ગુજરાત
ઉમિયાધામ સિદસરમાં મહોત્સવની ભાદરવા સુદ પૂનમે ઉમંગભરી ઉછામણી
ઉમિયાધામ સિદસર દ્રારા છેલ્લા સાડા ત્રણ દાયકામાં ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી મૉં ઉમિયાના સાનીધ્યમાં ભકિતની શકિત સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેક યોજના પ્રવૃતિઓ, કાર્યક્રમો કરવામાં આવેલ છે. સિદસર ખાતે આગામી રપથી 29 ડીસેમ્બર 2024 માં ઉમિયા માતાજીનો 1રપ મો પ્રાગટ્ય મહોત્સવ રંગે ચંગે ઉજવવાશે. જેની ઉમગભરી ઉછામણી ભાદરવી સુદ પૂનમ તા. 18 સપ્ટે. ને બુધવારે સવારે 9:30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે યોજાશે.
ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા 1985મા માઁ ઉમિયાના મંદિરના પુન:નિર્માણ સમયે પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ ત્યારબાદ 1999 માં ઉમિયા માતાજીના પ્રાગટયના 100 વર્ષ નિમિતે મૉં ઉમિયા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરેલ ર012 ના રજતજયંતિ મહોત્સવના સફળ આયોજન બાદ આગામી તા. રપ થી ર9 ડીસેમ્બર 2024 માં મૉં ઉમિયા પ્રાગટયની 125 માં વર્ષની ઉજવણી નિમિતે સવા શતાબ્દી મહોત્સવ યોજાશે. ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા શ્રી 1મ શતાબ્દી મહોત્સવ ના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણી કરવામાં આવી છે.ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ છે કે 2001થી 2021 સુધી બે દાયકામાં ઉમિયાધામ સિદસર દ્રારા સૌરાષ્ટ્રના 1ર જીલ્લા પ8 તાલુકા અને 740 ગામોમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ઉમિયા સમૃધ્ધી યોજના-1 અને ર ના માધ્યમથી 20 જેટલા શૈક્ષણીક સંકુલો, અતિથિભવનો, સામાજીક અને આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિવિધ કામગીરી 3રપ કરોડ જેટલી રકમના સામાજીક કાર્યો થકી પાટીદાર સમાજના ઉત્થાન માટે કાર્યો થયા છે. ઉમિયા ધામના ઉપપ્રમુખો ચીમનભાઈ શાપરીયા અને જગદિશભાઈ કોટડીયાએ દાતાઓના અનુદાન સાથે સ્વયંસેવકોના શ્રમદાન થકી પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે 2024 ના મહોત્સવને સફળ બનાવવા તન-મન-ધનથી યોગદાન આપવા હાંકલ કરી છે.મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રના બે લાખ પરિવારોમાં સંસ્કાર વારસો જાળવવા અને સમાજને એક તાંતણે બાંધવા ઉમિયાધામ ખાતે ડીસેમ્બર 2024 માં સવા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
સમગ્ર મહોત્સવના યજમાનોની ઉમગભેર ઉછામણીનો કાર્યક્રમ ભાદરવા સુદ પૂનમ તા. 18 સપ્ટે. બુધવારે સવારે 9:30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે ટ્રસ્ટીઓ, દાતાઓ, શ્રેષ્ઠીઓ, આગેવાનો, કારોબારી સભ્યો, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યોની ઉપસ્થિતીમાં યોજાશે.સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા તથા કાર્યાલય મંત્રી નરસિંહભાઇ માકડીયાએ જણાવેલ કે ઉમિયાધામ સિદસર ખાતે હર વર્ષની માફક આ વર્ષે પણમા ઉમિયાના 125માં પ્રાગટય દિન નિમિતે ભાદરવી સુદ પુનમ ને તા. 18 સપ્ટેમ્બરના રોજ 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ મહાયજ્ઞમાં ભાગ લેવા સૌરાષ્ટ્રભર માંથી રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, જામજોધપુર, પાનેલી, ઉપલેટા, ધોરાજી સહીતના વિવિધ શહેરો તેમજ તાલુકાઓમાંથી 30 જેટલા પદયાત્રીકોનો સંધ સિદસર માં પહોંચશે. આશરે 30થી 35 હજાર પદયાત્રીકો, ભાવિકો સહીત ભાદરવી પુનમે સિદસર માતાજીના દર્શનનો લ્હાવો લેશે. ભાદરવી પૂનમે યોજાનાર આ મહાયજ્ઞના યજમાન તરીકે જયશ્રીબેન તથા ચંદુભાઈ ભીમજીભાઈ ગોપાણી, પ્રવિણાબેન તથા જીતુભાઈ હંસરાજભાઈ ગોપાણી તેમજ ધ્વજા પૂજન વિધિના યજમાન તરીકે શિતલબેન તથા જસ્મીનભાઈ જમનભાઈ હિંસુ, ગીતાબેન તથા રવિભાઈ ગીરધરભાઈ કાનાણી, કિર્તીબેન તથા દિપકભાઈ અમરશીભાઈ ગોપાણી લ્હાવો લેશે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો