ગુજરાત
દશામાના વ્રત દરમિયાન ઢોંગી ભૂઈમાથી ચેતવા જાથાની અપીલ
વિજ્ઞાનને કારણે અવતારો, ચમત્કારોથી દૂર રહેવા, મૂર્તિઓ પીવાના પાણીમાં ન પધરાવવા અનુરોધ
આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તા. પ મી ઓગસ્ટથી 1પ મી ઓગસ્ટ સુધી આ2ાધ્ય દેવી દશામાઁના વ્રતનો પ્રા2ંભ, પૂજન, અર્ચન મહિમા અનેક 2ીતે ઉજવણી પ્રદેશ પ્રમાણે ક2વામાં આવે છે. દશામાઁના વ્રતનું ગૌ2વ, ધાર્મિક અનુસ2ણ પ્રમાણે વિધિ-વિધાન થાય, ઉજવણી શ્રદ્ઘા પ્રમાણે થાય તેનો કદી પણ વિ2ોધ હોય શકે નહીં. સૌને આદ2, વંદન માતાજી ત2ફ હોય તે સ્વાભાવિક છે. પ2ંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાઁના વ્રત દ2મ્યાન અમુક લેભાગુઓ, ભુવા-ભા2ાડી, ભૂઈમા, તક્સાધુઓ, ચમત્કાિ2કો શ્રદ્ઘાના માહોલમાં યુક્,િ પ્રયુક્,િ ચમત્કા2ો ક2ી છેત2પિંડી ક2ે છે તેનો વર્ષોનો અનુભવ હોય ભા2ત જન વિજ્ઞાન જાથાની 2ાજય કચે2ી સખ્ત શબ્દોમાં વખોડી વિ2ોધ ક2ી ધૂણતી ઢોંગી ભૂઈમાંથી સાવધાન 2હેવા અપીલ ક2વામાં આવી છે.
જાથાના 2ાજય ચે2મેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સોમવા2થી દશામાઁના વ્રતનો પ્રા2ંભ થાય છે. દેશમાં શ્રદ્ઘાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવવો સૌ નાગિ2કોને અબાધિત અધિકા2 છે. વ્રતના સ્થાપન-પુર્ણાહુતિએ શ્રદ્ઘાળુઓએ આ2ોગ્યની જાળવણી 2ાખવી સૌના હિતમાં છે. કહેવાતા ચમત્કા2ો – પ2ચાઓ વિજ્ઞાનને કા2ણે ગાયબ થઈ ગયા છે. સાદગીથી મેટ્રો શહે2માં અમુક વિસ્તા2માં આજે પણ ધાર્મિક ઉન્માદ જોવા મળે છે તેમાં જાથા વિવેકથી કામગી2ી ક2ે છે. તા. 1પ મી ઓગસ્ટે જાગ2ણના દિવસે મૂર્તિના વિસર્જન સ્થળે પૂજન-અર્ચન ક2ેલ દશામાઁની મૂર્તિની અવદશા દયનીય જોવા મળે છે તેમાં ફે2ફા2 ક2વો અતિ જરૂ2ી છે. પીવાના પાણીમાં કદી પણ મૂર્તિનું વિસર્જન ન કરવા અનુરોધ કરાયો છે.
વધુમાં જાથાના પંડયાએ જણાવ્યું કે આ વ્રત દ2મ્યાન બનાવટી, અતાર્કિક, ચમત્કાિ2ક યુટયુબ ઉપ2 થતી ચમત્કાિ2ક કથાઓ અને વાર્તાઓ, પત્રિકાઓ, પુસ્તિકાઓ, ફિલ્મો હેતુપૂર્વક બહા2 પાડી દર્શાવીને ભ્રમીત ક2ીને પ્રચા2 અને વેચાણ ક2વામાં આવે છે. વાસ્તવમાં દશામાના નામે છેત2પિંડી જ છે. શ્રદ્ઘાના માહોલમાં છેત2પિંડીનું કા2સ્તાન છે. દેશભ2માં શ્રાવણ માસથી કાર્તિક માસ સુધી અવનવા ભ્રામક ચમત્કા2ોનું સર્જન ક2ી લૂંટ ક2વામાં આવે છે.
જાથાના સદસ્યો નાથાભાઈ પીપળીયા, પ્રમોદભાઈ પંડયા, દિનેશભાઈ હુંબલ, નિર્મળ
મેત્રા, નિર્ભય જોશી, વિનોદભાઈ વામજા, 2ાજુભાઈ યાદવ, ભક્બિેન 2ાજગો2, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા અને શાખાઓના કાર્યક2ો સંકલન ક2ી શ્રધ્ધાની આડમાં છેત2ાય નહિ તે સંબંધી જાગૃતિ ફેલાવશે. 2ાજયમાં દશામાના વ્રત દ2મ્યાન ધૂણીને ઢોંગ ક2તી ભ્રામક પ્રચા2 ક2તી ભૂઈમાઓ વિશે માહિતી મો. 982પ2 16689 ઉપ2 સંપર્ક ક2વા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલ દ્વારા અનુરોધ કરાયો છે.
ભૂઈમાની તપાસ માટે તપાસ સમિતિઓ બનાવાઈ
2ાજયમાં સોમવા2થી વ્રતની શરૂઆત હોય જિલ્લા 2ાજકોટ, અમદાવાદ, ગાંધીનગ2, મહેસાણા, પાટણ, પાલનપુ2, ખેડા, આણંદ, નડિયાદ, વડોદ2ા, ભરૂચ, અંકલેશ્વ2, સુ2ત, નવસા2ી, વલસાડ, વાપી, 2ાજપીપળા, હિંમતનગ2, છોટાઉદેપુ2, મોડાસા, દાહોદ, પંચમહાલ, મહિસાગ2, કચ્છ, સુ2ેન્નગ2, મો2બી, અમ2ેલી, બોટાદ, ભાવનગ2, ગિ2 સોમનાથ, જુનાગઢ, પો2બંદ2, દેવભૂમિ ા2કા, જામનગ2, જિલ્લા-તાલુકા મથકોએ કાર્યવાહક કમિટી બનાવી છે તેને વડી કચે2ી તપાસ ક2ીને જ સ્થળ ઉપ2 ઢોંગી ભૂઈના પાસે મોકલાવામાં આવશે. ધાર્મિક વ્રતમાં કોઈપણ પ્રકા2નો જાથા વિક્ષ્ોપ ક2તું નથી. શ્રદ્ઘાળુઓની લાગણીને ધ્યાનમાં 2ાખવામાં આવે છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ