Connect with us

ગુજરાત

બાર એસો.ની ચૂંટણીનો જંગ જામ્યો : એક્ટિવ પેનલનો ઝંઝાવાતી પ્રચાર

Published

on

ગુજરાત મિરર મીડિયા હાઉસની મુલાકાતે આવેલી એક્ટિવ પેનલે વકીલોના હિતમાં ખડે પગે કામગીરી કરવાની આપી ખાત્રી

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં લીંગલ સેલ પ્રેરિત સમરસ પેનલને હંફાવવા સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી અને પૂર્વ ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સહિતનાં સ્વતંત્ર ઉમેદવારોએ એક જૂથ થઈ પોતાની એકટીવ પેનલની જાહેરાત કરતાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. એકટીવ પેનલે ચૂંટણી ફ્રચાર શરૂ કરતાની સાથે જ ‘ગુજરાત મિરર’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી જંગ ચરમ સીમાએ પહોંચેલ છે. બન્ને પેનલના ઉમેદવારો અને ટેકેદારો એક બીજાને પાડી દેવા ભરપૂર મહેનત કરી રહેલ છે. આજે સવારે એકટીવ પેનલે કોર્ટ કંપાઉન્ડમાં વકીલો ભાઈ બહેનોને ગાંઠીયા જલેબી, ખવડાવી ચૂંટણીનાં ગણેશ કર્યા હતાં.

એકટીવ પેનલ તેના સમર્થકો દ્વારા ફોજદારી કોર્ટ કંપાુન્ડમાં 600 થી વધુ ભાઈ બહેનોને એકત્ર કરી પોતાનું સામર્થ્ય અને તાકાત બતાવતા શક્તિ પ્રદર્શન કર્યુ હતું. એકટીવ પેનલ એક તરફી ચૂંટણીમાં જીતી રહેલ હોવ્નું વાતાવરણ બની રહેલ છે. સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટ હર હંમેશ વકીલોની ચૂંટણીમાં જંગલ જામતો હોય છે. આ વખતે એકટીવ પેનલના સમર્થનમાં અનેક વકીલોએ પોતાના ફોર્મ ખેંચી અને એકટીવ પેનલને જાહેરમાં સમર્થન કરતાં એકટીવ પેનલનું પલડું ભારે થઈ થયું હોવાનું સ્પષ્ટ થયેલ છે. આ વખતે તમામ બાર એસોસીએશન પણ પોતાના સમર્થકોને એકટીવ પેનલને જીતાડવા માટે આદેશ કરી રહેલા હોવાનું જાણવા મળેલ છે. તેમજ મહિલા બાર એસોસીએશનના ત્રણસોથી વધુ મહિલાઓએ મીટીંગ કરી અને આ વર્ષે કોઈપણ સંજોગોમાં એકટીવ પેનલના તમામ ઉમેદવારોને ચૂંટી કાઢવા મહિલા ધારાશાસ્ત્રીઓમાં લાકડીયો તાર ફેરવી દીધેલ છે. આ વર્ષે એકટીવ પેનલ નવા જુની કરવાના મુડમાં હોય તેવું જણાઈ આવે ચે અને પુરી તાકાતથી પોતાની જીત મેળવવા અથાગ પરીશ્રમ કરી પ્રચાર કરી રહેલ છે.

પ્રમુખ પદના દાવેદાર બકુલ રાજાણી
એકટીવ પોનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ ધરાવે છે. કાકાના હુલામણા નામથી ઓળખાતા બકુલ રાજાણઈ પણ ભત્રીજાઓને હર હંમેશ કોઈપણ કામ હોય ત્યારે સમય જોયા વગર તાત્કાલીક કામ કરી આપતા બકુલ રાજાણી (કાકા) 2001માં સ્વ.બળવંતસિંહ રાઠોડ તેમજ અશ્ર્વિન ભટ્ટ સાથે મળીને જુનિયર બાર એસોસીએશનની સ્થાપના કરેલ.

બકુલ રાજાણીને 108નું બિરૂદ મળેલ છે. તેમજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવતી સિવિલ જજની પરીક્ષા માટે વકીલો માટે સતત 2 માસ સુધી જુદા જુદા જજ દ્વારા કાયદા વિષયક અને પરીક્ષા લક્ષી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. તેમજ સતત 3 વર્ષ સુધી પ્રમુખ પદ ઉપર બકુલ રાજાણી રહેલ તે સમયે તેઓ વકીલોના હિત માટે કરી ઈતિહાસ રચ્યો હતો.

ઉપપ્રમુખ ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજા
એક્ટિવ પેનલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર સિધ્ધરાજસિંહ કે.જાડેજા લબ્ધ પ્રતિષ્ઠિત રાજકોટ બાર એસોસીએશનમાં ‘કારોબારી સભ્ય’ થઈ લઈ વિવિધ હોદ્દાઓ ઉપર આઠ વાર જંગી બહુમતિથી ચુંટાયેલા છે. તેમજ રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત વિવિધ પ્રવૃતિઓમાં અગ્રેસર રહે છે. રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ ‘લીગલ સેમીનાર’માં કૂનેહપૂર્વક આયોજન કરી સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવેલ છે.
સિધ્ધરાજસિંહ કે.જાડેજા બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે તેમજ અજાતસત્રુ તથા મિલનસાર સ્વભાવનાં લો પ્રોફાઈલ વ્યક્તિ છે તેઓ હંમેશા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરતાં આવ્યા છે અને વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ તેમના પ્રશ્ર્નોને અગ્રતાક્રમ આપી તાત્કાલીક નિર્ણય લઈ નિકાલ લાવે છે એટલે જ તેમને 108 વકીલ મિત્રોમાં કહે છે. ‘બાપુ’ના હુલામણા નામથી ઓળખાતા સિધ્ધરાજસિંહ કે.જાડેજા વકીલોની સમસ્યાઓ ઉકેલે છે.

સેક્રેટરી પદના ઉમેદવાર સુમિતકુમાર વોરા
સુમીતકુમાર ધીરજલાલ વોરા પાટીદાર સમાજમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થા સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરતાં આવ્યા છે, તેઓ સને 2014-15 અને 2015-16માં કારોબારી સભ્યમાં વર્ષ 2021-22માં લાયબ્રેરી સેક્રેટરી તરીકે જંગી બહુમતીથી વિજેતા થઈ રાજકોટ બાર એસોસીએશનમાં સફળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવી ચુકેલ છે.

જોઈન્ટ સેક્રેટરી પદના દાવેદાર કેતન મંડ
તેઓ વર્ષ 2002થી વકીલાત ક્ષેત્રે કામગીરી કરી રહ્યાં છે. તેમજ રાજકોટ શહેરના જાણીતા તેમજ પ્રતિષ્ઠિત સિનિયર એડવોકેટ આર.એમ.વોરોતરીયા સાથે વકીલાતની શરૂઆત કરેલ હતી, હાલ નોટરી અને એડવોકેટ તરીકે રેવન્યુ અને સિવિલ રાહે સ્વતંત્ર પ્રેકટીસ કરી રહ્યાં છે અને આહીર વૈચારીક ક્રાંતિગ્રુપ, ગુજરાત આહીર કેળવણી મંડળ, જનકલ્યાણ ટ્રસ્ટ, આહીર લીગલ ફોરમ, આહીર સંસ્કૃતિ ફોરમ, વોઈસ ઓફ લોયર્સ, એલએસએફ રેવન્યુ આર એસોસીએશન, રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન, જેવા અનેક એસોસીએશન સાથે સંકળાયેલ છે.

લાઈબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર સંજય જોષી
રાજકોટના યુવા અને લોકપ્રિય એડવોકેટ સંજય જે.જોષી(સંજુબાબા) તેઓ ગુજરાત નોટરી ફેડરેશનના ક્ધવીનર(સ્થાપક) છે,અને નોટરીના પશ્નો માટે અલગઅલગ સરકારી ઓથોરીટી સમક્ષ રજુઆતો કરતા રહે છે.
ટે્રઝરર પદના ઉમેદવારએકટીવ પેનલમાંથી ટ્રેઝરર પદના ઉમેદવાર તરીકે દિવ્યેશ છગએ ઉમેદવારી નોંધાવેલ છે. દિવ્યેશ છગ રેવન્યુમાં બહોળો અનુભવ મેળવેલ છે. આ ઉપરાંત એમ.એ.સી.પી.માં પણ ઘણા સારા ચુકાદા મેળવેલ છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ નાગરીક સહકારી બેંકો ઓફ ઇન્ડીયા તથા ગુજરાત ગેસમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપેલ છે. તથા આરબીટ્રટર તરીકે સેવા આપો રહયો છું.

ડાંગર વિમલકુમાર
એકટીવ પેનલના કારોબારી સભ્યપદના ઉમેદવાર વિમલ ડાંગર વર્ષ-2009થી વકીલાત ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે. તેઓ આહિર વૈચારીક કાંતી,ગુજરાત આહિર કેળવણી મંડળ,જન કલ્યાણ ટ્રસ્ટ,શ્રી ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટમાં સક્રીય કામગીરી કરી રહયા છે.ઉપરાંત રેવન્યુ બાર એસોસીયેશન,આહિર લીગલ ફોરમ,રાજકોટ ડિસ્ટ્રીકટ બારમાં કાયમી સભ્ય હોય વકીલોના પ્રશ્નોને વાચા આપી રહયા છે.

તુષાર દવે
એડવોકેટ તુષાર દવે સિવિલ ક્રિમિનલ રેવન્યુ પ્રેક્ટિસ તરીકે કામગીરી ચાલુ છે સિનિયર જુનિયર એડવોકેટ્સમાં મિત્રતા ધરાવે સ્વ. અભયભાઈ ભારદ્વાજ નીચે જુનિયર કામગીરી કરેલ છે રાજકોટ બાર ભાજપ લીગલ સેલમાં 2008 2009 વોર્ડ નંબર 3ના ક્ધવીનર તરીકે કામગીરી કરેલ છે હાલ તેઓએ એક્ટિવ પેનલ માંથી કારોબારીમાં ઉમેદવારી નોંધાવેલ છે.

હિરલબેન જોષી
હિરલબેનએ રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશનના સંગઠનમાં કારોબારી સભ્ય તેમજ મહિલા બાર માં પણ કારોબારી સભ્ય તરીકે મહત્વનું યોગદાન આપી રહ્યા છે. વર્ષોથી ભાજપના ભગવા રંગે રંગાયેલા હિરલબેન ભાજપના ખુબ જ સક્રીય કાર્યકર તરીકે સતત સેવારત છે. રાજકોટ મહાનગરપાલિકા અને રૂૂડામાં રાજકોટ નાગરિક સહકારી બેંકના પેનલ એડવોકેટ તરીકે છેલ્લા 6 વર્ષ સતત કાર્યરત છે.

અજય પીપળિયા
એડવોકેટ અજય પીપળીયા જાણીતા અને ખ્યાતનામ એડવોકેટ છે તથા પટેલ સમાજની વીવીધ સંસ્થાઓ સાથે જોડાઇને સક્રીય કામગીરી બજાવે છે અને ખોડલધામ લીગલ સમીતીના ઉતર ઝોનના ક્ધવીનર છે. વકીલોમા મોટી ચાહના તથા લોકપ્રીયતા ધરાવે છે જેથી રાજકોટ બાર એશોસીએશનમા અનેક વાર કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી ચુંટાઈ પોતાની સેવા આપેલ છે તથા રાજકોટ બાર એશોસીએશનની લાયબ્રેરીનુ રીનોવેશન તથા આધુનીકરણ કરવામા મહત્વની ભુમીકા ભજવેલ હતી. હાલ તેઓ રાજકોટ વકીલોના રેવન્યુ બાર, ડીસ્ટ્રીક બાર, યુવા લોયર્સે બાર, એલ.એસ.એફ, વોઈસ ઓફ લોયર્સે જેવા અનેક એશોસીએશન સાથે જોડાયેલા છે

પિયુષ સખિયા
રાજકોટમાં વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર પિયુષ સખીયા રેવન્યુ, સીવીલ તથા ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે. પિયુષ સખીયા સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રતિષ્ઠીત રાજકોટ બાર એસોસીએશનમાં વર્ષ 2021-22ની ચુંટણીમાં “કારોબારી સભ્ય” પદે જંગી બહુમતીથી ચુંટાયેલ છે તેમજ રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં કુનેહપુર્વક પોતાની ફરજ બજાવી સફળતા પુર્વક પાર પાડેલ છે.

શીંગાળા નિતીન કે
રાજકોટમાં વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર નિતીન કે. શિંગાળા રાજકોટ બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં કુનેહપુર્વક પોતાની ફરજ બજાવી સફળતા પુર્વક પાર પાડેલ છે.

ટોપીયા રીતેષ
રાજકોટમાં વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર 0 રીતેષ ડી. ટોપીયા બી.કોમ., એલ.એલ.બી., સુધીનો અભ્યાસ કરેલ છે અને રેવન્યુ અને સીવીલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહયા છે.

વિઠ્ઠલાપરા ચેતન
જાણીતા એડવોકેટ ચેતનભાઇ વીઠ્ઠલાપરા 2014 થી વકાલતના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમજ તેઓ, સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ, તેમજ ભારતની અન્ય હાઇકોર્ટમાં, તેમજ ભારતની અન્ય કોર્ટમા પોતાના અસીલનો, પક્ષ રાખેલ છે, તેઓ બાહોળું મિત્ર વર્ગ, મિલનસાર સ્વભાવ, હંમેશા જૂનયરોને મદદરૂપ થનાર, તેમજ જીનિયરો કાયદાકીય સાથ, સહકાર માટે હંમેશા તત્પર હોય છે.

કૌશિક પોપટ
એડવોકેટ કૌશિક પોપટ રાજકોટ મુકામે ફોજદારી, સીવિલ, રેવન્યુ, અકસ્માત વળતર ટ્રીબ્યુનલ (ખઅઈઙ), મજુર અદાલત, ગ્રાહક સુરક્ષા, ફેમીલી કોર્ટમાં તેમજ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ ઘણી સામાજીક અને સેવાકીય પ્રવૃત્તીઓ વિવિધ સેવાકીય સંસ્થાઓમાં માનદ સેવાઓ આપે છે.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય3 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય4 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય5 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય5 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય5 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત5 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય5 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

ગુજરાત1 day ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending