિભાગને કરતા સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું. રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શિવાનંદ હોસ્પિટલ ખાતે તાત્કાલીક દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ત્યાર બાદ ગાંધીનગરની ટીમ પણ હોસ્પિટલ ખાતે આવી હતી. અને તમામ ઘટનાની જાણકારી મેળવી જદે વિભાગમાં ઓપરેશન થયા હતાં તે સાત ઓપરેશન થીએટર સીલ મારી દેવામાં આવ્યા હતાં.
આ અંગે હોસ્પિટલના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સોમવારે 32 દર્દીઓના ઓપરેશન કરાયા હતાં. બે દિવસ સુધી એક પણ ફરિયાદ મળી હતી નહીં બે દિવસ બાદ અંધાપાની અસર થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. સોમવાર બાદ મંગળવાર અને બુધવારના રોજ પણ અનુક્રમે 65 અને 66 દર્દીઓના આંખના ઓપરેશનો કરવામાં આવ્યા હતાં. પરંતુ તે કોઈને પણ અંધાપાની અસર થઈ નથી. વધુમાં હોસ્પિટલના આરોગ્ય સાથે જોડાયેલા કર્મચારીએ જણાવ્યું હતું કે, હાલ વાતાવરણના કારણે પણ આ પ્રકારની અશર થઈ શકે છે.
શિવાનંદ હોસ્પિટલના 9થી 10 દર્દીઓને અંધાપાની અસર થતાં પ્રથમ રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ બે દર્દીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. અન્ય ચાર દર્દીઓને રાજકોટ ઈન્દિરા સર્કલ ખાતે આવેલ ડો. અનડકટની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અન્ય દર્દીઓની તબીયત સુધારા ઉપર હોય તેઓને સારવાર માટે ફરી વીરનગર ખાતે લઈ જવામાં આવ્યા છે. રાજકોટ સિવિલના જણાવ્યા મુજબ રાજકોટ સિવિલમાં સારવાર આપ્યા બાદ તેઓને રજા આપવામાં આવી હતી. સિવિલમાંથી દર્દીઓને રજા મળતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દર્દીઓની સારવારનો ખર્ચ ટ્રસ્ટ ઉપાડવા તૈયાર
શિવાનંદ આંખની હોસ્પિટલ સાથે જોડાયેલા અશોક કુમાર કેશવલાલ મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે, 9થી 10 જેટલા દર્દીઓને અસર થઈ છે. તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજ સુધીમાં આ પ્રકારનો બનાવ એક પણ બન્યો નથી. છતાં પણ કોઈ ક્ષતિના કારણે આ ઘટના બની હોવી જોઈએ જેનું ટ્રસ્ટને પણ દુ:ખ છે. અસર થયેલા દર્દીઓના દૂખને નિવારવા માટે ટ્રસ્ટ પણ સહયોગ આપસે અને દર્દીઓની સઘન સારવારનો ખર્ચ ટ્રસ્ટ આપવા પણ તૈયાર છે.
68 વર્ષમાં 9.8 લાખ દર્દીઓની આંખના ઓપરેશન
રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલી શિવાનંદ હોસ્પિટલ 1956થી કાર્યરત છે જેમાં આંખને લગતી સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 68 વર્ષમાં 9.8 લાખ જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમજ દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે લઈ જવા અને મુકી જવા ઉપરાંત રહેવા જમવાની પણ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.
ક્રાઇમ
રાજકોટના પિતા-પુત્રએ ખેડબ્રહ્માના વેપારી સાથે 10.56 લાખની કરેલી ઠગાઇ
ખેડબ્રહ્માના ખેરોજ-લાંબડીયા રોડ ઉપર આવેલ બિયારણ તથા જંતુનાશક દવાના વેચાણ કરતા વેપારી પાસે મકાઇના બિયારણનો જથ્થો મંગાવી રૂૂ.10.56 લાખની રકમની ચૂકવણી કરવામાં આવી નથી. જેથી વેપારી સાથે ઠગાઇ કરનાર બે શખ્સો વિરૂૂધ્ધ ખેરોજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, શંકરપુરા કંપાના રમેશભાઇ રઘુભાઇ પટેલ ખેરોજ-લાંબડીયા રોડ ઉપર વિકસત સંસ્થાના કંમ્પાઉન્ડમાં સાબર આર્ટ ફાર્મર એન્ટરપ્રાઇઝ પ્રોડયુસર નામે કંપની ચલાવી ડિરેકટર તરીકે ફરજ બજાવે છે. આ કંપની ખેડૂતો પાસેથી ખેતપેદાશોનું ખરીદ-વેચાણનું વેચાણ કરે છે.ગત તા.20ના રોજ કંપનીમાં કામ કરતા શ્રીકાંતભાઇ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત થઇ હતી અને મકાઇનું અનાજ કુલ 42.3 ટન 1 ક્વીન્ટલના 24.85ના ભાવથી હેવીસ એકસ્પોર્ટ (રહે.303, ક્રાફટ-7, મારૂૂતિ સુઝુકી શો-રૂૂમની સામે, એસજી હાઇવે,અમદાવાદ)ને ખરીદવાનો છે તેવી વાતચીત કરતા સોદો મંજૂર કરી લેખિતમાં ઓર્ડર મંગાવ્યો હતો. પરંતુ ઓર્ડર મુજબનો પુરતો જથ્થો ન હોવાથી અમારી કંપનીને પીડી મકાઇ કયાંથી મળી શકે તેથી વચ્ચે રહેલ કંપનીનો સપોટ લીધો હતો અને સિયારામ ટ્રેડીંગ કંપની (પટ્ટી મંડળી, કાયમ ગંજ, જિ.ફારૂૂકાબાદ, ઉત્તરપ્રદેશ)નાઓની પાસેથી માલ મંગાવી હેવીસ એકસ્પોર્ટ (રાજકોટ)નાઓને માલ મોકલ્યો હતો. ડિલીવરી અંગે હેવીસ એકસ્પોર્ટના માલીક ચેતનભાઇ રમેશભાઇ રંગાણી સાથે વાતચીત થયા બાદ સિયારામ ટ્રેડીંગ કંપનીએ મોકલી આપેલ મકાઇ ભરેલ ટ્રક એપીએમસી રાજકોટ ખાતે ડિલીવરી કરવા ગઇ હતી.
મારૂૂતિ એન્ટરપ્રાઇઝ નામની બનાવટી પેઢી બનાવી હેવીસ એકસ્પોર્ટ કંપનીના માલીક ચેતનભાઇ રમેશભાઇ રંગાણી તથા રમેશભાઇ નાથાભાઇ રંગાણી (બન્ને રહે.રાજકોટ)નાઓએ ટ્રકનો મુદ્દામાલ મકાઇ ખાલી કરાવી રોહિત ફ્રુડ પ્રોડકટસ ખાતેથી લઇ જઇ વેચી મારી રોકડ રકમ મેળવી લીધી હતી. આ મામલે ખેરોજ પોલીસ મથકમાં બન્ને પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ક્રિપ્ટો રન્સીમાં રોકાણના બહાને ચેતને સુરતના જમીન દલાલ પાસેથી 97 લાખ પડાવ્યા હતા
રાજકોટના પિતા-પુત્ર વિરુદ્ધ ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ ચેતન રંગાણી વિરુદ્ધ પાંચ દિવસ પૂર્વે સુરતના વરાછા પોલીસ મથકમાં જમીન દલાલ અક્ષય કપુરીયાએ 97 લાખની છેતરપીંડિનો ગુનો નોંધાવ્યો હતો. આ બનાવમાં સુરત પોલીસે ચેતનની ધરપકડ કરી હતી. ચેતને જમીન દલાલને ઉંચા વળતરની લાલચ આપી ક્રીપ્ટો કંરસીમાં રોકાણ કરાવી મિત્ર સાથે મળી 97 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
-
ક્રાઇમ1 day ago
કેરળમાં લૂંટારાઓની દહેશત!! વેપારીની કારને આંતરી 2.5 કિલો સોનાની લૂંટ ચલાવી, જુઓ VIDEO
-
ગુજરાત12 hours ago
સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન: ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા બુલડોઝર, પોલીસનો કાફલો તૈનાત
-
ગુજરાત8 hours ago
નવરાત્રીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખેલૈયાઓ 12 વાગ્યા બાદ પણ રમી શકશે ગરબા
-
ગુજરાત1 day ago
જુનાગઢમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતાં સ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયાં
-
આંતરરાષ્ટ્રીય1 day ago
પત્ની બિકીની પહેરી શકે તે માટે 418 કરોડનો ટાપુ ખરીદ્યો
-
અમરેલી1 day ago
અમરેલીના લાઠીનો શખ્સ રાજકોટમાં 61 હજારના એમડી ડ્રગ્સ સાથે પકડાયો
-
આંતરરાષ્ટ્રીય1 day ago
જાપાનના નવા પીએમ બન્યા શિગેરૂ ઇશિબા
-
ગુજરાત1 day ago
મારે ચીફ ફાયર ઓફિસર નથી બનવું, અમિત દવેનો કમિશનરને પત્ર