Connect with us

ગુજરાત

ઝોન ફેરબદલીના પરિપત્રથી પોલીસ પરિવારો વેરવિખેર થઇ જશે

Published

on

બદલીનો નવો નિર્ણય રદ કરી જૂનો નિયમ જ ચાલુ રાખવા કરાઇ માંગ

તોડબાજ પોલીસ અધિકારીઓને સજા કરવા ગૃહ ખાતુ છે: પરિપત્ર પાડાના વાંકે પખાલીને ડામ સમાન: કિરીટ પટેલ


રાજયના પીએસઆઇ અને પીઆઇની બદલીઓ ઝોન બહાર કરવાના ગૃહખાતાનાં નિર્ણયને અયોગ્ય ગણાવી તાકીદે દ કરવાની માંગ કરતો એક પત્ર પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઇ પટેલે મુખ્યમંત્રીને લખ્યો છે. પત્રમાં ચિંતા- દહેશત વ્યકત કરી ધારાસભ્યએ જણાવ્યું છે કે ગૃહના આવા નિર્ણયથી પોલીસ પરિવાર હેરાનગતિમાં પટકાઇને કોઇ અજુગતું પગલું ભરી ન બેસે તે જોવાની પણ સરકારની જવાબદારી હોવાથી બદલી સંદર્ભે ડી.જી.પી. દ્વારા થતી બદલીની પારદર્શક પ્રણાલી જ યથાવત રાખવી જરૂરી છે.


ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર ની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના જુદાજુદા ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મિટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઈ/પી.આઇને તે ઝોનના જીલ્લાઓમાં કે નજીકના જીલ્લાઓમાં બદલી કરી શકાશે નહી. બદલીનો પરિપત્ર માત્ર પાડા ના વાંકે પખાલીને ડામ જેવો ગણાવી ધારાસભ્ય પટેલે જણાવ્યું છે કે પોલીસ અધિકારીઓ ભ્રષ્ટાચાર અને તોડબાજ છે તેને સજા કરવાને બદલે તમામને એક જ લાકડીએ હાંકવા એ યોગ્ય નથી. આવા ભ્રષ્ટાચારી અને તોડબાજ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ગૃહવિભાને સત્તાઓ છે.


એક બાજુ રાજ્યના રાજ્ય ગૃહ મંત્રી વિધાનસભામાં પોલીસ કર્મચારીઓના હિતની વાતો કરે છે ત્યારે આ પરિપત્ર પોલીસ અધિકારીઓના પરિવારને વેર વિખેર કરી નાખે અને પોલીસ કર્મીઓને વધુ પડતા તનાવ નીચે આત્મહત્યા તરફ દોરી જશે તેવું ડો.કિરીટ પટેલનું માનવું છે.

તેઓ વધુમાં જણાવે છે કે, પરિપત્રમાં જે રીતે કુલ 9 રેન્જ અને તેના ઝોન નક્કી કરવામાં આવ્યા છે. તેનો સરેરાશ વિસ્તાર 300 થી 400 કિમી અંતર ધરાવતો વિશાળ એરિયા છે. દા.ત. સુરત રેન્જ અને સુરત શહેરમાં જે પી.એસ.આઈ/પી.આઈ એ પાંચ વર્ષ નોકરી કરી હોય તેને વડોદરા રેન્જ વડોદરા શહેર/ અમદાવાદ રેન્જ/ અમદાવાદ શહેર/સુરત રેન્જ/ સુરત શહેરમાં બદલી થઇ શકે નહી.આ નિર્ણયથી પી.એસ.આઈ. કે પી.આઈ જેઓના વયોવૃધ્ધ માતા-પિતા સહિતના પરિવાર કે બાળકો મોટા ભાગે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગર અને સુરત જેવા મોટા શહેરોમાં સારી સ્કુલો/ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરતા હોય છે. અને તેને લીધે અધિકારીઓ મોટાભાગના અધિકારીઓના બાળકો સાંપ્રત સમયમાં સીબીએસસી/ આઇસીએસસી (ઇન્ટરનેશનલ બોર્ડ)માં પોતાની અતિ મહત્વની કારકીર્દિનો અભ્યાસ કરી રહેલ છે.

જો ઉપર મુજબની જોગવાઇ પ્રમાણે બદલીઓ કરવામાં આવે તો પી.એસ.આઇ. કે પી.આઇ જેઓની ગુજરાત પૌલીસ વિભાગમાં 10 થી 15 વર્ષ કે તેથી વધુ સમયનો ફરજનો ગાળો થઇ ગયેલ છે તેમાંના મૌટા ભાગના અધિકારીઓના બાળકોના અભ્યાસમાં ધોરણ 10 (એસ.એસ.સી.) અને 12 (એચ.એસ.સી.) જેવા અતિમહત્વપુર્ણ બોર્ડના વર્ષમાં કે ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા હોય છે, તેવાં બાળકોને 300 થી 400 કિલોમીટર દુર અંતરના જીલ્લા કે શહેરમાં અભ્યાસ અર્થે ચાલુ સત્ર દરમ્યાન સ્કુલ/ કોલેજ છોડી શિફટ કરવા ઐ બાળકોનો અતિમહત્વનો અભ્યાસ બગાડવા બરાબર છે, એટલું જ નહિ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય બની જવાની પુરેપુરી શકયાઓ રહેલી છે તેમજ વયોવૃધ્ધ માતા-પિતા સહિત સમગ્ર પરીવાર અને પોતાના બાળકોની માનસીક પરિસ્થીતી પર ખુબજ ગંભીર અસર પડી શકે છે.


વધુમાં સમાજના કોઇપણ વર્ગ કે ક્ષેત્રમાંથી આવતા માણસનો પરિશ્રમ, રોજગાર, આજીવિકા સાથે મુળભુત અને મુખ્ય ઉદ્દેશ્ય પોતાના પરીવારના કલ્યાણનો હોય છે. જો ઉપરોક્ત નિર્ણય મુજબ પી.એસ.આઇ./પી.આઇની બદલી કરવામાં આવે તો મોટા ભાગના અધિકારીઓ પોતાના સ્થાયી રહેણાંક વિસ્તાર કે બાળકોના અભ્યાસના સ્થળથી દુર રહી પોતે પણ માનસિક અને વૈચારિક રીતે પ્રફુલ્લીતતાથી 24/7 ફરજ બજાવી શકશે નહી વધુમાં તાજેતરના બદલીના આ નિર્ણયમાં એકમો તથા શાખાઓ જેવી કે ડી.જી.પી ઓફીસ/ ઇન્ટેલીજન્સ/ સી.આઇ.ડી. ક્રાઇમ/ એ.સી.બી./ એ.ટી.એસ/ એસ.સી.આર.બી./ આદીજાતી વિકાસ નિગમ/ જી.ઇ.બી વીગેરેને પણ આવરી લેવામાં આવેલ છે. આ બધા એકમો કે શાખામાં ફરજ બજાવતા મોટાભાગના અધિકારીઓ કોઇ પારિવારીક, બાળકોના અભ્યાસકીય કે અંગત કારણોસર ફરજ બજાવતા હોય છે. તેઓને પણ સુચિત ઝોનના વિસ્તાર એટલે કે 300 થી 400 કિમી દુર અંતરે બદલી કરવામાં આવતા અધિકારીઓ સહિત તેઓના પરિવારના મનોબળ ઉપર ગંભીર વિપરીત અસર પડી શકે એમ છે.

પીઆઇ-પીએસઆઇ માટે સરકારનો નિર્ણય માનસિક તણાવ વધારનારો
આ સૂચનાથી એવો પણ તર્ક આપવામાં આવે છે કે આઈ.એ.એસ./આઈ.પી.એસ. તથા જયુડીશયરી ના અધિકારીઓ પણ પોતાના વતનના જિલ્લા/રાજ્ય થી દુર અન્ય રાજ્યમાં નોકરી કરવા માટે જતા હોય છે. પરંતુ તેમની નૌકરી અને પી.આઈ/પી.એસ.આઇ. ની નોકરી વચ્ચે ઘણો જ તફાવત છે. પી.આઇ. અને પી.એસ.આઇ. ફિલ્ડના અધિકારીઓ છે જે રાતન સવારથી રાત સુધી પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં ફરજ બજાવતા હૌય છે તેમને કોઈપણ જાતની જાહેર રજાઓ પણ હોતી નથી. જેના કારણે તેઓ સતત માનસિક તણાવ માંથી પસાર થતા હોય છે. આવા સંજોગોમાં તેમની અન્ય કેડરના અધિકારીઓ સાથે સરખામણી કરવામાં આવે તે યોગ્ય જણાતું નથી. વધુમાં આવા દુર ગયેલા પોલીસને કોર્ટમાં જવું પડે ત્યારે મોટી સમસ્યા પેદા થશે. બે દિવસ તો આવવા જવાના થાય ત્યારે કોઈ અધિકારી કોર્ટના કામે પોતાના જુના ફરજના સ્થળે ગયેલ હોય અને કોઈ ઇમરજન્સી ઉભી થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા કઈ રીતે સચવાય એ પણ વિચારવા જેવું છે. હાલની સ્થીતીએ પી.એસ.આઇ/ પી.આઇની બદલી ડી.જી.પી દ્વારા કરવામાં આવે છે. જે પ્રણાલી વધુ ઉચીત અને પારદર્શક હોવાનું ધારાસભ્યનું માનવું છે.

બદલીનો નિર્ણય નોકરી, પરિવાર, સમાજ જીવનને ગંભીર અસર કરનારો
ધારાસભ્ય ડો.કિરીટ પટેલનું કહેવું છે કે પોલીસ ખાતાની નોકરી અન્ય વિભાગો કરતાં ઘણી જ અલગ છે અન્ય વિભાગૌમાં નોકરીનો સમય કે કલાક નક્કી હોય છે ત્યારે પોલીસ ખાતામાં કર્મચારીઓ 24 કલાક નોકરીથી બંધાયેલા છે. ઉપરાંત કોઈપણ જાતની જાહેર રજાઓ પણ મળવા પાત્ર નથી. લોકો જયારે તહેવારોની ઉજવણી કરતા હોય ત્યારે પોલીસ બંદોબસ્ત કરતી હોય છે.આવા સંજોગોમાં માનસિકતા તણાવ હેઠળ નોકરી કરતા પોલીસ અધિકારીઓને જો પોતાના પરિવાર તથા વતનના જિલ્લા કે જ્યાં પરિવાર સ્થાયી થયેલ હોય ત્યાંથી કાયમ માટે દુર મુકવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવે તો તેમના સામાજિક જીવન તથા પરિવાર જીવન અસ્તવ્યસ્ત થવાના સંજોગોમાં તેની સીધી અસર તેમની નોકરી ઉપર પણ પડવાની શક્યતાઓ છે. આ નિર્ણયના કારણે દરેક અધિકારીને ઓછામાં ઓછા 300 કી.મી દુર ફરજ પર મુકવામાં આવશે જેના કારણે એક દિવસની રજામાં પારિવારિક કે સામાજિક કારણોસર જોઈ પરત આવવું ખુબ જ કઠિન થશે જૈની અસર તેમના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્ય ઉપર થશે.

ગુજરાત

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

Published

on

By

જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.


ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Continue Reading

ક્રાઇમ

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

Published

on

By

કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા

Published

on

By

શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો

રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading
રાષ્ટ્રીય4 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય4 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય4 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય5 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય5 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય5 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત5 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય5 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ5 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય5 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય1 day ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

રાષ્ટ્રીય1 day ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ1 day ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

રાષ્ટ્રીય1 day ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

ગુજરાત1 day ago

પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર

Trending