Connect with us

ગુજરાત

મહાનગરપાલિકાને મળશે 215.25 કરોડના વિકાસ કામોની ભેટ

Published

on


ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની ધૂરા સંભાળી તેને 23 વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રૂા. 215.25 કરોડના વિકાસ કામોની ભેટ આપશે. જેનું લોકાર્પણ અને ખાતમુહર્ત સોમવારે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે.


વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 23 વર્ષ પહેલા 7 ઓક્ટોબર, 2001ના રોજ પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીના સફળ અને સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત રીન્યુએબલ ઉર્જાના પર્યાય તરીકે સ્થાપિત, ઉર્જાશક્તિ-જળશક્તિ-જ્ઞાનશક્તિ-જનશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત ગુજરાત, સૌથી ઊંચા સ્ટેચ્યુ અને સૌથી મોટા સ્ટેડિયમથી ગૌરવાન્વિત ગુજરાત, 24 કલાક વિજળીની સંકલ્પનાથી સાકાર ગુજરાત, ગરબા-ધોરડો અને સ્મૃતિવનથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિથી સુશોભિત ગુજરાત, ગીફ્ટ-ડાયમંડ બુર્સ અને ઢોલેરો છે ગુજરાતના વિકાસના નિમિત, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત ગુજરાત અને પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેક તરીકે સ્થાપિત ગુજરાત વગેરે જેવા પર્યાયથી ગુજરાત વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત થયેલ છે ત્યારે આ 23 વર્ષની વિકાસ ગાથાને વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.


આ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશ્યલ/ડીઝીટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા.14/10/2024, સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, પાણી પુરવઠા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપતિ તથા ગૃહ વિભાગના એક સાથે અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે કાર્યક્રમ યોજાનાર છે.

ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાના રૂા. 215.25 કરોડના કુલ 42 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે જેમાં રૈયા સ્માર્ટ સીટીમાં રૂા. 7.92 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઈલેક્ટ્રીક બસ ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ, રૂા. 101.89 કરોડના ખર્ચે બાધકામ વિભાગના 25 કામો, રૂા. 52.33 કરોડના ખર્ચે ડ્રેનેજ વિભાગના પાંચ અને રૂા. 53.21 કરોડના ખર્ચે નિર્માણ થનાર વોટર વર્કસ વિભાગના અગિયાર કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલિકાનામેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,શાસકપક્ષદંડક મનિષભાઈ રાડીયા ઉપસ્થિત રહેનાર છે.

કચ્છ

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

Published

on

By

કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આ ઘટના કંપનીમાં રાત્રીના 12.30 કલાકે સર્જાઈ હતી.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ કર્મચારીઓના મોત થયાં છે. આ મામલે કંડલા પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી. દુષિત પાણીની સફાઈ કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ 1:16 PM 10/16/2024હતી.

Continue Reading

ગુજરાત

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

Published

on

By

રૂા.40 હજારના પિત્તળના સળિયા કબજે કરી ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

જામનગર શહેરમાં થયેલી ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ઝડપી લેવાના ઉદ્દેશ્યથી જામનગર સિટી એ ડીવીઝન પોલીસે સફળતા મેળવી છે. પોલીસે બે મહિલા આરોપીઓને ઝડપી પાડી, ચોરી થયેલ આશરે 40,000 રૂૂપિયાની કિંમતના પીતળના સળિયા કબજે કર્યા છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગર સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, તન્ના હોલની સામે પ્રદર્શન ગ્રાઉન્ડના ગેઇટ પાસે બે શંકાસ્પદ મહિલાઓ ચોરી થયેલ પીતળના સળિયા સાથે ઉભી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગીતાબેન પરમાર અને સામુબેન પરમાર નામની બે મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેથી ચોરી થયેલ આશરે 80 કિલો વજનના પીતળના સળિયા કબજે કરવામાં આવ્યા હતા.


પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલી બંને મહિલાઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. ચાવડા અને તેમની ટીમે સફળતા મેળવી હતી.આ ઘટનાએ જામનગર શહેરમાં ચોરીના ગુનાઓ સામે પોલીસની કાર્યવાહીને વેગ મળ્યો છે.

Continue Reading

ક્રાઇમ

આણદાબાવા ચકલા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો

Published

on

By

રોકડ-મોબાઇલ મળી રૂા.6500નો મુદ્દામાલ કબજે

જામનગરના સિટી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે આણદાબાવા વિસ્તારમાંથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોનની આઈડી માં ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે, અને મોબાઈલ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.


જામનગરના સીટી એ. ડિવિઝન ના ડી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના આંણદાબાવા ચકલા વિસ્તારમાં રહેતો એક વેપારી નિરવ વિજયભાઈ શાહ કે જે પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે રાતે પોલીસે દરોડો પાડી નીરવ શાહને ઝડપી લીધો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન તથા રૂૂપિયા 1500 ની રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.


જુગાર રમી રમતા મળી આવતા રેઇડ દરમ્યાન રોકડા રૂૂપીયા 1,500/- તથા મોબાઇલ ફોન નંગ-1 કી.રૂૂ.5,000/ મળી કુલ રૂૂપીયા 6,500/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જઇ ગુન્હો કર્યા બાબત.

Continue Reading
મનોરંજન57 mins ago

કોણ છે સાઉથના આ સુપરસ્ટાર કે જેની સામે બધા બોલિવૂડ સ્ટાર્સના લગ્ન નિષ્ફળ!,જાણો

કચ્છ1 hour ago

કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત

રાષ્ટ્રીય1 hour ago

જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા ઓમર અબ્દુલ્લા, બીજી વખત લીધા શપથ, INDIA ગઠબંધનના નેતાઓ રહ્યાં હાજર

ગુજરાત2 hours ago

દિગ્વિજય પ્લોટના કારખાનામાંથી પિત્તળના સળિયા ચોરનાર બે મહિલાને ઝડપી લેતી પોલીસ

ક્રાઇમ2 hours ago

આણદાબાવા ચકલા વિસ્તારમાંથી ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો

ગુજરાત2 hours ago

જામનગરના કારખાનેદાર સાથે મહેતાજીની પાંચ કરોડની ઠગાઇ

ગુજરાત2 hours ago

તમામ સરકારી કચેરીમાં કામ વગર આવતા લોકો માટે જાહેર કરાઇ પ્રવેશબંધી

ગુજરાત2 hours ago

રોગચાળાના કાળના ખપ્પરમાં વધુ એક જિંદગી હોમાઈ: યુવકનું ડેન્ગ્યુથી મોત

ક્રાઇમ2 hours ago

રાજકોટ રેલવે સ્ટેશને બરૌની એક્સપ્રેસમાંથી દેશી તમંચો અને બે કારતૂસ રેઢા મળ્યા

ગુજરાત2 hours ago

પાલિતાણાના જામવાળી ગામે 23 બાળકોને ફૂડ પોઇઝનિંગ

ક્રાઇમ21 hours ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

આંતરરાષ્ટ્રીય21 hours ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ગુજરાત21 hours ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત21 hours ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

ગુજરાત2 days ago

ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ

ગુજરાત22 hours ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

ગુજરાત21 hours ago

ત્રણેય ઝોનમાં 84 આસામી પાસેથી 12.74 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

કચ્છ2 days ago

રાજકોટ માવતર ધરાવતી પરિણીતાએ છૂટાછેડા વગર બીજા લગ્ન કરતા ફરિયાદ

ગુજરાત2 days ago

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

ગુજરાત2 days ago

વિવિધ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાશે

Trending